જિલ્લામાં અગાઉ 48 દિવસ પહેલા કોરોનામાં મોત થયું હતું
પ્રથમ લહેરમાં કોવિડ સ્મશાન ખાતે 485 અને બીજી લહેરમાં 1874 મૃતકોને અગ્નિદાહ અપાયો હતો
મૃતકે વેકસીનનો ડોઝ લીધો ન હતો
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં 2022માં પ્રથમ મોત નીપજ્યું છે. શહેરના 94 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત થતા અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે ગોલ્ડન બ્રિજ સ્થિત કોવિડ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં 2022 માં પ્રથમ મોત નોંધાયું છે. ભરૂચ શહેરના લિંક રોડ પર રહેતા 94 વર્ષીય વૃદ્ધ ગત 15 મી ના રોજ કોરોના સંક્રમિત થતા ધરે જ હોમ આઈસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા હતા. જ્યંતિભાઈ દાદાભાઈ પટેલે બીજા દિવસે 16 જાન્યુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. જેમની અંતિમક્રિયા કોવિડ સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી.
94 વર્ષીય દાદાએ વેક્સીનના ડોઝ લીધા ન હતા. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ મોત નોંધાયું છે. ત્યારે અગાવ 48 દિવસ પહેલા કોરોનામાં જિલ્લામાં મોત થયું હતું. પ્રથમ લહેરમાં કોવિડ સ્મશાન ગૃહ ખાતે 485 અને બીજી લહેરમાં 1874 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના નવા રવિવારે 130 કેસ નોંધાતાં કુલ આંક 1374 પર પહોંચ્યો હતો. ભરૂચમાં 86, અંક્લેશ્વરમાં 24 કેસ નોંધાયાં હતાં. જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવતાં સંખ્યામાં વધારો થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે.
ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 584 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે હાલમાં 735 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 54 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં અગાઉ 48 દિવસ પહેલા કોરોનામાં મોત થયું હતું
પ્રથમ લહેરમાં કોવિડ સ્મશાન ખાતે 485 અને બીજી લહેરમાં 1874 મૃતકોને અગ્નિદાહ અપાયો હતો
મૃતકે વેકસીનનો ડોઝ લીધો ન હતો
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં 2022માં પ્રથમ મોત નીપજ્યું છે. શહેરના 94 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મોત થતા અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે ગોલ્ડન બ્રિજ સ્થિત કોવિડ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં 2022 માં પ્રથમ મોત નોંધાયું છે. ભરૂચ શહેરના લિંક રોડ પર રહેતા 94 વર્ષીય વૃદ્ધ ગત 15 મી ના રોજ કોરોના સંક્રમિત થતા ધરે જ હોમ આઈસોલેટ હેઠળ સારવાર લઇ રહ્યા હતા. જ્યંતિભાઈ દાદાભાઈ પટેલે બીજા દિવસે 16 જાન્યુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધો હતો. જેમની અંતિમક્રિયા કોવિડ સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી.
94 વર્ષીય દાદાએ વેક્સીનના ડોઝ લીધા ન હતા. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ મોત નોંધાયું છે. ત્યારે અગાવ 48 દિવસ પહેલા કોરોનામાં જિલ્લામાં મોત થયું હતું. પ્રથમ લહેરમાં કોવિડ સ્મશાન ગૃહ ખાતે 485 અને બીજી લહેરમાં 1874 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના નવા રવિવારે 130 કેસ નોંધાતાં કુલ આંક 1374 પર પહોંચ્યો હતો. ભરૂચમાં 86, અંક્લેશ્વરમાં 24 કેસ નોંધાયાં હતાં. જિલ્લામાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવતાં સંખ્યામાં વધારો થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે.
ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 584 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે હાલમાં 735 લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે 54 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.