હજારો પુસ્તકોનું ઓડિયો ક્લિપમાં રૂપાંતર કરી ડિજિટલ સ્વરૂપે અંધજનો માટે મુકાયા
ડીઝીટલ લાઈબ્રેરીથી અંધજનોને અભ્યાસ, ગુજરાન, જીવન જીવવા અને રોજબરોજના કામોમાં મળી રહેશે મદદ
WatchGujarat. ભરૂચ પુષ્પમ ગ્રુપ અને અંધજન મંડળ દ્વારા રવિવારે ભરૂચ અને નર્મદા જિલ્લાનાં અંધજનો માટે આકાશ ગંગા ખાતે સૌપ્રથમ ડીઝીટલ લાઈબ્રેરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હજારો પુસ્તકોને ઓડિયો સ્વરૂપમાં મુકવામાં આવતા અંધજનો માટે તે અનેક રૂપે આશીર્વાદરૂપ સાબિત થશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વર્લ્ડ બ્લાઇન્ડ એજ્યુકેશનના ઉપપ્રમુખ ડો. ભૂષણ પુનાની, ભરૂચ જિલ્લા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસીયા, સેક્રેટરી તારક લુહાર, પ્રદીપ પટેલ, પુષ્પમ ગ્રુપના પ્રમુખ યતીન શેઠ, શ્રવણ સ્કૂલના આચાર્ય નિરવ પટેલના હસ્તે ડિજિટલ અંધજન લાઈબ્રેરનું ઉદ્ઘાટન કરાયું હતું. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરમાં અંધજનો માટે ડિજિટલ લાઈબ્રેરી કાર્યરત છે.
હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ તેની શરૂઆત થતા દેખી નહિ શકતા હજારો લોકો ઓડિયોના માધ્યમથી પુસ્તકો વાંચી શકશે. હજારો પુસ્તકોને ઓડિયો સ્વરૂપે ડિજિટલ અંધજન પુસ્તકાલયમાં આવરી લેવાતા અંધ વિધાર્થીઓ, વેપારીઓ, નોકરિયાત, મહિલાઓ, વૃધ્ધોને જીવન જીવવા અને રોજબરોજના કામોમાં આ ડિજિટલ લાઈબ્રેરી આશીર્વાદ સમાન સાબિત થશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શરૂ કરાયેલી લાઈબ્રેરી બન્ને જિલ્લાના હજારો અંધજનોને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્રસંગે પુષ્પમ ગૃપ તરફથી 100 અંધજનોને સ્ટીકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંધજનો માટે ચાલતી યોજનાઓ, તાલીમ, સાધન-સહાય સહિતની માહિતી પણ પુરી પાડવામાં આવી હતી.
હજારો પુસ્તકોનું ઓડિયો ક્લિપમાં રૂપાંતર કરી ડિજિટલ સ્વરૂપે અંધજનો માટે મુકાયા
ડીઝીટલ લાઈબ્રેરીથી અંધજનોને અભ્યાસ, ગુજરાન, જીવન જીવવા અને રોજબરોજના કામોમાં મળી રહેશે મદદ
WatchGujarat. ભરૂચ પુષ્પમ ગ્રુપ અને અંધજન મંડળ દ્વારા રવિવારે ભરૂચ અને નર્મદા જિલ્લાનાં અંધજનો માટે આકાશ ગંગા ખાતે સૌપ્રથમ ડીઝીટલ લાઈબ્રેરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હજારો પુસ્તકોને ઓડિયો સ્વરૂપમાં મુકવામાં આવતા અંધજનો માટે તે અનેક રૂપે આશીર્વાદરૂપ સાબિત થશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વર્લ્ડ બ્લાઇન્ડ એજ્યુકેશનના ઉપપ્રમુખ ડો. ભૂષણ પુનાની, ભરૂચ જિલ્લા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસીયા, સેક્રેટરી તારક લુહાર, પ્રદીપ પટેલ, પુષ્પમ ગ્રુપના પ્રમુખ યતીન શેઠ, શ્રવણ સ્કૂલના આચાર્ય નિરવ પટેલના હસ્તે ડિજિટલ અંધજન લાઈબ્રેરનું ઉદ્ઘાટન કરાયું હતું. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરમાં અંધજનો માટે ડિજિટલ લાઈબ્રેરી કાર્યરત છે.
હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ તેની શરૂઆત થતા દેખી નહિ શકતા હજારો લોકો ઓડિયોના માધ્યમથી પુસ્તકો વાંચી શકશે. હજારો પુસ્તકોને ઓડિયો સ્વરૂપે ડિજિટલ અંધજન પુસ્તકાલયમાં આવરી લેવાતા અંધ વિધાર્થીઓ, વેપારીઓ, નોકરિયાત, મહિલાઓ, વૃધ્ધોને જીવન જીવવા અને રોજબરોજના કામોમાં આ ડિજિટલ લાઈબ્રેરી આશીર્વાદ સમાન સાબિત થશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા શરૂ કરાયેલી લાઈબ્રેરી બન્ને જિલ્લાના હજારો અંધજનોને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્રસંગે પુષ્પમ ગૃપ તરફથી 100 અંધજનોને સ્ટીકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંધજનો માટે ચાલતી યોજનાઓ, તાલીમ, સાધન-સહાય સહિતની માહિતી પણ પુરી પાડવામાં આવી હતી.