અંકલેશ્વરથી પેસેન્જરોને નવી જ કારમાં ભરૂચ રેલવે સ્ટેશન છોડવા જતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત બન્યો
મૂળ મુંબઈના 7 પેસેન્જરો પૈકી બે ઇજાગ્રસ્તોને સુરત જયારે 5 ને ભરૂચ સિવિલમાં ખસેડાયા
પલટી મારેલી ERTIGA કારને છતી કરી લોકો અને 108 એ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા
WatchGujarat. અંકલેશ્વરથી નવી અર્ટિગામાં મુંબઈના 7 પેસેન્જરોને સોમવારે મોડી રાતે ભરૂચ રેલવે સ્ટેશને છોડવા જતા ભૂતમામાની દેરી પાસે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ઝાડમાં અથડાઈ રસ્તાની બાજુમાં ખાડામાં પલટી મારી જતા કાર ચાલકનું મોત થયું હતું. જ્યારે 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વરના પીરામણ ગામે હવા મહેલ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય આદિલ ઉસ્માન ચૌહાણ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના સસરા આબીદ ગુલામહુસેન પઠાણની નવી અર્ટિગા કાર લઈ સોમવારે રાતે નિકળા હતા. અંકલેશ્વરથી મૂળ મુંબઈના બૈગનવાડી ખાતે રહેતા પેસેન્જરોને લઈ ભરૂચ સ્ટેશન જઇ રહ્યા હતા. ભરૂચ-અંકલેશ્વર જુના ને.હા. 8 ઉપર છાપરા પાટિયા પાસે ભૂતમામા ડેરી નજીક આદિલે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાર બાવળના ઝાડમાં અથડાઈ ખાડીમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર 3 મહિલા સહિત 7 મુસાફરોએ બુમરાણ મચાવી હતી. જોકે કાર ચાલક આદિલ ચૌહાણનું માથામાં ગંભીર ઇજાને પગલે મોત થયું હતું. જમાઈ લઈને નીકળેલા કારનો અકસ્માત થયો હોવાનું ફોન કરી પાડોશીએ સસરા આબીદ પઠાણને 11.30 કલાકે જણાવતા તેઓ સ્થળ પર જવા રવાના થયા હતા.
બીજી તરફ અન્ય વાહનચાલકો ઘટના સ્થળે ભેગા થઈ જવા સાથે 108 અને પોલીને જાણ કરી રાહત બચાવની કામગીરી હાથ ધરાઈ હતી. પલટી મારેલી અર્ટીગા કારને સીધી કરી તેમાં ફસાયેલા 7 ઇજાગ્રસ્તો અને ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો. ઇજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક પુરુષને વધુ સારવાર માટે સુરત જ્યારે અન્ય 5 ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તો
નરગીસ રઈશ શેખ
આકિલ ચાર્લી
મુસ્તકીન શબ્બીર કુરેશી
સામિયા ઉસ્માન શેખ
નગમા શાબિર શેખ
સોનુ કમાલ સૈયદ
જીતેન્દ્ર ગજાનંદ દુર્લભ
(તમામ રહે. બૈગનવાડી મુંબઈ)
અંકલેશ્વરથી પેસેન્જરોને નવી જ કારમાં ભરૂચ રેલવે સ્ટેશન છોડવા જતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત બન્યો
મૂળ મુંબઈના 7 પેસેન્જરો પૈકી બે ઇજાગ્રસ્તોને સુરત જયારે 5 ને ભરૂચ સિવિલમાં ખસેડાયા
પલટી મારેલી ERTIGA કારને છતી કરી લોકો અને 108 એ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા
WatchGujarat. અંકલેશ્વરથી નવી અર્ટિગામાં મુંબઈના 7 પેસેન્જરોને સોમવારે મોડી રાતે ભરૂચ રેલવે સ્ટેશને છોડવા જતા ભૂતમામાની દેરી પાસે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ઝાડમાં અથડાઈ રસ્તાની બાજુમાં ખાડામાં પલટી મારી જતા કાર ચાલકનું મોત થયું હતું. જ્યારે 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
અંકલેશ્વરના પીરામણ ગામે હવા મહેલ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય આદિલ ઉસ્માન ચૌહાણ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના સસરા આબીદ ગુલામહુસેન પઠાણની નવી અર્ટિગા કાર લઈ સોમવારે રાતે નિકળા હતા. અંકલેશ્વરથી મૂળ મુંબઈના બૈગનવાડી ખાતે રહેતા પેસેન્જરોને લઈ ભરૂચ સ્ટેશન જઇ રહ્યા હતા. ભરૂચ-અંકલેશ્વર જુના ને.હા. 8 ઉપર છાપરા પાટિયા પાસે ભૂતમામા ડેરી નજીક આદિલે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
કાર બાવળના ઝાડમાં અથડાઈ ખાડીમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે કારમાં સવાર 3 મહિલા સહિત 7 મુસાફરોએ બુમરાણ મચાવી હતી. જોકે કાર ચાલક આદિલ ચૌહાણનું માથામાં ગંભીર ઇજાને પગલે મોત થયું હતું. જમાઈ લઈને નીકળેલા કારનો અકસ્માત થયો હોવાનું ફોન કરી પાડોશીએ સસરા આબીદ પઠાણને 11.30 કલાકે જણાવતા તેઓ સ્થળ પર જવા રવાના થયા હતા.
બીજી તરફ અન્ય વાહનચાલકો ઘટના સ્થળે ભેગા થઈ જવા સાથે 108 અને પોલીને જાણ કરી રાહત બચાવની કામગીરી હાથ ધરાઈ હતી. પલટી મારેલી અર્ટીગા કારને સીધી કરી તેમાં ફસાયેલા 7 ઇજાગ્રસ્તો અને ચાલકના મૃતદેહને બહાર કઢાયો હતો. ઇજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક પુરુષને વધુ સારવાર માટે સુરત જ્યારે અન્ય 5 ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.