રાજ્યના 207 જળાશયો પૈકી 10 જ સંપૂર્ણ ભરાયા
ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 37494 ક્યુસેક આવક સામે જાવક 2833 ક્યુસેકથી સપાટીમાં 2 દિવસથી એકધારો વધારો
રીવરબેડ પાવરહાઉસ જળવિધુત મથક બંધ કરી કરાતો જળસંગ્રહ
છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 63 સેમીનો વધારો
હાલ નર્મદા ડેમમાં 1075.17 મિલિયન ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બનશે
[caption id="attachment_2592" align="aligncenter" width="640"] Narmada dam[/caption]
WatchGujarat. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસ શુક્રવારે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1075.17 MCM લાઈવ સ્ટોરેજ છે.
નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં 5 સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફલો પણ થઇ શકે છે અને ડેમ ઓવરફલો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.
ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે. જ્યારે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરથી 19.68 મીટર દૂર છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.
રાજ્યના 207 જળાશયોની વાત કરી એ તો દક્ષિણ ગુજરાતમાં 1 અને સોંરાષ્ટ્રના 9 જળાશયો જ અત્યાર સુધી સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના તમામ ડેમોમાં હાલ લાઈવ સ્ટોરેજ 56.55 % જ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 23.61 %, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.67 %, સોંરાષ્ટ્રના 141 ડેમોમાં 46.01 % જ્યારે કચ્છના 20 ડેમ 23.26 % જ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 63 ડેમ 78.50 % જળથી ભરાયા છે. ગત વર્ષ કરતા રાજ્યના 207 જળાશયોમાં 2.92 લાખ MCM પાણીનો ઓછો જથ્થો છે.
રાજ્યના 207 જળાશયો પૈકી 10 જ સંપૂર્ણ ભરાયા
ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 37494 ક્યુસેક આવક સામે જાવક 2833 ક્યુસેકથી સપાટીમાં 2 દિવસથી એકધારો વધારો
રીવરબેડ પાવરહાઉસ જળવિધુત મથક બંધ કરી કરાતો જળસંગ્રહ
WatchGujarat. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસ શુક્રવારે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો થયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 1075.17 MCM લાઈવ સ્ટોરેજ છે.
નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં 5 સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફલો પણ થઇ શકે છે અને ડેમ ઓવરફલો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.
ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે. જ્યારે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરથી 19.68 મીટર દૂર છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.
રાજ્યના 207 જળાશયોની વાત કરી એ તો દક્ષિણ ગુજરાતમાં 1 અને સોંરાષ્ટ્રના 9 જળાશયો જ અત્યાર સુધી સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના તમામ ડેમોમાં હાલ લાઈવ સ્ટોરેજ 56.55 % જ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 23.61 %, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.67 %, સોંરાષ્ટ્રના 141 ડેમોમાં 46.01 % જ્યારે કચ્છના 20 ડેમ 23.26 % જ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 63 ડેમ 78.50 % જળથી ભરાયા છે. ગત વર્ષ કરતા રાજ્યના 207 જળાશયોમાં 2.92 લાખ MCM પાણીનો ઓછો જથ્થો છે.