ખુલ્લા મેદાનમાં રહેલી ગાયો સાથે અશોભનીય વર્તન કરતા યુવકોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા
બને ભિખારીઓને અટકાવતા તેવો બીભત્સ ગાળો બોલતા રોષે ભરાયેલા યુવાનોએ માર માર્યો હતો
ભિખારી યુવકો પાસે રહેલ લાકડીઓ ઝૂઠવી લઇ તેનાથી મારતા એકનું મોત થયું હતું
WatchGujarat. અંકલેશ્વર પાંજરાપોળ ખાતે ભિખારી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં હત્યા પાછળ હચમચાવી દેતું કારણ બહાર આવ્યું છે. હત્યામાં 4 યુવાનોની ધરપકડ કરાઈ છે. મેદાનમાં રહેલી ગાયો સાથે અશોભનીય વર્તન કરતા યુવકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બને ભિખારીઓને અટકાવતા તેવો બીભત્સ ગાળો બોલતા રોષે ભરાયેલા 4 યુવાનો માર માર્યો હતો. ભિખારી યુવકો પાસે રહેલ લાકડીઓ ઝૂઠવી લઇ તેનાથી મારતા એકનું મોત થયું હતું.
અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે 2 દિવસ પૂર્વે અંદાજે 42 વર્ષીય એક ભિખારી જેવા યુવાનની કોઈક કારણોસર હત્યા કરવામાં આવી હતી. જયારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે શહેર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના દિવસોમાં હત્યા કરનાર 4 આરોપી યુવાનોને ઝડપી પાડ્યા હતા. એક ભિક્ષુકની હત્યા અને બીજા ઉપર જીવલેણ હુમલામાં સુનિલ સન્મુખભાઇ વસાવા, હિરેન દિપકભાઇ વસાવા, અમિષ સુરેશભાઇ વસાવા અને સોહન સતિષભાઇ વસાવા, તમામ રહે પંચાતી બજાર પાંજરા પોળ, અંકલેશ્વરની ધરપકડ કરી હતી. ચારેય યુવાનોની પૂછપરછ કરતા તેમના દ્વારા પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરાતા પોલીસ પણ સ્તબધ્ધ થઈ ગઈ હતી.
મરણ જનાર અજાણ્યા યુવાન તથા ઇજા પામનાર કોટવાલ ચૌહાણ પાંજરાપોળ મેદાન માં રહેલી ગાય સાથે મોડી રાત્રી અશોભનીય વર્તન કરી રહ્યા હતા. જે અંગે બને ઈસમો ને રોકવા જતા 4 આરોપી સાથે ગાળા-ગાળી કરી હતી. તેમની પાસે રહેલા લાકડાના સપાટા વડે મારવાની કોશિષ કરતા ચારેય યુવાનો લાકડી તેમની પાસેથી ખૂંચવી લીધી હતી.
ચારેય યુવાનોએ ગાય સાથે અશોભનીય વર્તન કરતા બન્ને ભિક્ષુક જેવા યુવાનોને તેમની જ લાકડીઓ વડે મરણતોલ માર માર્યો હતો.જે બાદ અધમુઆ બંને લોકોને છોડી ચારેય યુવાનો ચાલ્યા ગયા હતા. ગંભીર ઇજા ના પગલે બે પૈકી અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ઝડપાયેલ યુવાનોએ આપેલા નિવેદન આધારે પોલીસ દ્વારા ઘટના અંગે સત્યતા ચકાસવા પણ તજવીજ આરંભી છે. હુમલામાં.બચી ગયેલા અન્ય યુવાનનું પણ પોલીસ દ્વારા ફેર નિવેદન તજજ્ઞ સાથે લેવાની કવાયત શરૂ કરાઇ છે.
ખુલ્લા મેદાનમાં રહેલી ગાયો સાથે અશોભનીય વર્તન કરતા યુવકોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા
ભિખારી યુવકો પાસે રહેલ લાકડીઓ ઝૂઠવી લઇ તેનાથી મારતા એકનું મોત થયું હતું
WatchGujarat. અંકલેશ્વર પાંજરાપોળ ખાતે ભિખારી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં હત્યા પાછળ હચમચાવી દેતું કારણ બહાર આવ્યું છે. હત્યામાં 4 યુવાનોની ધરપકડ કરાઈ છે. મેદાનમાં રહેલી ગાયો સાથે અશોભનીય વર્તન કરતા યુવકોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બને ભિખારીઓને અટકાવતા તેવો બીભત્સ ગાળો બોલતા રોષે ભરાયેલા 4 યુવાનો માર માર્યો હતો. ભિખારી યુવકો પાસે રહેલ લાકડીઓ ઝૂઠવી લઇ તેનાથી મારતા એકનું મોત થયું હતું.
અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે 2 દિવસ પૂર્વે અંદાજે 42 વર્ષીય એક ભિખારી જેવા યુવાનની કોઈક કારણોસર હત્યા કરવામાં આવી હતી. જયારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગે શહેર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના દિવસોમાં હત્યા કરનાર 4 આરોપી યુવાનોને ઝડપી પાડ્યા હતા. એક ભિક્ષુકની હત્યા અને બીજા ઉપર જીવલેણ હુમલામાં સુનિલ સન્મુખભાઇ વસાવા, હિરેન દિપકભાઇ વસાવા, અમિષ સુરેશભાઇ વસાવા અને સોહન સતિષભાઇ વસાવા, તમામ રહે પંચાતી બજાર પાંજરા પોળ, અંકલેશ્વરની ધરપકડ કરી હતી. ચારેય યુવાનોની પૂછપરછ કરતા તેમના દ્વારા પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરાતા પોલીસ પણ સ્તબધ્ધ થઈ ગઈ હતી.
મરણ જનાર અજાણ્યા યુવાન તથા ઇજા પામનાર કોટવાલ ચૌહાણ પાંજરાપોળ મેદાન માં રહેલી ગાય સાથે મોડી રાત્રી અશોભનીય વર્તન કરી રહ્યા હતા. જે અંગે બને ઈસમો ને રોકવા જતા 4 આરોપી સાથે ગાળા-ગાળી કરી હતી. તેમની પાસે રહેલા લાકડાના સપાટા વડે મારવાની કોશિષ કરતા ચારેય યુવાનો લાકડી તેમની પાસેથી ખૂંચવી લીધી હતી.
ચારેય યુવાનોએ ગાય સાથે અશોભનીય વર્તન કરતા બન્ને ભિક્ષુક જેવા યુવાનોને તેમની જ લાકડીઓ વડે મરણતોલ માર માર્યો હતો.જે બાદ અધમુઆ બંને લોકોને છોડી ચારેય યુવાનો ચાલ્યા ગયા હતા. ગંભીર ઇજા ના પગલે બે પૈકી અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ઝડપાયેલ યુવાનોએ આપેલા નિવેદન આધારે પોલીસ દ્વારા ઘટના અંગે સત્યતા ચકાસવા પણ તજવીજ આરંભી છે. હુમલામાં.બચી ગયેલા અન્ય યુવાનનું પણ પોલીસ દ્વારા ફેર નિવેદન તજજ્ઞ સાથે લેવાની કવાયત શરૂ કરાઇ છે.