અન્ય 23 નો ટેસ્ટ 8 દિવસ બાદ કરાશે, તમામ હાલ હોમ આઇસોલેટ
જિલ્લામાં દક્ષિણ આફ્રિકાથી આવતા કે જતા લોકોની સંખ્યા વધુ હોય ત્યારે પ્રશાસન સાથે પરિવારોમાં પણ ચિંતા
WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ હોય કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 34 લોકોને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી આવેલા 34 લોકોને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ અપાઇ છે.
કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિગ અને રિપોર્ટ ઉપર વિશેષ ધ્યાન અપાય રહ્યું છે.
જિલ્લા અત્યાર સુધી વિદેશથી 34 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા 11 લોકોનો કરાયેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય 23 લોકોનો કોરોના રિપોર્ટ હવે તેમનો 8 દિવસનો સમયગાળો વીતતા કરવામાં આવશે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.
બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.
અન્ય 23 નો ટેસ્ટ 8 દિવસ બાદ કરાશે, તમામ હાલ હોમ આઇસોલેટ
જિલ્લામાં દક્ષિણ આફ્રિકાથી આવતા કે જતા લોકોની સંખ્યા વધુ હોય ત્યારે પ્રશાસન સાથે પરિવારોમાં પણ ચિંતા
WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ હોય કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 34 લોકોને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી આવેલા 34 લોકોને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ અપાઇ છે.
કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિગ અને રિપોર્ટ ઉપર વિશેષ ધ્યાન અપાય રહ્યું છે.
જિલ્લા અત્યાર સુધી વિદેશથી 34 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા 11 લોકોનો કરાયેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય 23 લોકોનો કોરોના રિપોર્ટ હવે તેમનો 8 દિવસનો સમયગાળો વીતતા કરવામાં આવશે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.
બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.