શિવપુત્રી રેવામાં શિવપુત્ર ગણેશનું વિસર્જન નિષેધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોવિડ ગાઈડલાઈનનું પાલન
નદી કાંઠાના ગામોમાં નર્મદા નદીમાં જ ભક્તોએ બાપ્પાને વિસર્જિત કરવાનો આગ્રહ રાખ્યો
ભરૂચના 2 કૃત્રિમ કુંડમાં રહેલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા
શહેરમાં વિસર્જન ટાણે બપોરે 10 મિનિટમાં 10 મિમી વરસાદનું જોરદાર ઝાપટું
WatchGujarat. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ રવિવારે વરસાદી માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
https://youtu.be/vxkSrzCGlKQ
સવારમાં ભરૂચના ઝાડેશ્વર અને જે.બી. મોદી પાર્ક પાસે પાલિકાએ નિર્માણ કરેલા 2 કૃત્રિમ જળાશયોમાં આવી ચઢેલા સાપને કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા રેસ્ક્યુ કરી લેવાયા હતા. કૃત્રિમ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. ભરૂચમાં સિવિલ રોડ, જે.બી. મોદી પાર્ક અને મકતમપુરમાં 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 8 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 4000 થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું. બપોરે 2.30 થી 2.40 કલાકમાં ભરૂચ શહેરમાં જોરદાર વરસાદી. ઝાપટું પડી જતા 10 મિનિટમાં જ 10 મિમી વરસાદ ખાબકતા ગણેશ ભક્તોનો વિસર્જન સમયે ઉત્સાહ બેવડાયો હતો.
બીજું તરફ શિવપુત્રી રેવા (નર્મદા નદી) માં શિવપુત્ર ગણેશનું વિસર્જન નિષેધ રખાયું હોય કેટલાય ભક્તોની લાગણી પણ દુભાય હતી. સુપ્રિમની ગાઈડલાઈન અને કોરોના વચ્ચે શહેરના નિલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન,ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહિ નું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર,ભાડભુત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું.
WatchGujarat. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ રવિવારે વરસાદી માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સવારમાં ભરૂચના ઝાડેશ્વર અને જે.બી. મોદી પાર્ક પાસે પાલિકાએ નિર્માણ કરેલા 2 કૃત્રિમ જળાશયોમાં આવી ચઢેલા સાપને કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા રેસ્ક્યુ કરી લેવાયા હતા. કૃત્રિમ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને વિદાય આપી હતી. ભરૂચમાં સિવિલ રોડ, જે.બી. મોદી પાર્ક અને મકતમપુરમાં 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 8 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 4000 થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું. બપોરે 2.30 થી 2.40 કલાકમાં ભરૂચ શહેરમાં જોરદાર વરસાદી. ઝાપટું પડી જતા 10 મિનિટમાં જ 10 મિમી વરસાદ ખાબકતા ગણેશ ભક્તોનો વિસર્જન સમયે ઉત્સાહ બેવડાયો હતો.
બીજું તરફ શિવપુત્રી રેવા (નર્મદા નદી) માં શિવપુત્ર ગણેશનું વિસર્જન નિષેધ રખાયું હોય કેટલાય ભક્તોની લાગણી પણ દુભાય હતી. સુપ્રિમની ગાઈડલાઈન અને કોરોના વચ્ચે શહેરના નિલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન,ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહિ નું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર,ભાડભુત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું.