રાજ્યના રમતગમત મંત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહની મંત્રી મંડળમાંથી થઈ શકે છે બાદબાકી
3 ટર્મથી ચૂંટાતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ મંત્રીની રેસમાં ચાલી રહ્યું છે
BJP ની સરપ્રાઈઝ ફોર્મ્યુલા પ્રમાણે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે
અનેક અનિશ્ચિતા, અટકળો, છુપી નારાજગી વચ્ચે ભરૂચમાંથી મંત્રી પદ મળે તે માટે MP સોશ્યલ મીડિયા પર મેદાને ઉત્તરા
દુષ્યંત પટેલે 3 થી 4 વખત વિધાનસભાનું અધ્યક્ષ પદ શોભાવી ચૂકેલા ભરૂચ MLA નિશ્ચિત મનાઈ રહ્યાં છે
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ રાજ્યના 17માં મુખ્યમંત્રી CM તરીકે ભારે સસ્પેન્સ બાદ સરપ્રાઈઝ તરીકે ભુપેન્દ્ર પટેલને બનાવાયા હતા. હવે CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને લઈ હાઈ વોલ્ટેજ દ્રામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. બુધવારે વરિષ્ઠ તમામ ધારાસભ્યો અને મંત્રીઓની બાદબાકી બાદ નવા કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓની જાહેરાત અને શપથવિધિનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મુકાયો હતો.
https://twitter.com/MansukhbhaiMp/status/1438388651902210054?s=20
નારાજ સિનિયર મંત્રીઓને મનવવા 24 કલાકથી ભાજપ હાઈ કમાન્ડ દ્વારા કવાયત ચાલી રહી છે. CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં એક પણ વખત મંત્રી નહિ બનેલા ધારાસભ્યોને ચાન્સ આપવાની ફોર્મ્યુલાને લઈ ભરૂચ જિલ્લાના ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા MLA દુષ્યંત પટેલ મંત્રી મંડળની રેસમાં સામેલ છે. જ્યારે સરપ્રાઈઝ પેકેજ તરીકે વાગરાના MLA અરૂણસિંહ રણાને પણ મંત્રી બનાવાઈ શકે છે.
બીજી તરફ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના 4 ટર્મથી ચૂંટાતા MLA અને 2 ટર્મથી મંત્રી ઈશ્વરસિંહ પટેલની બાદબાકી નિશ્ચિત છે ત્યારે BJP ના ભરૂચના સિનિયર સાંસદ સ્પષ્ટ બોલતા MP મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે કે, ભરૂચ જિલ્લામાંથી કોઈપણ ધારાસભ્યને રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ ન કરાતા પ્રજામાં ખૂબ જ નારાજગી ઉભી થશે.
MP વસાવા આ ટ્વીટ દ્વારા પ્રદેશ ભાજપ અને કેન્દ્રને સીધી રીતે કહી રહ્યા છે કે, ભરૂચ જિલ્લામાંથી એક MLA ને નવા મંત્રી મંડળમાં સ્થાન મળવું જ જોઈએ. જે દ્વારા સાંસદે ભરૂચના ધરસભ્યોનું લોબિંગ કરી પોતાનો મત કોઈપણ એક ને મંત્રી બનાવવા વ્યક્ત કર્યો છે.
દુષ્યંત પટેલ ગૃહ, શિક્ષણ કે રમતગમત, નાણાં ખાતું કે અધ્યક્ષ બની શકે
ચાલતી અટકળો મુજબ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર છે જો તેઓને મંત્રી મંડળમાં સમાવેશ કરાઈ તો ગૃહ, ફાયનાન્સ, શિક્ષણ, રમતગમત ખાતું મળી શકે છે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ તેઓ હાલ હોટ ફેવરિટ માનવામાં આવે છે.
તો સરપ્રાઈઝ પેકેજમાં અરૂણસિંહ રણા બની શકે સહકાર મંત્રી
બીજી તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સરપ્રાઈઝ પેકેજમાં સહકાર મંત્રી બનાવાઈ શકે છે તેવી પણ શકયતાઓ રહેલી છે. સહકારી ક્ષેત્રે તેઓનું આગવું યોગદાન ભરૂચ અને નર્મદા જિલ્લામાં વર્ષોથી છે.
