ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થે ઉત્પાદનની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદયો
કંપનીએ બે મૃતકોના પરિજનોને રૂ. 15 લાખ ચૂકવવા તૈયારી બતાવી
ચાલુ પગારે તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે, મેજર બ્લાસ્ટ અને ફાયરમાં મંગળવારે કુલ 36 કામદારો ઘવાયા હતા
7 ને OPD માં જ સારવાર બાદ રજા અપાઈ હતી, હજી પણ 4 ICU માં
WatchGujarat. દુનિયાના 25 માં ખાનગી બંદર દહેજ ઔધોગિક વસાહતને ધણધણાવતી ભારત રસાયણ કંપનીમાં મંગળવારે મેજર બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા કુલ 36 કામદારો પૈકી 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બોઇલર બ્લાસ્ટને પગલે નહિ પણ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી છે.
દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે પ્રચંડ ધડાકા સાથે ભભૂકેલી વિકરાળ આગમાં 2 કર્મચારીઓના મૃત્યુ થયા છે. ઘટનામાં કુલ 36 કામદારોને ઇજા થઇ હતી. જેઓને 8 થી વધુ એમ્બ્યુલન્સમાં ભરૂચ અને ગંભીર ઘવાયેલાઓને વડોદરા સારવાર માટે શિફ્ટ કરાયા હતા. વિવિધ કંપનીઓ, જીઆઇડીસીના 10 થી વધુ ફાયર ટેન્ડરોએ 3 કલાકથી વધુની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જે બાદ કુલિંગની કામગીરી ચાલુ રહી હતી. દરમિયાન પ્લાન્ટ સંપૂર્ણ બળી ને કાટમાળમાં તબદીલ થઈ ગયો હતો.
ઘટના અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જીપીસીબી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ હવે ઘટનાના તારણો અને કારણ જાણવા ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિપક વસાવાએ જણાવ્યું હતું કે, ઘટના બોઇલર ફાટવાથી બની હોવાનું સામે આવ્યું નથી. પ્લાન્ટમાં સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે રીએક્ટરમાં ખામી સર્જાતા બ્લાસ્ટ અને ત્યારબાદ આગ લાગી હતી. જેમાં 36 કામદારો દાઝ્યા અને ઘવાયા હતા.
મંગળવારે સાંજે જ ઓછી ઇજા અને દાઝેલા 7 કામદારોને OPD માં સારવાર આપી રજા અપાઈ હતી. જ્યારે વડોદરામાં મંગળવારે રાતે એક અને ભરૂચમાં બુધવારે એક મળી 2 કામદારોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલ 27 કામદારો સારવાર હેઠળ છે. જે પૈકી 4 હજી ICU માં છે.
મૃતકોના નામ
સુધાનશું શેખર વામન, રહે. કોસમડી, અંકલેશ્વર (વડોદરામાં મૃત્યુ)
કુંદન કુમાર ઝા, રહે. ભરૂચ હોસ્પિટલમાં આજે નિધન
ભારત રસાયણ કંપનીએ 2 મૃતકોના પરિજનોને રૂ. 15 લાખનું વળતર આપવાની હાલ જાહેરાત કરી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખી તમામ ખર્ચ પણ કંપનીએ વહન કરવાનો રહેશે. કંપની સામે પ્રોહીબીટરી ઓર્ડર એટલે કે કારખાનું બંધ કરાવ્યું છે. ઉત્પાદન પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લગાવી ઇજાગ્રસ્તોના નિવેદનો સાથે તપાસ ચલાવાઇ રહી છે.
ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થે ઉત્પાદનની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદયો
કંપનીએ બે મૃતકોના પરિજનોને રૂ. 15 લાખ ચૂકવવા તૈયારી બતાવી
ચાલુ પગારે તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે, મેજર બ્લાસ્ટ અને ફાયરમાં મંગળવારે કુલ 36 કામદારો ઘવાયા હતા
7 ને OPD માં જ સારવાર બાદ રજા અપાઈ હતી, હજી પણ 4 ICU માં
WatchGujarat. દુનિયાના 25 માં ખાનગી બંદર દહેજ ઔધોગિક વસાહતને ધણધણાવતી ભારત રસાયણ કંપનીમાં મંગળવારે મેજર બ્લાસ્ટ અને આગની હોનારતમાં ઘવાયેલા કુલ 36 કામદારો પૈકી 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બોઇલર બ્લાસ્ટને પગલે નહિ પણ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડના ઉત્પાદન વેળા રીએક્ટરમાં સર્જાયેલી ક્ષતિથી બની હોવાની વિગતો હાલ બહાર આવી છે.
દહેજની ભારત રસાયણ કંપનીમાં મંગળવારે પ્રચંડ ધડાકા સાથે ભભૂકેલી વિકરાળ આગમાં 2 કર્મચારીઓના મૃત્યુ થયા છે. ઘટનામાં કુલ 36 કામદારોને ઇજા થઇ હતી. જેઓને 8 થી વધુ એમ્બ્યુલન્સમાં ભરૂચ અને ગંભીર ઘવાયેલાઓને વડોદરા સારવાર માટે શિફ્ટ કરાયા હતા. વિવિધ કંપનીઓ, જીઆઇડીસીના 10 થી વધુ ફાયર ટેન્ડરોએ 3 કલાકથી વધુની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જે બાદ કુલિંગની કામગીરી ચાલુ રહી હતી. દરમિયાન પ્લાન્ટ સંપૂર્ણ બળી ને કાટમાળમાં તબદીલ થઈ ગયો હતો.
ઘટના અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જીપીસીબી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ હવે ઘટનાના તારણો અને કારણ જાણવા ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિપક વસાવાએ જણાવ્યું હતું કે, ઘટના બોઇલર ફાટવાથી બની હોવાનું સામે આવ્યું નથી. પ્લાન્ટમાં સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઈડની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે રીએક્ટરમાં ખામી સર્જાતા બ્લાસ્ટ અને ત્યારબાદ આગ લાગી હતી. જેમાં 36 કામદારો દાઝ્યા અને ઘવાયા હતા.
મંગળવારે સાંજે જ ઓછી ઇજા અને દાઝેલા 7 કામદારોને OPD માં સારવાર આપી રજા અપાઈ હતી. જ્યારે વડોદરામાં મંગળવારે રાતે એક અને ભરૂચમાં બુધવારે એક મળી 2 કામદારોના દુઃખદ મૃત્યુ થયા છે. હાલ 27 કામદારો સારવાર હેઠળ છે. જે પૈકી 4 હજી ICU માં છે.
ભારત રસાયણ કંપનીએ 2 મૃતકોના પરિજનોને રૂ. 15 લાખનું વળતર આપવાની હાલ જાહેરાત કરી છે. સાથે જ તમામ ઇજાગ્રસ્તોનો પગાર ચાલુ રાખી તમામ ખર્ચ પણ કંપનીએ વહન કરવાનો રહેશે. કંપની સામે પ્રોહીબીટરી ઓર્ડર એટલે કે કારખાનું બંધ કરાવ્યું છે. ઉત્પાદન પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લગાવી ઇજાગ્રસ્તોના નિવેદનો સાથે તપાસ ચલાવાઇ રહી છે.