ઝઘડિયા BTP ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી આડેધડ ખનન અને અતિક્રમણ અટકાવવા રજુઆત કરી
ગુજરાતમાં વર્ષોથી જંગલ જમીનની નહિ કરાયેલી માપણી તાત્કાલિક કરવા માંગ
કેટલાક શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખનન માલિકો જંગલ જમીનની ઘોર ખોદી રહ્યાં હોય તુરંત કાર્યવાહી અનિવાર્ય
[caption id="attachment_1393141" align="aligncenter" width="640"] Chhotu vasava write latter to CM[/caption]
WatchGujarat. BTP સુપ્રીમો અને ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવાએ ગુજરાતમાં જંગલોની જમીનો ઉપર આડેધડ થઈ રહેલા ખનન અને અતિક્રમણને અટકવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. ઝઘડિયા ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જંગલોની જમીનો ઉપર કેટલાક માથાભારે શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખાણ માલિકો પર્યાવરણ અને પ્રકૃતિનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે.
[caption id="attachment_1393142" align="aligncenter" width="640"] Chhotu vasava write latter to CM[/caption]
જો આવું જ રહ્યું તો આવનારી પેઢી ઓક્સિજન વિના તડપી તડપી મોતના મુખમાં ધકેલાશે. જંગલ અને પ્રકૃતિની થઈ રહેલી દુર્દશાના કારણે કુદરતના ખોળે વસતા આદિવાસીઓને ભોગવવું પડી રહ્યું છે. પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય જીવો, જળ, જમીન અને જંગલને બચાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે. સાથે જ ગુજરાતમાં વર્ષોથી નહિ થયેલી જંગલોની માપણી કરવા પણ છોટુભાઈએ માંગણી કરી છે.
વધુમાં પર્યાવરણ, જંગલો સાથે છેડછાડ કરવાથી અપ્રમાણસર વરસાદ, ગરમી, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોથી દેશને કોઈ બચાવી શકશે નહીં. સરકાર પાસે માહિતી હોવા છતાં પણ આવા ખનીજ અને જંગલ ચોરો સામે પગલાં લેવાતા નથી તેવો પણ વેધક સવાલ કર્યો છે. શુ જંગલના કાયદા માત્ર અને માત્ર જંગલ માં વસતા ગરીબ આદિવાસીઓ માટે જ છે. આવા બિન અધિકૃત કૃત્ય થી માત્ર આદિવાસીઓ જ નહીં ગુજરાત અને સમગ્ર દેશના લોકો ઉપર ભયંકર ખતરો ઉભો થયો હોવાનું આદિવાસી મસીહાએ સરકારને ટકોર કરી છે.
ઝઘડિયા BTP ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી આડેધડ ખનન અને અતિક્રમણ અટકાવવા રજુઆત કરી
ગુજરાતમાં વર્ષોથી જંગલ જમીનની નહિ કરાયેલી માપણી તાત્કાલિક કરવા માંગ
કેટલાક શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખનન માલિકો જંગલ જમીનની ઘોર ખોદી રહ્યાં હોય તુરંત કાર્યવાહી અનિવાર્ય
[caption id="attachment_1393141" align="aligncenter" width="640"] Chhotu vasava write latter to CM[/caption]
WatchGujarat. BTP સુપ્રીમો અને ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવાએ ગુજરાતમાં જંગલોની જમીનો ઉપર આડેધડ થઈ રહેલા ખનન અને અતિક્રમણને અટકવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. ઝઘડિયા ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જંગલોની જમીનો ઉપર કેટલાક માથાભારે શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખાણ માલિકો પર્યાવરણ અને પ્રકૃતિનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે.
[caption id="attachment_1393142" align="aligncenter" width="640"] Chhotu vasava write latter to CM[/caption]
જો આવું જ રહ્યું તો આવનારી પેઢી ઓક્સિજન વિના તડપી તડપી મોતના મુખમાં ધકેલાશે. જંગલ અને પ્રકૃતિની થઈ રહેલી દુર્દશાના કારણે કુદરતના ખોળે વસતા આદિવાસીઓને ભોગવવું પડી રહ્યું છે. પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય જીવો, જળ, જમીન અને જંગલને બચાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે. સાથે જ ગુજરાતમાં વર્ષોથી નહિ થયેલી જંગલોની માપણી કરવા પણ છોટુભાઈએ માંગણી કરી છે.
વધુમાં પર્યાવરણ, જંગલો સાથે છેડછાડ કરવાથી અપ્રમાણસર વરસાદ, ગરમી, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતોથી દેશને કોઈ બચાવી શકશે નહીં. સરકાર પાસે માહિતી હોવા છતાં પણ આવા ખનીજ અને જંગલ ચોરો સામે પગલાં લેવાતા નથી તેવો પણ વેધક સવાલ કર્યો છે. શુ જંગલના કાયદા માત્ર અને માત્ર જંગલ માં વસતા ગરીબ આદિવાસીઓ માટે જ છે. આવા બિન અધિકૃત કૃત્ય થી માત્ર આદિવાસીઓ જ નહીં ગુજરાત અને સમગ્ર દેશના લોકો ઉપર ભયંકર ખતરો ઉભો થયો હોવાનું આદિવાસી મસીહાએ સરકારને ટકોર કરી છે.