ધો. 10 માં શિક્ષકે કહ્યું હાથમાં ગણિતની રેખા નથી, કોલેજમાં ક્લાર્કએ કહ્યું અંગ્રેજીમાં નામ લખતા નથી આવડતું યુનિવર્સીટીનું નામ ડૂબાડશે
મેથ્સમાં માસ્ટર બની, ઇંગ્લિશમાં સુપિરિયર થઈ, આર્ટ્સના છાત્રે અદમ્ય ઇચ્છાશક્તિથી અંગ્રેજીમાં જ તે પણ CSAT સાથે IAS પરીક્ષા પાસ કરી
IAS ની તૈયારી દરમિયાન પિતાનું ઓપરેશન અને ભાઈને અકસ્માતમાં હેડ ઈંજરી વચ્ચે પણ પરિવારના સથવારે હાંસલ કર્યું લક્ષ્ય
પિતાએ ઓપરેશન બાદ આંખ ખોલતા જ કહ્યું હતું, મારી લાશ પરથી પણ પસાર થવું પડે તો પણ થજે પણ IAS બની ને જ રહેજે, જે એક શબ્દે મનોબળને હિમાલય જેટલું મજબૂત કરી દીધું
ગુજરાત 2012 ની બેચના યુથ આઇકોન અને ઇન્સ્પ્રેશન એવા તુષાર સુમારેનો આજે 40 મો જન્મદિવસ
ગુજ્જુ યુવાનોએ UPSC ની પરીક્ષા પાસ કરવી હોય તો ભરૂચના કલેકટરની વિદ્યાસહાયકથી સંઘર્ષ સાથેની IAS સુધીની સક્સેસ સ્ટોરી જાણવી જ રહી
Government work is God's work જેમનો જીવન મંત્ર છે એવા ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમારેનો આજે જન્મદિવસ છે
ગુજરાતી યુવાન કેવી રીતે પાસ કરશે UPSC અને બનશે IAS નું ઝળહળતું સફળ દ્રષ્ટાંત એટલે ભરૂચ જિલ્લા સમાહર્તા
સેલ્ફ ડાઉટ ને બદલે સેલ્ફ કોન્ફિડન્સ વધારો સક્સેસ જરૂર મળશે, UPSC જ્ઞાનની પરીક્ષા નહિ પણ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેની પરીક્ષા : Bharuch Collector
ભરૂચના સાંસદ હંમેશા કહ્યા કહે છે કેમ કોઈ ગુજરાતી યુવાનો કલેકટર ઓછા બને છે તો આપણા યુવા ગુજ્જુ કલેકટરની સફળ સફર અને શીખ દરેક શિક્ષક અને યુવાને ગ્રહણ કરવી જ રહી
UPSC ની પ્રિલીમમાં 4 વખત નાપાસ, મક્કમ મનોબળે પાંચમા પ્રયત્ને પરીક્ષા પાસ કરી બન્યા કલેકટર
ધો. 10 માં IAS તુષાર સુમારેના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં હતા માત્ર 35-35 ગુણ, શિક્ષકે કહ્યું હતું તારા જેવો સ્ટુડન્ટ બોર્ડમાં લાગવગે જ પોઇન્ટ પર પાસ થવો હોવો જોઈએ
WatchGujarat.com ની ભરૂચ યુવા કલેકટર સાથે તેમના જન્મદિવસે સફળતાની સફરની સ્ટોરી તેમના જ શબ્દોમાં
વિક્કી જોશી. હું ધો. 10 માં મુખ્ય વિષયોમાં પાર્સિંગ માર્ક્સ સાથે પાસ થયો. શિક્ષકે કહ્યું ભાઈ તું જા તારા હાથમાં તો ગણિતની રેખા જ નથી. કોલેજમાં ફોર્મ ભરતા નામમાં અંગ્રેજીમાં ભૂલ કરી અને ક્લાર્કએ કહ્યું તું તો યુનિવર્સીટીનું નામ ડૂબાડશે. કંગાળ ગણિત અને અંગ્રેજીને કદાવર બનાવી UPSC ની પરીક્ષા CSAT સાથે પાસ કરી આર્ટસના વિદ્યાર્થી અને 2500 રૂપિયાના પગારદાર વિદ્યાસહાયકમાંથી IAS બનેલા ભરૂચના કલેકટર તુષાર સુમેરા આજે તમામ ગુજરાતી વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસે સંદેશ આપી રહ્યા છે કે અદમ્ય ઇચ્છાશક્તિ અને કમિટમેન્ટ સાથે તમે પણ કલેકટર (IAS) બની શકો છો. અશક્ય કઈ નથી. WatchGujarat.com ની ભરૂચ યુવા કલેકટર સાથે તેમના જન્મદિવસે સફળતાની સફરની સ્ટોરી તેમના જ શબ્દોમાં, જે ગુજરાતના UPSC ની પરીક્ષા આપવા ઇચ્છતા વિધાર્થીઓ-યુવાઓ માટે ગોલ એચિવર પુરવાર થશે.
