પડોશી સાથેની નજીવી તકરારે બહારની ઉંડાઇમાં મહિલાએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા
રસોડામાં મોભના લાકડા જોડે દુપટ્ટાથી ગળેફાંસોમાં પરિણીતાના બન્ને પગ જમીનને અડેલા
WatchGujarat. ભરૂચ જિલ્લામાં દિવાળી બાદ આપઘાત, હત્યા સહિતની ઘટનાઓ ચિંતાજનક સામે આવી રહી છે. હત્યાને આત્મહત્યામાં ખપાવવાના બનાવો પણ હોય તેમ એક બાદ એક શંકાસ્પદ ગળેફાંસાની ઘટનાઓ ઘટી રહી છે. શનિવારે વધુ આવી એક ઘટના ભરૂચ શહેરની બહારની ઊંડાઈમાંથી બહાર આવી છે. જેમાં પાડોશી સાથે ઝઘડાના કારણમાં 2 સંતાનની માતાએ ગળેફાંસો ખાધો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ માટે તપાસનો વિષય બની છે.
જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથેની બોલાચાલીમાં માઠું લગાડી બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જૂના ભરૂચના બહારની ઉંડાઇ ખારવાવાડની મસ્જીદની બાજુમા રહેતા મહંમદ હુસૈન ગુલાબ મહંમદ શેખ પોતાની પત્ની તથા 2 સંતાનો સાથે રહેતા હતા.
દરમિયાન તેમની પત્ની સકીનાબાનુંને પડોશમાં રહેતા આસિફાબાનુ સાથે ગટરના પાણી બાબતે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતાં પોતાની તેમના ઘરના રસોડાનાં ભાગે ગળે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાહેરાત પતિ મહંમદ હુસૈન શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપતા જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતકનો લગન ગાળો 5 વર્ષનો હોય તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પી.એમ કરાવવા પણ કવાયત હાથધરી હોવાની માહીતી સાંપડી રહી છે. પાડોશી મહિલા સાથે ડ્રેનેજના પાણી મુદ્દે તકરારમાં કોઈ મહિલા પોતાના 2 સંતાનો અને પોતાનું પણ ન વિચારી આપઘાત કરી લે તે કારણ હાલ તપાસનો વિષય બન્યું છે. સાથે જ સ્થળ ઉપર પરિણીતાનો લટકતો મૃતદેહમાં પણ બન્ને પગ જમીન ઉપર અડતા હોય ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની વાત શંકા ઉપજાવી રહી છે.
WatchGujarat. ભરૂચ જિલ્લામાં દિવાળી બાદ આપઘાત, હત્યા સહિતની ઘટનાઓ ચિંતાજનક સામે આવી રહી છે. હત્યાને આત્મહત્યામાં ખપાવવાના બનાવો પણ હોય તેમ એક બાદ એક શંકાસ્પદ ગળેફાંસાની ઘટનાઓ ઘટી રહી છે. શનિવારે વધુ આવી એક ઘટના ભરૂચ શહેરની બહારની ઊંડાઈમાંથી બહાર આવી છે. જેમાં પાડોશી સાથે ઝઘડાના કારણમાં 2 સંતાનની માતાએ ગળેફાંસો ખાધો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ માટે તપાસનો વિષય બની છે.
જૂના ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં પડોશી સાથેની બોલાચાલીમાં માઠું લગાડી બે સંતાનોની માતાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જૂના ભરૂચના બહારની ઉંડાઇ ખારવાવાડની મસ્જીદની બાજુમા રહેતા મહંમદ હુસૈન ગુલાબ મહંમદ શેખ પોતાની પત્ની તથા 2 સંતાનો સાથે રહેતા હતા.
દરમિયાન તેમની પત્ની સકીનાબાનુંને પડોશમાં રહેતા આસિફાબાનુ સાથે ગટરના પાણી બાબતે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતાં પોતાની તેમના ઘરના રસોડાનાં ભાગે ગળે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાહેરાત પતિ મહંમદ હુસૈન શેખે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે આપતા જ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે મૃતકનો લગન ગાળો 5 વર્ષનો હોય તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ પી.એમ કરાવવા પણ કવાયત હાથધરી હોવાની માહીતી સાંપડી રહી છે. પાડોશી મહિલા સાથે ડ્રેનેજના પાણી મુદ્દે તકરારમાં કોઈ મહિલા પોતાના 2 સંતાનો અને પોતાનું પણ ન વિચારી આપઘાત કરી લે તે કારણ હાલ તપાસનો વિષય બન્યું છે. સાથે જ સ્થળ ઉપર પરિણીતાનો લટકતો મૃતદેહમાં પણ બન્ને પગ જમીન ઉપર અડતા હોય ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની વાત શંકા ઉપજાવી રહી છે.