અંકલેશ્વર ગડખોલ પાટિયા ટી બ્રિજ ઉપર પતંગની દોરીથી એક શખ્સને કપાળ ઉપર ઇજા
ચિરાયેલા કપાળ સાથે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
WatchGujarat. ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી અંદર ઘુસી જતા તબીબે 30 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.
ઉત્તરાયણ ઉપર ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા બાઇક ચાલકો માટે પતંગની દોરી જીવલેણ સાબિત થવાનો ભરૂચ બાદ બીજો કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. ઉત્તરાયણ પેહલા ભરૂચના ભોલાવ ભૃગૃઋષિ ફ્લાયઓવર ઉપર એક્ટિવા ઉપર દીકરી સાથે જતી માતાનું ગળું કપાઈ જવાથી મૃત્યુ થયું હતું. જોકે અંકલેશ્વર ઓવરબ્રિજ ઉપર સર્જાયેલી ઘટનામાં યુવાનનો જીવ તો બચી ગયો હતો. પણ સમગ્ર કપાળ ચિરાઈ જવાથી ટાંકાના નિશાન આજીવન રહી જાય તેવી સ્થિતિ ઉદભવી છે.
અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહેલા નવી વસાહત ખાતે રહેતા જગદીશ વસાવાના કપાળના ભાગે અચાનક પતંગનો દોરો આવી ગયો હતો. આખું કપાળ દોરાએ ચીરી નાખ્યું હતું. દોરો કપાળ પર એટલી હદે અંદર સુધી ઘુસી ગયો હતો કે કપાળના બે ભાગ કરી 2 ઈંચ સુધી હાડકા સુધી પોહચી ગયો હતો.
ચિરાયેલા કપાળ સાથે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં જગદીશ ભાઈ વસાવાને 30 થી વધુ સ્ટીચ લેવામાં આવ્યા હતા. તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. ત્યારે વાસી ઉતરાણ પણ હવે લોકો માટે જીવલેણ બની રહી છે. ONGC ઓવરબ્રિજ પર પાલિકા દ્વારા તાર લગાવવામાં આવ્યા હતા. જેને લીધે ત્યાં દોરાથી કપાવાની ઘટના શૂન્ય બની છે. જોકે તાર પર પતંગ સહીત અનેક સ્થળે દોરા પણ લપેટાયેલા જોવા મળ્યા હતા. જો ગડખોલ ટી બ્રિજ ઉપર પણ બન્ને તરફ તંત્રે તાર લગાવી દીધા હોત તો કપાળ કપાઈ જવાની આ ઘટના બનતા અટકી જાત.
અંકલેશ્વર ગડખોલ પાટિયા ટી બ્રિજ ઉપર પતંગની દોરીથી એક શખ્સને કપાળ ઉપર ઇજા
ચિરાયેલા કપાળ સાથે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
WatchGujarat. ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી અંદર ઘુસી જતા તબીબે 30 થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.
ઉત્તરાયણ ઉપર ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા બાઇક ચાલકો માટે પતંગની દોરી જીવલેણ સાબિત થવાનો ભરૂચ બાદ બીજો કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. ઉત્તરાયણ પેહલા ભરૂચના ભોલાવ ભૃગૃઋષિ ફ્લાયઓવર ઉપર એક્ટિવા ઉપર દીકરી સાથે જતી માતાનું ગળું કપાઈ જવાથી મૃત્યુ થયું હતું. જોકે અંકલેશ્વર ઓવરબ્રિજ ઉપર સર્જાયેલી ઘટનામાં યુવાનનો જીવ તો બચી ગયો હતો. પણ સમગ્ર કપાળ ચિરાઈ જવાથી ટાંકાના નિશાન આજીવન રહી જાય તેવી સ્થિતિ ઉદભવી છે.
અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહેલા નવી વસાહત ખાતે રહેતા જગદીશ વસાવાના કપાળના ભાગે અચાનક પતંગનો દોરો આવી ગયો હતો. આખું કપાળ દોરાએ ચીરી નાખ્યું હતું. દોરો કપાળ પર એટલી હદે અંદર સુધી ઘુસી ગયો હતો કે કપાળના બે ભાગ કરી 2 ઈંચ સુધી હાડકા સુધી પોહચી ગયો હતો.
ચિરાયેલા કપાળ સાથે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં જગદીશ ભાઈ વસાવાને 30 થી વધુ સ્ટીચ લેવામાં આવ્યા હતા. તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. ત્યારે વાસી ઉતરાણ પણ હવે લોકો માટે જીવલેણ બની રહી છે. ONGC ઓવરબ્રિજ પર પાલિકા દ્વારા તાર લગાવવામાં આવ્યા હતા. જેને લીધે ત્યાં દોરાથી કપાવાની ઘટના શૂન્ય બની છે. જોકે તાર પર પતંગ સહીત અનેક સ્થળે દોરા પણ લપેટાયેલા જોવા મળ્યા હતા. જો ગડખોલ ટી બ્રિજ ઉપર પણ બન્ને તરફ તંત્રે તાર લગાવી દીધા હોત તો કપાળ કપાઈ જવાની આ ઘટના બનતા અટકી જાત.