સફળતાની કોઈ ફોમ્યુલા હોતી નથી, તમારો આત્મવિશ્વાસ, મનોબળ, લગન અને લક્ષ્ય જ અને તેની સિદ્ધ કરવા માટે તમારી અથાગ મહેનત જ સફળતાનો પર્યાય અને બીજાઓ માટે તમને આદર્શ બનાવે છે. વાત છે આજે જેમનો જન્મદિવસ છે તેવા યુવા IAS અને ભરૂચના કલેકટર તુષાર સુમેરાની. દેશની સૌથી ટફેસ્ટ UPSC ( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની પરીક્ષામાં 4 વખત ફેઈલ થયા બાદ 5 માં પ્રયત્ને પાસ થઈ IAS ( ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ) બનવાની ગુજરાત કેડરના 2012 ની બેંચના સુરેન્દ્રનગરના એક વિદ્યાસહાયક (શિક્ષક) માંથી જિલ્લા સમહર્તા બનેલા યુવાનની.
જે છોકરાને SSC ધો.10 ની પરીક્ષામાં મુખ્ય વિષયો ગણિત , વિજ્ઞાન અને અંગ્રેજીમાં ફક્ત 35 ગુણ મળ્યા હોય અને જેને તેના ટીચરે ટોણો મારતાં કહ્યું હોય કે, શિક્ષણ બોર્ડમાં તારા કોઇ સગાં કે ઓળખીતા હશે એટલે તને આ પાસિંગ માર્ક્સ આપીને પાસ કર્યો હશે , બાકી તું પાસ થઇ શકે એમ જ નથી. અને આ છોકરો UPSC પરીક્ષા પાસ કરીને IAS જિલ્લા કલેક્ટર બને ત્યારે તેમને સેલ્યૂટ કરવાનું જ મન થાય.
આ સિદ્ધિ મેળવી છે , સુરેન્દ્રનગરના IAS તુષાર સુમેરાએ. અત્યાર સુધી તેઓ બોટાદના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેમની બદલી ભરૂચના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તુષાર સુમેરાના પિતા દલપતભાઇ સુમેરા ખેતીવાડી ખાતામાં ફિલ્ડ સુપરવાઇઝર હતા. તેમનાં માતા ગૌરીબેન વઢવાણામાં શિક્ષિકા હતાં. સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશન લીધું હતું.
ભરૂચ જિલ્લા Collector તુષાર સુમેરાએ પ્રાથમિક અભ્યાસ ચોટીલાથી કર્યો છે. પછી રાજકોટમાં ધો . 8 થી 12 નો અભ્યાસ કર્યો. ધો. 10 માં તેમને ત્રણ મુખ્ય વિષયોમાં પોઇન્ટ ઉપર પાર્સિંગ માર્ક્સ મળ્યા હતા. ત્યારે શિક્ષકે ટોણો માર્યો હતો કે , તારા જેવા વિદ્યાર્થી પાસ જ ન થાય . તું લાગવગથી જ પાસ થયો હશે ધોરણ 12 પાસ થયા પછી સુરેન્દ્રનગરની કોલેજમાંથી B.A. ( ઇંગ્લિશ ) કર્યું.
ભરૂચના આપણાં સાંસદ મનસુખ વસાવા હંમેશા કહ્યા કહે છે કેમ કોઈ ગુજરાતી યુવાનો કલેકટર ઓછા બને છે તો આપણા યુવા ગુજ્જુ કલેકટરની સફળ સફર અને શીખ દરેક શિક્ષક અને યુવાને ગ્રહણ કરવી જ રહી. જેને રોલ મોડલ બનાવી ગુજરાતી યુવાનો પણ UPSC ની પરીક્ષા ક્રેક કરી શકે છે.
જે તે સમયે અંગ્રજીમાં નબળા IAS એ B.A..ના પ્રવેશફોર્મમાં તેમના નામનો પહેલો અક્ષર ‘T’ સ્મોલ અને છેલ્લો અક્ષર ‘R’ કૅપિટલમાં લખ્યો હતો. આ જોઈને કોલેજ ક્લાર્કે ટોણો માર્યો હતો કે , તારા જેવા નામ લખવામાં ભૂલ કરે , તે આગળ ન વધી શકે. આમ છતાં મજબૂત મનોબળ કર્યું હતું. મને થતું કે , બીજા માણસો કાળા માથાના છે , હું પણ કાળા માથાનો છે. બીજાને અંગ્રેજી સારી રીતે આવડે તો મને કેમ ન આવડે. બીજા બધા લોકો ફટાફટ અંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી. આવા વિચાર સાથે ખુબ મહેનત શરૂ કરી.
અંગ્રેજીમાં B.Ed. ના વાર્ષિક પાઠમાં મેળવ્યા 25 માંથી 25 ગુણ
યુવા IAS બી.એ.માં દરરોજ 12 થી 14 કલાક શિક્ષણ પાછળ કાઢતા હતા. B.A. ( અંગ્રેજી ) માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા. આ પછી રાજકોટ આવીને M.A. કર્યું . પછી જૂનાગઢ જઇને B.Ed. કર્યું , તે પણ ઇંગ્લિશમાં. તેના વાર્ષિક પાઠમાં તેમને 25 માંથી પૂરેપૂરા 25 માર્ક્સ મળ્યા હતા. બી.એડ. કર્યા પછી ચોટીલામાં વિદ્યાસહાયક તરીકે 2500 રૂપિયાના ફિક્સ પગારમાં નોકરી કરી. અઢી ત્રણ વર્ષ નોકરી કરી , પણ તેમાં મજા આવતી નહોતી.
