કલેકટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર સંજય સોની સહિતના રહ્યા ઉપસ્થિત
આદિવાસી તાલુકાઓ બાદ અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં પણ વેકસીન સામે તેલનો બુસ્ટર ડોઝ સફળ
WatchGujarat. ભરૂચ નગર પાલિકા દ્વારા મંગળવારે 30 કેન્દ્રો ઉપર બીજા ડોઝ માટે મહા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ હતું. અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં સાંજે 5 કલાક સુધી 6129 લોકોએ વેકસીનેશન લીધું હતું.
ભરૂચ નગર પાલિકા, જિલ્લા પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા મંગળવારે શહેરમાં 30 કેન્દ્રો ઉપર વેકસીનેશન મહાઅભિયાન સવારે 8 કલાકથી યોજાયું હતું. સિંધવાઈ કેન્દ્ર ઉપર કલેકટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને ચીફ ઓફિસર સંજય સોની સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજર રહી રસીકરણનું જાત નિરીક્ષણ કરી લોકોને સુરક્ષા કવચ સામે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંજે 5 વાગ્યા સુધીમાં શહેરમાં 6129 લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો હતો. જેમને પ્રોત્સાહન માટે એક કિલો ખાદ્યતેલનું પણ વિતરણ કરાયું હતું. રાતે 8 વાગ્યા સુધી ચાલનારી આ મહાઝુંબેશમાં 8 થી 9 હજારથી વધુ લોકોનું વેકસીનેશન થવાની આશા સેવવામાં આવી હતી.
સોમવારે અંકલેશ્વરના 121 સેન્ટરો પર રાત્રે 8 વાગ્યા સુધીમાં 32136 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે. આજે ભરૂચ નગરપાલિકા ધ્વારા શહેરના 30 જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોને મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વેક્સિનેશન કરતાં સ્ટાફ અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ આપી હતી. ભરૂચ નગરપાલિકા ધ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પના દરેક સેન્ટરો ઉપર વેક્સીન મુકાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી .
કોરોના વાઈરસના સંક્રમણથી બચાવવા કોવિડ -19 રસીકરણનો પ્રચાર - પ્રસાર , ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવી કામગીરી વધારવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા ધ્વારા જણાવાયું છે.
આદિવાસી તાલુકાઓ બાદ અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં પણ વેકસીન સામે તેલનો બુસ્ટર ડોઝ સફળ
WatchGujarat. ભરૂચ નગર પાલિકા દ્વારા મંગળવારે 30 કેન્દ્રો ઉપર બીજા ડોઝ માટે મહા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ હતું. અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં સાંજે 5 કલાક સુધી 6129 લોકોએ વેકસીનેશન લીધું હતું.
ભરૂચ નગર પાલિકા, જિલ્લા પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા મંગળવારે શહેરમાં 30 કેન્દ્રો ઉપર વેકસીનેશન મહાઅભિયાન સવારે 8 કલાકથી યોજાયું હતું. સિંધવાઈ કેન્દ્ર ઉપર કલેકટર તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને ચીફ ઓફિસર સંજય સોની સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ હાજર રહી રસીકરણનું જાત નિરીક્ષણ કરી લોકોને સુરક્ષા કવચ સામે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંજે 5 વાગ્યા સુધીમાં શહેરમાં 6129 લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો હતો. જેમને પ્રોત્સાહન માટે એક કિલો ખાદ્યતેલનું પણ વિતરણ કરાયું હતું. રાતે 8 વાગ્યા સુધી ચાલનારી આ મહાઝુંબેશમાં 8 થી 9 હજારથી વધુ લોકોનું વેકસીનેશન થવાની આશા સેવવામાં આવી હતી.
સોમવારે અંકલેશ્વરના 121 સેન્ટરો પર રાત્રે 8 વાગ્યા સુધીમાં 32136 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે. આજે ભરૂચ નગરપાલિકા ધ્વારા શહેરના 30 જેટલા સ્થળોએ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોને મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વેક્સિનેશન કરતાં સ્ટાફ અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ આપી હતી. ભરૂચ નગરપાલિકા ધ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પના દરેક સેન્ટરો ઉપર વેક્સીન મુકાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી .
કોરોના વાઈરસના સંક્રમણથી બચાવવા કોવિડ -19 રસીકરણનો પ્રચાર - પ્રસાર , ગૃહ મુલાકાત થકી લોકોમાં રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવી કામગીરી વધારવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા ધ્વારા જણાવાયું છે.