મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખાડામાં ગયેલા માર્ગોથી ખાબોચિયામાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા
ભાદરવાની શરૂઆત સાથે જ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 58.27 % એ પહોંચ્યો છે
જિલ્લામાં સૌથી વધુ અંકલેશ્વરમાં 83.92, નેત્રંગમાં 78.15, હાંસોટ 76.32 અને વાલિયા તાલુકામાં 73.39 % વરસાદ નોંધાયો છે
[caption id="attachment_1395807" align="aligncenter" width="640"] Bharuch - water lodge due to rain[/caption]
WatchGujarat. ભાદરવા સાથે જ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંમાં જળસંકટ ધીમે ધીમે દૂર હડસેલાય રહ્યું છે. ભરૂચ શહેરમાં શુક્રવારે વિઘ્નહર્તાના આગમને જ 15 મિનિટમાં 25 મિમી એટલે કે 1 ઇંચ વરસાદ વરસી પડતા ખાડામાં ગયેલા મુખ્યમાર્ગો પાણીથી તરબતર થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોની યાતનાનો પાર રહ્યો ન હતો.
ભરૂચ જીલ્લામાં આજે શ્રીજીના આગમન ટાણે જ મેઘ મહેર જોવા મળી હતી. ભરૂચ શહેરમાં બપોરના સમયે 15 મિનિટમાં જ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાય ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી છે. આજરોજ એક તરફ બપ્પાનું આગમન થયું હતું તો બીજી તરફ મેઘરાજાએ પોતાની બેટિંગ શરુ કરી હતી. શહેરમાં બપોરના અરસામાં માત્ર 15 મિનિટમાં જ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગણેશ સ્થાપના સમયે જ આભમાંથી અનહદ મેઘમહેર ગણતરીની મિનિટોમાં વરસી પડતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર જોતજોતામાં પાણી પાણી થઈ ગયું હતું.
જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો ભરૂચમાં 25 મીમી, નેત્રંગમાં 15 મીમી, વાલિયામાં 4 મીમી તથા ઝગડિયામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો બાકીના તાલુકાઓમાં સવારે 6 થી સાંજે 4 કલાક સુધી વરસાદ નોંધાયો ન હતો. ભરૂચ શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોએ હલકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચના સેવાશ્રમ વિસ્તારમાં હમેશની માફક આજે પણ જળ ભરાવો થયો હતો. અને સ્થાનિક વેપારીઓએ હલકી વેઠવી પડી હતી.
ભાદરવામાં જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 15 % જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લામાં મોસમના કુલ વરસાદની સરેરાશ 58.27 % એ પહોંચી છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 83.92, નેત્રંગ 78.15, હાંસોટ 76.32 અને વાલીયામાં 73.39 % મેઘમહેર નોંધાઇ છે. જ્યારે ભરૂચ, જંબુસર, વાગરા, આમોદ તાલુકામાં હજી પણ મૌસમનો 50 થી 38 % જ વરસાદ નોંધાયો છે.
મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખાડામાં ગયેલા માર્ગોથી ખાબોચિયામાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા
ભાદરવાની શરૂઆત સાથે જ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 58.27 % એ પહોંચ્યો છે
જિલ્લામાં સૌથી વધુ અંકલેશ્વરમાં 83.92, નેત્રંગમાં 78.15, હાંસોટ 76.32 અને વાલિયા તાલુકામાં 73.39 % વરસાદ નોંધાયો છે
[caption id="attachment_1395807" align="aligncenter" width="640"] Bharuch - water lodge due to rain[/caption]
WatchGujarat. ભાદરવા સાથે જ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંમાં જળસંકટ ધીમે ધીમે દૂર હડસેલાય રહ્યું છે. ભરૂચ શહેરમાં શુક્રવારે વિઘ્નહર્તાના આગમને જ 15 મિનિટમાં 25 મિમી એટલે કે 1 ઇંચ વરસાદ વરસી પડતા ખાડામાં ગયેલા મુખ્યમાર્ગો પાણીથી તરબતર થઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોની યાતનાનો પાર રહ્યો ન હતો.
ભરૂચ જીલ્લામાં આજે શ્રીજીના આગમન ટાણે જ મેઘ મહેર જોવા મળી હતી. ભરૂચ શહેરમાં બપોરના સમયે 15 મિનિટમાં જ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાય ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી છે. આજરોજ એક તરફ બપ્પાનું આગમન થયું હતું તો બીજી તરફ મેઘરાજાએ પોતાની બેટિંગ શરુ કરી હતી. શહેરમાં બપોરના અરસામાં માત્ર 15 મિનિટમાં જ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગણેશ સ્થાપના સમયે જ આભમાંથી અનહદ મેઘમહેર ગણતરીની મિનિટોમાં વરસી પડતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર જોતજોતામાં પાણી પાણી થઈ ગયું હતું.
જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો ભરૂચમાં 25 મીમી, નેત્રંગમાં 15 મીમી, વાલિયામાં 4 મીમી તથા ઝગડિયામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો બાકીના તાલુકાઓમાં સવારે 6 થી સાંજે 4 કલાક સુધી વરસાદ નોંધાયો ન હતો. ભરૂચ શહેરમાં વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોએ હલકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચના સેવાશ્રમ વિસ્તારમાં હમેશની માફક આજે પણ જળ ભરાવો થયો હતો. અને સ્થાનિક વેપારીઓએ હલકી વેઠવી પડી હતી.
ભાદરવામાં જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 15 % જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લામાં મોસમના કુલ વરસાદની સરેરાશ 58.27 % એ પહોંચી છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 83.92, નેત્રંગ 78.15, હાંસોટ 76.32 અને વાલીયામાં 73.39 % મેઘમહેર નોંધાઇ છે. જ્યારે ભરૂચ, જંબુસર, વાગરા, આમોદ તાલુકામાં હજી પણ મૌસમનો 50 થી 38 % જ વરસાદ નોંધાયો છે.