IAS ની પરીક્ષાની તૈયારી દરમિયાન જ બજારમાંથી નર્સરીની બુક ખરીદી કર્સી રાઇટિંગ શીખ્યા અને હેન્ડ રાઇટિંગ સુધાર્યા, મેથ્સ અને ઇંગ્લિશમાં મહારથ હાંસલ કરી UPSC નું મેદાન કર્યું ફતેહ
IAS ની પરીક્ષાની તૈયારી દરમિયાન તુષાર સુમેરાના જીવનમાં બે મહત્વની ઘટનાઓ બની હતી. તેમના રૂમથી થોડે જ દૂર હોસ્પિટલમાં પિતાનું ઓપરેશન થઈ રહ્યું હતું. જે બાદમાં તેમને ખબર પડતાં પિતાને મળવા જતા પિતાએ આંખ ખોલતા જ પેહલા શબ્દો ઉચાર્યા હતા કે, બેટા મારી લાશ પરથી પણ પસાર થવું પડે તો પણ IAS બની ને જ રહેજે. આ તો એકમાત્ર ઓપરેશન છે. બીજી ઘટના તેઓના બન્ને ભાઈ તેમને લેવા જતા હતા ત્યારે એલિસબ્રિજ ઉપર અકસ્માતમાં તેમના ભાઈને હેડ ઈંજરી થઈ હતી.
વિદ્યાસહાયકની 2500 ની નોકરી છોડી અને પછી IAS બનવા માટે પાછળ વળીને જોયું નથી તે જીવનનું સૌથી મહત્વનું પગલું. આર્ટ્સનો વિદ્યાર્થી જેને ગણિતમાં 7 માં ધોરણ ના ઘડિયાથી વધારે કઈ ના આવડે તે CSAT માં મેથ્સમાં પારંગત થઈ IAS બને તે યુવાનો માટે સૌથી પ્રેરણાદાયક. એંગ્રેજી માં પોતાનું નામ લખતા ન આવડે તે આર્ટ્સનો વિદ્યાર્થી સમગ્ર દેશમાં UPSC ની પરીક્ષા ગુજરાતીમાં અપાઈ શકે તેમ હોવા છતાં અંગ્રેજીમાં જ જીદે જીતે પાસ થાય તે પણ એક મોટી ઉપલબ્ધી ગણી શકાય.
જીવનમાં વિલ પાવર, જીતવાની જીત, કંઈપણ અશક્ય નથી, મનની મર્યાદાઓને તોડવા સાથે પરિવારમાં માતા-પિતા, ભાઈઓ, પત્નીના સંઘર્ષ અને સ્પોર્ટથી આજે આ મુકામે હોવાનો તેઓ ગર્વ અનુભવે છે.
શિક્ષક એક સ્કૂલમાં એક બે પેઢી સુધારી શકે, સમગ્ર સમાજનું ભલું કરવાના વિચાર સાથે વહીવટી પરીક્ષા શરૂ કરી
શિક્ષક તો માત્ર એક ગામમાં એક સ્કૂલની એક કે બે પેઢી સુધારી શકે , પણ સમગ્ર સમાજનું ભલું થઇ શકે એવું કંઇ કરવું જોઇએ. જે વિચાર સાથે તુષાર સુમેરા એ વહીવટી પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. યુપીએસસી પરીક્ષા ગુજરાતી સાહિત્ય અને સમાજશાસ્ત્ર વિષય સાથે અંગ્રેજી મીડિયમમાં આપી. પાંચમા પ્રયાસે આ પરીક્ષા પાસ કરી હતી. પહેલી ત્રણમાં પ્રીલિમ પાસ થયો નહોતો. ભારતમાં યુપીએસસીની પહેલી સી સેટ આવી તેમાં તેઓ પાસ થયા હતા.
બધાને મારા ઉપર બહુ જ વિશ્વાસ હતો
તુષાર સુમેરા કહે છે કે , મને મારામાં નહોતો એટલો વિશ્વાસ બીજાઓને હતો. વિદ્યાસહાયક હતો , ત્યારે રાજકોટના DEO વિનોદ રાવ સર હતા . એમણે કહેલું કે તમે IAS બની શકશો આ પછી સ્પીપામાં ગયો ત્યાં સતીપ પટેલ અને જસવંત આચાર્ય જેવા અધિકારીઓ કહેતા કે , તું આઇએએસ બનવાનો જ છે. એ બધાને મારા પર બહુ જ વિશ્વાસ હતો. જે જોઇને તેમના માતા-પિતા , ભાઇઓ અને પત્ની કોમલે ખૂબ જ સાથ સહકાર આપ્યો પરિવારનો સહકાર આવા સમયે ખૂબ જ જરૂરી હોય છે. આટલા બધાનો વિશ્વાસ હતો , પછી તેઓ પાછા કેમ પડે.
રોજ 14-15 કલાકનું વાંચન સાથે તુષાર સુમેરાએ SPIPA માં 4 વર્ષ તૈયારી કરી
અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમની પસંદગી થયા ત્યારે પણ દરરોજ 14 થી 15 કલાકનું વાંચન - લેખન રહેતું હતું. એ પછી એવરેજ 10 કલાકની તૈયારીથી 4 વર્ષ સુધી સતત અને સખત પરિશ્રમ કર્યો હતો. પરીક્ષા માટેની તૈયારીમાં મોટા ભાગે એન.સી.ઇ.આર.ટી.ની બુક્સ , દૂરદર્શનની લોકસભા - રાજ્યસભાના ચેનલના ડિસ્કશન પ્રોગ્રામ તેમને ઘણા જ ઉપયોગી થયા.