રાજ્યના રમતગમત મંત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહની મંત્રી મંડળમાંથી થઈ શકે છે બાદબાકી
3 ટર્મથી ચૂંટાતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ મંત્રીની રેસમાં ચાલી રહ્યું છે
BJP ની સરપ્રાઈઝ ફોર્મ્યુલા પ્રમાણે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે
અનેક અનિશ્ચિતા, અટકળો, છુપી નારાજગી વચ્ચે ભરૂચમાંથી મંત્રી પદ મળે તે માટે MP સોશ્યલ મીડિયા પર મેદાને ઉત્તરા
દુષ્યંત પટેલે 3 થી 4 વખત વિધાનસભાનું અધ્યક્ષ પદ શોભાવી ચૂકેલા ભરૂચ MLA નિશ્ચિત મનાઈ રહ્યાં છે
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ રાજ્યના 17માં મુખ્યમંત્રી CM તરીકે ભારે સસ્પેન્સ બાદ સરપ્રાઈઝ તરીકે ભુપેન્દ્ર પટેલને બનાવાયા હતા. હવે CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને લઈ હાઈ વોલ્ટેજ દ્રામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે. બુધવારે વરિષ્ઠ તમામ ધારાસભ્યો અને મંત્રીઓની બાદબાકી બાદ નવા કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓની જાહેરાત અને શપથવિધિનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મુકાયો હતો.
નારાજ સિનિયર મંત્રીઓને મનવવા 24 કલાકથી ભાજપ હાઈ કમાન્ડ દ્વારા કવાયત ચાલી રહી છે. CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં એક પણ વખત મંત્રી નહિ બનેલા ધારાસભ્યોને ચાન્સ આપવાની ફોર્મ્યુલાને લઈ ભરૂચ જિલ્લાના ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા MLA દુષ્યંત પટેલ મંત્રી મંડળની રેસમાં સામેલ છે. જ્યારે સરપ્રાઈઝ પેકેજ તરીકે વાગરાના MLA અરૂણસિંહ રણાને પણ મંત્રી બનાવાઈ શકે છે.
બીજી તરફ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના 4 ટર્મથી ચૂંટાતા MLA અને 2 ટર્મથી મંત્રી ઈશ્વરસિંહ પટેલની બાદબાકી નિશ્ચિત છે ત્યારે BJP ના ભરૂચના સિનિયર સાંસદ સ્પષ્ટ બોલતા MP મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે કે, ભરૂચ જિલ્લામાંથી કોઈપણ ધારાસભ્યને રાજ્યના મંત્રી મંડળમાં સમાવેશ ન કરાતા પ્રજામાં ખૂબ જ નારાજગી ઉભી થશે.
MP વસાવા આ ટ્વીટ દ્વારા પ્રદેશ ભાજપ અને કેન્દ્રને સીધી રીતે કહી રહ્યા છે કે, ભરૂચ જિલ્લામાંથી એક MLA ને નવા મંત્રી મંડળમાં સ્થાન મળવું જ જોઈએ. જે દ્વારા સાંસદે ભરૂચના ધરસભ્યોનું લોબિંગ કરી પોતાનો મત કોઈપણ એક ને મંત્રી બનાવવા વ્યક્ત કર્યો છે.
દુષ્યંત પટેલ ગૃહ, શિક્ષણ કે રમતગમત, નાણાં ખાતું કે અધ્યક્ષ બની શકે
ચાલતી અટકળો મુજબ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર છે જો તેઓને મંત્રી મંડળમાં સમાવેશ કરાઈ તો ગૃહ, ફાયનાન્સ, શિક્ષણ, રમતગમત ખાતું મળી શકે છે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ તેઓ હાલ હોટ ફેવરિટ માનવામાં આવે છે.
તો સરપ્રાઈઝ પેકેજમાં અરૂણસિંહ રણા બની શકે સહકાર મંત્રી
બીજી તરફ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સરપ્રાઈઝ પેકેજમાં સહકાર મંત્રી બનાવાઈ શકે છે તેવી પણ શકયતાઓ રહેલી છે. સહકારી ક્ષેત્રે તેઓનું આગવું યોગદાન ભરૂચ અને નર્મદા જિલ્લામાં વર્ષોથી છે.