ગુજરાતમાં ભાજપની આંનદીબેન સરકારને ઘેર બેસાડનાર હાર્દિક પટેલને 2022 ની ચૂંટણી માટે શું BJP ભાજપ ભેગી કરશે ?
હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ સૌથી સિનિયર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શુ આપ્યા સંકેત જાણો
BJP માં જોડવું અને પ્રવેશ આપવો કે નહીં તે પ્રદેશ ભાજપ અને હાર્દિક પટેલ ઉપર નિર્ભર
WatchGujarat. આ રાજકારણ અને રાજનીતિ છે, એક સમયે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન ગુજરાતમા છેડી BJP ની આનંદીબેન પટેલની સરકારને ખુરશી તેમજ સત્તા પરથી ઉથલાવી નાખી હતી. પણ હવે સમીકરણો અલગ છે, હાર્દિકે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને ભાજપ તેનો હાથ ઝાલી ગુજરાત ઇલેક્શન સર કરવા તમામ પ્રયત્નો કરે તો નવાઈ નહિ.
કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના રાજીનામાં બાદ ભાજપના મોસ્ટ સિનિયર અને મોદીના વિશ્વાસુ ગણાતા ભરૂચ MP મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ ગુજરાતનો પટેલ સમાજનો નેતૃત્વ કરનાર યુવા લીડર હતો. ન્યાય અધિકાર માટે આંદોલન પણ ચલાવ્યું.
ગુજરાત માં કોંગ્રેસમાં સારા હોદા ઉપર જવાબદારી પણ મળી. જોકે તેનું કહેવું છે કે, કોંગ્રેસે તેની તાકાતનો સદુપયોગ કર્યો નહિ. સાંસદે કહ્યું કે હું ચોકસ માનું છું કે, હાર્દિક પટેલ એક શક્તિશાળી યુવા નેતા છે, જેનો ઉપયોગ કોંગ્રેસે કરવો જોઈતો હતો, તે કરી શકી નથી. વધુ માં BJP સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, આમ પણ કોંગ્રેસ હાલ ખોખલી થઈ ગઈ છે. એટલે ગુજરાત શુ સમગ્ર દેશમાંથી મોટા મોટા નેતા કોંગ્રેસમાંથી રાજીનામાં આપી રહ્યાં છે.
દેશમાં આવનારા સમયમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચશે કે નહીં તે જ મોટો સવાલ છે. BJP માં હાર્દિક પટેલને સ્થાન અંગે ભરૂચ ના MP એ પ્રતિક્રિયા આપી હતી કે, તે હાર્દિક પટેલ અને પ્રદેશ BJP ઉપર નિર્ભર છે. હાર્દિક ને ભાજપમાં પ્રવેશ આપવો કે નહીં તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પ્રદેશ ભાજપ લેશે. વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અંગે સાંસદે જણાવ્યું હતું કે, તેઓ પરિપક્વ અને અભિયાશું માણસ છે. કોનો ક્યાં ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે.
વાત ગમે તે હોય પણ આ રાજકારણ છે, વીતેલા વર્ષોમાં એક ડોકિયું કરીએ તો આ જ હાર્દિક પટેલના લીધે આંનદીબેન પટેલની સરકારને ઘરભેગુ થવું પડ્યું હતું. અને આજે આ જ ભાજપ સરકાર હાર્દિકને 2022 ના ઇલેક્શનને લઈ પાર્ટી ભેગા કરવાની ફિરાકમાં છે.
- ગુજરાતમાં ભાજપની આંનદીબેન સરકારને ઘેર બેસાડનાર હાર્દિક પટેલને 2022 ની ચૂંટણી માટે શું BJP ભાજપ ભેગી કરશે ?
- હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ સૌથી સિનિયર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શુ આપ્યા સંકેત જાણો
- BJP માં જોડવું અને પ્રવેશ આપવો કે નહીં તે પ્રદેશ ભાજપ અને હાર્દિક પટેલ ઉપર નિર્ભર
WatchGujarat. આ રાજકારણ અને રાજનીતિ છે, એક સમયે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન ગુજરાતમા છેડી BJP ની આનંદીબેન પટેલની સરકારને ખુરશી તેમજ સત્તા પરથી ઉથલાવી નાખી હતી. પણ હવે સમીકરણો અલગ છે, હાર્દિકે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને ભાજપ તેનો હાથ ઝાલી ગુજરાત ઇલેક્શન સર કરવા તમામ પ્રયત્નો કરે તો નવાઈ નહિ.
કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના રાજીનામાં બાદ ભાજપના મોસ્ટ સિનિયર અને મોદીના વિશ્વાસુ ગણાતા ભરૂચ MP મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ ગુજરાતનો પટેલ સમાજનો નેતૃત્વ કરનાર યુવા લીડર હતો. ન્યાય અધિકાર માટે આંદોલન પણ ચલાવ્યું.
ગુજરાત માં કોંગ્રેસમાં સારા હોદા ઉપર જવાબદારી પણ મળી. જોકે તેનું કહેવું છે કે, કોંગ્રેસે તેની તાકાતનો સદુપયોગ કર્યો નહિ. સાંસદે કહ્યું કે હું ચોકસ માનું છું કે, હાર્દિક પટેલ એક શક્તિશાળી યુવા નેતા છે, જેનો ઉપયોગ કોંગ્રેસે કરવો જોઈતો હતો, તે કરી શકી નથી. વધુ માં BJP સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, આમ પણ કોંગ્રેસ હાલ ખોખલી થઈ ગઈ છે. એટલે ગુજરાત શુ સમગ્ર દેશમાંથી મોટા મોટા નેતા કોંગ્રેસમાંથી રાજીનામાં આપી રહ્યાં છે.
દેશમાં આવનારા સમયમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચશે કે નહીં તે જ મોટો સવાલ છે. BJP માં હાર્દિક પટેલને સ્થાન અંગે ભરૂચ ના MP એ પ્રતિક્રિયા આપી હતી કે, તે હાર્દિક પટેલ અને પ્રદેશ BJP ઉપર નિર્ભર છે. હાર્દિક ને ભાજપમાં પ્રવેશ આપવો કે નહીં તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય પ્રદેશ ભાજપ લેશે. વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અંગે સાંસદે જણાવ્યું હતું કે, તેઓ પરિપક્વ અને અભિયાશું માણસ છે. કોનો ક્યાં ઉપયોગ કરવો તે સારી રીતે જાણે છે.
વાત ગમે તે હોય પણ આ રાજકારણ છે, વીતેલા વર્ષોમાં એક ડોકિયું કરીએ તો આ જ હાર્દિક પટેલના લીધે આંનદીબેન પટેલની સરકારને ઘરભેગુ થવું પડ્યું હતું. અને આજે આ જ ભાજપ સરકાર હાર્દિકને 2022 ના ઇલેક્શનને લઈ પાર્ટી ભેગા કરવાની ફિરાકમાં છે.