અને ઇન્ટરવ્યૂમાં તેમને પુછાયું... વિકાસ માટે ઝૂંપડપટ્ટી તોડવાની...
CSE માં ત્રણ ચરણ હોય છે પ્રીમિલનરી, મેઈન એક્ઝામ અને છેલ્લે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં તેમને પૂછાયું હતું કે, શહેરના વિકાસ માટે ઝૂંપડપટ્ટી તોડવાની હોય તો શું કરો. ત્યારે તેઓએ કહ્યું કે , લોકોનું ખરાબ કરીને વિકાસ ન થાય , એમ હું માનું છું એક મેડમે પ્રશ્ન કર્યો કે , કચ્છનો ભૂકંપ ગુજરાત માટે આશીર્વાદરૂપ નીવડ્યો એમ કહી શકાય. તેનો તેમણે જવાબ આપ્યો હતો કે, મારા ગુજરાતમાં ભૂકંપથી 18 હજાર લોકો મરી ગયા હોય એ દુઃ ખદ દુર્ઘટના જ ગણાય , તેને આશીર્વાદરૂપ કેમ કહીએ.
UPSC ની પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો માટે તેમની સક્સેસ ફોર્મ્યુલા
સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ મહત્ત્વનો છે. યુપીએસસી એ જ્ઞાનની પરીક્ષા નથી , પણ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેની પરીક્ષા છે. મર્યાદા બધાની હોય છે , પણ લક્ષ્ય નક્કી કરો પછી તેને સિદ્ધ કરવા આત્મવિશ્વાસ સાથે મહેનત કરો. આપણી ઉપર ડાઉટ શરૂ થાય તો જ સફળતા મળતી નથી. સેલ્ફ ડાઉટને બદલે સેલ્ફ - કોન્ફિડન્સ વધારો.
મહીંને 2500 પગારની ફિક્સ નોકરી કરતા વિદ્યા સહાયકને કલેકટરને જોઈ વિચાર આવ્યો બનવું હોય તો IAS થવાય અને બની ગયા કલેકટર
તુષાર સુમેરા ભણતર પૂર્ણ કરીને મહિને ₹ 2500 ના ફિક્સ પગાર સાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેક્ટર આવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે થવું હોય તો કલેક્ટર થવાય. બધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈને યુ.પી.એસ.સીની તૈયારીઓ ચાલુ કરી. તેમની 2007માં સ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડ મહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ(નાપાસ) થયા બાદ પાંચમા પ્રયત્ને સફળ થયા.
આસાન નથી સફર, વર્ષે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ UPSC માટે કરાવે છે નોંધણી અને માંડ 1000 જેટલા થાય છે પસંદ
દેશમાં વર્ષે UPSC માટે 15 લાખ જેટલા વિધાર્થીઓ નોંધણી છે, તેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે છે. તેમાંથી અંદાજે 11-12 હજાર વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા માટે પસંદ થાય છે. તેમાંથી 3800 જેટલા વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-1 માટે અને 3700 વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-2 માટે પસંદ થાય છે. તેમાંથી અંદાજે 2000 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે પસંદ થતા હોય છે. જેમાંથી મેડિકલ ટેસ્ટમાં પાસ થઈને છેલ્લે 1000 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામે છે. આ આંકડાઓ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, યુ.પી.એસ.સી. એટલે દેશમાં સૌથી ટફ ટેસ્ટ.
UPSC પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી
સતત 5 વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ તુષાર સુમેરા આઈ.એ.એસ. બની શક્યા. તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, હું સ્પીપામાં જોડાયો, ત્યારે રોજના 14 થી 15 કલાક વાંચતો. ત્યારબાદ 10 કલાકની સરેરાશથી 4 વર્ષ સુધી તનતોડ મહેનત કરી. અંતે, 2012 માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એ પણ IAS કેડર સાથે અને તેમની નિમણુક પણ થઇ ગુજરાત રાજ્યમાં.
દરેક બ્યુરોક્રેટસની ઓફિસની જેમ યુવા IAS ની ખુરશીની પાછળ ભારતનું રાજચિન્હ અને સત્યમેવજયતે લખ્યું છે, પણ તેમની સામે Government work is God’s work નું લખાણ તેમનો જીવનમંત્ર છે
ભરૂચ કલેકટર અને D.M. તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું ‘રાજચિન્હ‘ અને ‘સત્યમેવ જયતે‘ લખેલું છે. આવું તો દરેક સરકારી ઓફિસમાં જોવા મળે, પરંતુ તેઓ બેસે છે એની બરાબર સામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું રહે છે કે, Government work is God’s work’ અર્થાત સરકારનું કામ એ ભગવાનનું કામ છે. આવું લખાણ લખવા પાછળ તેઓનું કેહવું છે કે, સામે લખેલું લખાણ વાંચીને તેમને હંમેશા એવો વિચાર આવે કે કોઈપણ કામ કરીએ એ ઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીએ.
ધો. 10 માં શિક્ષકે કહ્યું હાથમાં ગણિતની રેખા નથી, કોલેજમાં ક્લાર્કએ કહ્યું અંગ્રેજીમાં નામ લખતા નથી આવડતું યુનિવર્સીટીનું નામ ડૂબાડશે
મેથ્સમાં માસ્ટર બની, ઇંગ્લિશમાં સુપિરિયર થઈ, આર્ટ્સના છાત્રે અદમ્ય ઇચ્છાશક્તિથી અંગ્રેજીમાં જ તે પણ CSAT સાથે IAS પરીક્ષા પાસ કરી
IAS ની તૈયારી દરમિયાન પિતાનું ઓપરેશન અને ભાઈને અકસ્માતમાં હેડ ઈંજરી વચ્ચે પણ પરિવારના સથવારે હાંસલ કર્યું લક્ષ્ય
પિતાએ ઓપરેશન બાદ આંખ ખોલતા જ કહ્યું હતું, મારી લાશ પરથી પણ પસાર થવું પડે તો પણ થજે પણ IAS બની ને જ રહેજે, જે એક શબ્દે મનોબળને હિમાલય જેટલું મજબૂત કરી દીધું
ગુજરાત 2012 ની બેચના યુથ આઇકોન અને ઇન્સ્પ્રેશન એવા તુષાર સુમારેનો આજે 40 મો જન્મદિવસ
ગુજ્જુ યુવાનોએ UPSC ની પરીક્ષા પાસ કરવી હોય તો ભરૂચના કલેકટરની વિદ્યાસહાયકથી સંઘર્ષ સાથેની IAS સુધીની સક્સેસ સ્ટોરી જાણવી જ રહી
Government work is God's work જેમનો જીવન મંત્ર છે એવા ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમારેનો આજે જન્મદિવસ છે
ગુજરાતી યુવાન કેવી રીતે પાસ કરશે UPSC અને બનશે IAS નું ઝળહળતું સફળ દ્રષ્ટાંત એટલે ભરૂચ જિલ્લા સમાહર્તા
સેલ્ફ ડાઉટ ને બદલે સેલ્ફ કોન્ફિડન્સ વધારો સક્સેસ જરૂર મળશે, UPSC જ્ઞાનની પરીક્ષા નહિ પણ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેની પરીક્ષા : Bharuch Collector
ભરૂચના સાંસદ હંમેશા કહ્યા કહે છે કેમ કોઈ ગુજરાતી યુવાનો કલેકટર ઓછા બને છે તો આપણા યુવા ગુજ્જુ કલેકટરની સફળ સફર અને શીખ દરેક શિક્ષક અને યુવાને ગ્રહણ કરવી જ રહી
UPSC ની પ્રિલીમમાં 4 વખત નાપાસ, મક્કમ મનોબળે પાંચમા પ્રયત્ને પરીક્ષા પાસ કરી બન્યા કલેકટર
ધો. 10 માં IAS તુષાર સુમારેના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં હતા માત્ર 35-35 ગુણ, શિક્ષકે કહ્યું હતું તારા જેવો સ્ટુડન્ટ બોર્ડમાં લાગવગે જ પોઇન્ટ પર પાસ થવો હોવો જોઈએ
WatchGujarat.com ની ભરૂચ યુવા કલેકટર સાથે તેમના જન્મદિવસે સફળતાની સફરની સ્ટોરી તેમના જ શબ્દોમાં
વિક્કી જોશી. હું ધો. 10 માં મુખ્ય વિષયોમાં પાર્સિંગ માર્ક્સ સાથે પાસ થયો. શિક્ષકે કહ્યું ભાઈ તું જા તારા હાથમાં તો ગણિતની રેખા જ નથી. કોલેજમાં ફોર્મ ભરતા નામમાં અંગ્રેજીમાં ભૂલ કરી અને ક્લાર્કએ કહ્યું તું તો યુનિવર્સીટીનું નામ ડૂબાડશે. કંગાળ ગણિત અને અંગ્રેજીને કદાવર બનાવી UPSC ની પરીક્ષા CSAT સાથે પાસ કરી આર્ટસના વિદ્યાર્થી અને 2500 રૂપિયાના પગારદાર વિદ્યાસહાયકમાંથી IAS બનેલા ભરૂચના કલેકટર તુષાર સુમેરા આજે તમામ ગુજરાતી વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસે સંદેશ આપી રહ્યા છે કે અદમ્ય ઇચ્છાશક્તિ અને કમિટમેન્ટ સાથે તમે પણ કલેકટર (IAS) બની શકો છો. અશક્ય કઈ નથી. WatchGujarat.com ની ભરૂચ યુવા કલેકટર સાથે તેમના જન્મદિવસે સફળતાની સફરની સ્ટોરી તેમના જ શબ્દોમાં, જે ગુજરાતના UPSC ની પરીક્ષા આપવા ઇચ્છતા વિધાર્થીઓ-યુવાઓ માટે ગોલ એચિવર પુરવાર થશે.
સફળતાની કોઈ ફોમ્યુલા હોતી નથી, તમારો આત્મવિશ્વાસ, મનોબળ, લગન અને લક્ષ્ય જ અને તેની સિદ્ધ કરવા માટે તમારી અથાગ મહેનત જ સફળતાનો પર્યાય અને બીજાઓ માટે તમને આદર્શ બનાવે છે. વાત છે આજે જેમનો જન્મદિવસ છે તેવા યુવા IAS અને ભરૂચના કલેકટર તુષાર સુમેરાની. દેશની સૌથી ટફેસ્ટ UPSC ( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની પરીક્ષામાં 4 વખત ફેઈલ થયા બાદ 5 માં પ્રયત્ને પાસ થઈ IAS ( ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ) બનવાની ગુજરાત કેડરના 2012 ની બેંચના સુરેન્દ્રનગરના એક વિદ્યાસહાયક (શિક્ષક) માંથી જિલ્લા સમહર્તા બનેલા યુવાનની.
જે છોકરાને SSC ધો.10 ની પરીક્ષામાં મુખ્ય વિષયો ગણિત , વિજ્ઞાન અને અંગ્રેજીમાં ફક્ત 35 ગુણ મળ્યા હોય અને જેને તેના ટીચરે ટોણો મારતાં કહ્યું હોય કે, શિક્ષણ બોર્ડમાં તારા કોઇ સગાં કે ઓળખીતા હશે એટલે તને આ પાસિંગ માર્ક્સ આપીને પાસ કર્યો હશે , બાકી તું પાસ થઇ શકે એમ જ નથી. અને આ છોકરો UPSC પરીક્ષા પાસ કરીને IAS જિલ્લા કલેક્ટર બને ત્યારે તેમને સેલ્યૂટ કરવાનું જ મન થાય.
આ સિદ્ધિ મેળવી છે , સુરેન્દ્રનગરના IAS તુષાર સુમેરાએ. અત્યાર સુધી તેઓ બોટાદના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેમની બદલી ભરૂચના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તુષાર સુમેરાના પિતા દલપતભાઇ સુમેરા ખેતીવાડી ખાતામાં ફિલ્ડ સુપરવાઇઝર હતા. તેમનાં માતા ગૌરીબેન વઢવાણામાં શિક્ષિકા હતાં. સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશન લીધું હતું.
ભરૂચ જિલ્લા Collector તુષાર સુમેરાએ પ્રાથમિક અભ્યાસ ચોટીલાથી કર્યો છે. પછી રાજકોટમાં ધો . 8 થી 12 નો અભ્યાસ કર્યો. ધો. 10 માં તેમને ત્રણ મુખ્ય વિષયોમાં પોઇન્ટ ઉપર પાર્સિંગ માર્ક્સ મળ્યા હતા. ત્યારે શિક્ષકે ટોણો માર્યો હતો કે , તારા જેવા વિદ્યાર્થી પાસ જ ન થાય . તું લાગવગથી જ પાસ થયો હશે ધોરણ 12 પાસ થયા પછી સુરેન્દ્રનગરની કોલેજમાંથી B.A. ( ઇંગ્લિશ ) કર્યું.
ભરૂચના આપણાં સાંસદ મનસુખ વસાવા હંમેશા કહ્યા કહે છે કેમ કોઈ ગુજરાતી યુવાનો કલેકટર ઓછા બને છે તો આપણા યુવા ગુજ્જુ કલેકટરની સફળ સફર અને શીખ દરેક શિક્ષક અને યુવાને ગ્રહણ કરવી જ રહી. જેને રોલ મોડલ બનાવી ગુજરાતી યુવાનો પણ UPSC ની પરીક્ષા ક્રેક કરી શકે છે.
જે તે સમયે અંગ્રજીમાં નબળા IAS એ B.A..ના પ્રવેશફોર્મમાં તેમના નામનો પહેલો અક્ષર ‘T’ સ્મોલ અને છેલ્લો અક્ષર ‘R’ કૅપિટલમાં લખ્યો હતો. આ જોઈને કોલેજ ક્લાર્કે ટોણો માર્યો હતો કે , તારા જેવા નામ લખવામાં ભૂલ કરે , તે આગળ ન વધી શકે. આમ છતાં મજબૂત મનોબળ કર્યું હતું. મને થતું કે , બીજા માણસો કાળા માથાના છે , હું પણ કાળા માથાનો છે. બીજાને અંગ્રેજી સારી રીતે આવડે તો મને કેમ ન આવડે. બીજા બધા લોકો ફટાફટ અંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી. આવા વિચાર સાથે ખુબ મહેનત શરૂ કરી.
અંગ્રેજીમાં B.Ed. ના વાર્ષિક પાઠમાં મેળવ્યા 25 માંથી 25 ગુણ
યુવા IAS બી.એ.માં દરરોજ 12 થી 14 કલાક શિક્ષણ પાછળ કાઢતા હતા. B.A. ( અંગ્રેજી ) માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા. આ પછી રાજકોટ આવીને M.A. કર્યું . પછી જૂનાગઢ જઇને B.Ed. કર્યું , તે પણ ઇંગ્લિશમાં. તેના વાર્ષિક પાઠમાં તેમને 25 માંથી પૂરેપૂરા 25 માર્ક્સ મળ્યા હતા. બી.એડ. કર્યા પછી ચોટીલામાં વિદ્યાસહાયક તરીકે 2500 રૂપિયાના ફિક્સ પગારમાં નોકરી કરી. અઢી ત્રણ વર્ષ નોકરી કરી , પણ તેમાં મજા આવતી નહોતી.
IAS ની પરીક્ષાની તૈયારી દરમિયાન જ બજારમાંથી નર્સરીની બુક ખરીદી કર્સી રાઇટિંગ શીખ્યા અને હેન્ડ રાઇટિંગ સુધાર્યા, મેથ્સ અને ઇંગ્લિશમાં મહારથ હાંસલ કરી UPSC નું મેદાન કર્યું ફતેહ
IAS ની પરીક્ષાની તૈયારી દરમિયાન તુષાર સુમેરાના જીવનમાં બે મહત્વની ઘટનાઓ બની હતી. તેમના રૂમથી થોડે જ દૂર હોસ્પિટલમાં પિતાનું ઓપરેશન થઈ રહ્યું હતું. જે બાદમાં તેમને ખબર પડતાં પિતાને મળવા જતા પિતાએ આંખ ખોલતા જ પેહલા શબ્દો ઉચાર્યા હતા કે, બેટા મારી લાશ પરથી પણ પસાર થવું પડે તો પણ IAS બની ને જ રહેજે. આ તો એકમાત્ર ઓપરેશન છે. બીજી ઘટના તેઓના બન્ને ભાઈ તેમને લેવા જતા હતા ત્યારે એલિસબ્રિજ ઉપર અકસ્માતમાં તેમના ભાઈને હેડ ઈંજરી થઈ હતી.
વિદ્યાસહાયકની 2500 ની નોકરી છોડી અને પછી IAS બનવા માટે પાછળ વળીને જોયું નથી તે જીવનનું સૌથી મહત્વનું પગલું. આર્ટ્સનો વિદ્યાર્થી જેને ગણિતમાં 7 માં ધોરણ ના ઘડિયાથી વધારે કઈ ના આવડે તે CSAT માં મેથ્સમાં પારંગત થઈ IAS બને તે યુવાનો માટે સૌથી પ્રેરણાદાયક. એંગ્રેજી માં પોતાનું નામ લખતા ન આવડે તે આર્ટ્સનો વિદ્યાર્થી સમગ્ર દેશમાં UPSC ની પરીક્ષા ગુજરાતીમાં અપાઈ શકે તેમ હોવા છતાં અંગ્રેજીમાં જ જીદે જીતે પાસ થાય તે પણ એક મોટી ઉપલબ્ધી ગણી શકાય.
જીવનમાં વિલ પાવર, જીતવાની જીત, કંઈપણ અશક્ય નથી, મનની મર્યાદાઓને તોડવા સાથે પરિવારમાં માતા-પિતા, ભાઈઓ, પત્નીના સંઘર્ષ અને સ્પોર્ટથી આજે આ મુકામે હોવાનો તેઓ ગર્વ અનુભવે છે.
શિક્ષક એક સ્કૂલમાં એક બે પેઢી સુધારી શકે, સમગ્ર સમાજનું ભલું કરવાના વિચાર સાથે વહીવટી પરીક્ષા શરૂ કરી
શિક્ષક તો માત્ર એક ગામમાં એક સ્કૂલની એક કે બે પેઢી સુધારી શકે , પણ સમગ્ર સમાજનું ભલું થઇ શકે એવું કંઇ કરવું જોઇએ. જે વિચાર સાથે તુષાર સુમેરા એ વહીવટી પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. યુપીએસસી પરીક્ષા ગુજરાતી સાહિત્ય અને સમાજશાસ્ત્ર વિષય સાથે અંગ્રેજી મીડિયમમાં આપી. પાંચમા પ્રયાસે આ પરીક્ષા પાસ કરી હતી. પહેલી ત્રણમાં પ્રીલિમ પાસ થયો નહોતો. ભારતમાં યુપીએસસીની પહેલી સી સેટ આવી તેમાં તેઓ પાસ થયા હતા.
બધાને મારા ઉપર બહુ જ વિશ્વાસ હતો
તુષાર સુમેરા કહે છે કે , મને મારામાં નહોતો એટલો વિશ્વાસ બીજાઓને હતો. વિદ્યાસહાયક હતો , ત્યારે રાજકોટના DEO વિનોદ રાવ સર હતા . એમણે કહેલું કે તમે IAS બની શકશો આ પછી સ્પીપામાં ગયો ત્યાં સતીપ પટેલ અને જસવંત આચાર્ય જેવા અધિકારીઓ કહેતા કે , તું આઇએએસ બનવાનો જ છે. એ બધાને મારા પર બહુ જ વિશ્વાસ હતો. જે જોઇને તેમના માતા-પિતા , ભાઇઓ અને પત્ની કોમલે ખૂબ જ સાથ સહકાર આપ્યો પરિવારનો સહકાર આવા સમયે ખૂબ જ જરૂરી હોય છે. આટલા બધાનો વિશ્વાસ હતો , પછી તેઓ પાછા કેમ પડે.
રોજ 14-15 કલાકનું વાંચન સાથે તુષાર સુમેરાએ SPIPA માં 4 વર્ષ તૈયારી કરી
અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમની પસંદગી થયા ત્યારે પણ દરરોજ 14 થી 15 કલાકનું વાંચન - લેખન રહેતું હતું. એ પછી એવરેજ 10 કલાકની તૈયારીથી 4 વર્ષ સુધી સતત અને સખત પરિશ્રમ કર્યો હતો. પરીક્ષા માટેની તૈયારીમાં મોટા ભાગે એન.સી.ઇ.આર.ટી.ની બુક્સ , દૂરદર્શનની લોકસભા - રાજ્યસભાના ચેનલના ડિસ્કશન પ્રોગ્રામ તેમને ઘણા જ ઉપયોગી થયા.
અને ઇન્ટરવ્યૂમાં તેમને પુછાયું... વિકાસ માટે ઝૂંપડપટ્ટી તોડવાની...
CSE માં ત્રણ ચરણ હોય છે પ્રીમિલનરી, મેઈન એક્ઝામ અને છેલ્લે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં તેમને પૂછાયું હતું કે, શહેરના વિકાસ માટે ઝૂંપડપટ્ટી તોડવાની હોય તો શું કરો. ત્યારે તેઓએ કહ્યું કે , લોકોનું ખરાબ કરીને વિકાસ ન થાય , એમ હું માનું છું એક મેડમે પ્રશ્ન કર્યો કે , કચ્છનો ભૂકંપ ગુજરાત માટે આશીર્વાદરૂપ નીવડ્યો એમ કહી શકાય. તેનો તેમણે જવાબ આપ્યો હતો કે, મારા ગુજરાતમાં ભૂકંપથી 18 હજાર લોકો મરી ગયા હોય એ દુઃ ખદ દુર્ઘટના જ ગણાય , તેને આશીર્વાદરૂપ કેમ કહીએ.
UPSC ની પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો માટે તેમની સક્સેસ ફોર્મ્યુલા
સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ મહત્ત્વનો છે. યુપીએસસી એ જ્ઞાનની પરીક્ષા નથી , પણ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેની પરીક્ષા છે. મર્યાદા બધાની હોય છે , પણ લક્ષ્ય નક્કી કરો પછી તેને સિદ્ધ કરવા આત્મવિશ્વાસ સાથે મહેનત કરો. આપણી ઉપર ડાઉટ શરૂ થાય તો જ સફળતા મળતી નથી. સેલ્ફ ડાઉટને બદલે સેલ્ફ - કોન્ફિડન્સ વધારો.
મહીંને 2500 પગારની ફિક્સ નોકરી કરતા વિદ્યા સહાયકને કલેકટરને જોઈ વિચાર આવ્યો બનવું હોય તો IAS થવાય અને બની ગયા કલેકટર
તુષાર સુમેરા ભણતર પૂર્ણ કરીને મહિને ₹ 2500 ના ફિક્સ પગાર સાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેક્ટર આવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે થવું હોય તો કલેક્ટર થવાય. બધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈને યુ.પી.એસ.સીની તૈયારીઓ ચાલુ કરી. તેમની 2007માં સ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડ મહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ(નાપાસ) થયા બાદ પાંચમા પ્રયત્ને સફળ થયા.
આસાન નથી સફર, વર્ષે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ UPSC માટે કરાવે છે નોંધણી અને માંડ 1000 જેટલા થાય છે પસંદ
દેશમાં વર્ષે UPSC માટે 15 લાખ જેટલા વિધાર્થીઓ નોંધણી છે, તેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે છે. તેમાંથી અંદાજે 11-12 હજાર વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા માટે પસંદ થાય છે. તેમાંથી 3800 જેટલા વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-1 માટે અને 3700 વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-2 માટે પસંદ થાય છે. તેમાંથી અંદાજે 2000 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે પસંદ થતા હોય છે. જેમાંથી મેડિકલ ટેસ્ટમાં પાસ થઈને છેલ્લે 1000 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામે છે. આ આંકડાઓ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, યુ.પી.એસ.સી. એટલે દેશમાં સૌથી ટફ ટેસ્ટ.
UPSC પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી
સતત 5 વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ તુષાર સુમેરા આઈ.એ.એસ. બની શક્યા. તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, હું સ્પીપામાં જોડાયો, ત્યારે રોજના 14 થી 15 કલાક વાંચતો. ત્યારબાદ 10 કલાકની સરેરાશથી 4 વર્ષ સુધી તનતોડ મહેનત કરી. અંતે, 2012 માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એ પણ IAS કેડર સાથે અને તેમની નિમણુક પણ થઇ ગુજરાત રાજ્યમાં.
દરેક બ્યુરોક્રેટસની ઓફિસની જેમ યુવા IAS ની ખુરશીની પાછળ ભારતનું રાજચિન્હ અને સત્યમેવજયતે લખ્યું છે, પણ તેમની સામે Government work is God’s work નું લખાણ તેમનો જીવનમંત્ર છે
ભરૂચ કલેકટર અને D.M. તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું ‘રાજચિન્હ‘ અને ‘સત્યમેવ જયતે‘ લખેલું છે. આવું તો દરેક સરકારી ઓફિસમાં જોવા મળે, પરંતુ તેઓ બેસે છે એની બરાબર સામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું રહે છે કે, Government work is God’s work’ અર્થાત સરકારનું કામ એ ભગવાનનું કામ છે. આવું લખાણ લખવા પાછળ તેઓનું કેહવું છે કે, સામે લખેલું લખાણ વાંચીને તેમને હંમેશા એવો વિચાર આવે કે કોઈપણ કામ કરીએ એ ઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીએ.