ભાજપ સરકાર 2015 થી વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની પરીક્ષાઓમાં ગોટાળાઓ કરતી હોવાનો આક્ષેપ
વાલીઓના સંમતિ પત્રક છતાં વાસ્તવિક વર્ગો શરૂ કરવામાં નહિ આવતા વિધાર્થીઓનું ભાવિ અઘ્ધરતાલ
[caption id="attachment_1393146" align="aligncenter" width="640"] Bharuch - NSUI Oppose[/caption]
WatchGujarat. ભરૂચ જિલ્લા NSUI દ્વારા વિધાર્થીઓને સાથે રાખી સોમવારે કે.જે. પોલીટેકનિક ખાતે ઓફલાઇન શિક્ષણ અને પ્રેક્ટિકલ વર્ગો શરૂ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં બે વર્ષથી કોલેજમાં ખૂબ જ જરૂરી એવા પ્રેક્ટિકલના વર્ગો નહિ લઈ વિધાર્થીઓનું અહિત કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ જિલ્લા પ્રમુખ યોગી પટેલે કર્યો છે.
સાથે જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ ભાજપ સરકાર વર્ષ 2015 થી જ વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર કરી રહી હોવાની પણ કેફિયત રજૂ કરાઈ હતી. સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચની કે.જે. પોલીટેકનિક કોલેજ માં સરકારના નિયત ધારાધોરણ મુજબ વાલીઓની સંમતિપત્રક હોય તાત્કાલિક ઓફલાઈન વર્ગો અને પ્રેક્ટિકલ શરૂ કરી વાસ્તવિક શિક્ષણ આપવાની માંગણી સાથે કોલેજ કેમ્પસમાં દેખાવો કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા NSUI એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હર હંમેશ વિદ્યાર્થી વિરોધી સાબિત થઇ છે. વર્ષ 2015 થી આજ દિન સુધી વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર ગેરરીતિ જોવા મળે છે. તાજેતરમાં જ JEE ની પરીક્ષા માં ઞોટાડો જોવા મળ્યો હતો. તદુપરાંત સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ જોવા મળે છે. ભરૂચની કે.જે. પોલીટેકનિક કોલેજ માં સરકારના નિયત ધારાધોરણ મુજબ વાલીઓની સંમતિપત્રક હોવા છતાં વિદ્યાર્થીઓને વાસ્તવિક ઓફલાઈન શિક્ષણ થી હજુ પણ વંચિત છે.
જે વિદ્યાર્થીઓના ભવિષ્યનો ચિંતિત વિષય છે પોલિટેકનિક અભ્યાસક્રમ ની અંદર સૌથી વધુ જરૂરી એવો પ્રેક્ટીકલ અભ્યાસક્રમ છે પરંતુ છેલ્લા 2 વર્ષની અંદર યોગ્ય જરૂરી એવા પ્રેક્ટીકલ અભ્યાસક્ર ના વર્ગો લેવામાં આવ્યા નથી. જેથી વિદ્યાર્થીઓને સાચું સચોટ અને વાસ્તવિક શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને.
WatchGujarat. ભરૂચ જિલ્લા NSUI દ્વારા વિધાર્થીઓને સાથે રાખી સોમવારે કે.જે. પોલીટેકનિક ખાતે ઓફલાઇન શિક્ષણ અને પ્રેક્ટિકલ વર્ગો શરૂ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં બે વર્ષથી કોલેજમાં ખૂબ જ જરૂરી એવા પ્રેક્ટિકલના વર્ગો નહિ લઈ વિધાર્થીઓનું અહિત કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ જિલ્લા પ્રમુખ યોગી પટેલે કર્યો છે.
સાથે જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ ભાજપ સરકાર વર્ષ 2015 થી જ વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર કરી રહી હોવાની પણ કેફિયત રજૂ કરાઈ હતી. સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચની કે.જે. પોલીટેકનિક કોલેજ માં સરકારના નિયત ધારાધોરણ મુજબ વાલીઓની સંમતિપત્રક હોય તાત્કાલિક ઓફલાઈન વર્ગો અને પ્રેક્ટિકલ શરૂ કરી વાસ્તવિક શિક્ષણ આપવાની માંગણી સાથે કોલેજ કેમ્પસમાં દેખાવો કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા NSUI એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હર હંમેશ વિદ્યાર્થી વિરોધી સાબિત થઇ છે. વર્ષ 2015 થી આજ દિન સુધી વિદ્યાર્થીઓના ભવિષ્યની નિર્ણાયક પરીક્ષાઓની અંદર ગેરરીતિ જોવા મળે છે. તાજેતરમાં જ JEE ની પરીક્ષા માં ઞોટાડો જોવા મળ્યો હતો. તદુપરાંત સરકારી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોમાં વાસ્તવિક શિક્ષણનો અભાવ જોવા મળે છે. ભરૂચની કે.જે. પોલીટેકનિક કોલેજ માં સરકારના નિયત ધારાધોરણ મુજબ વાલીઓની સંમતિપત્રક હોવા છતાં વિદ્યાર્થીઓને વાસ્તવિક ઓફલાઈન શિક્ષણ થી હજુ પણ વંચિત છે.
જે વિદ્યાર્થીઓના ભવિષ્યનો ચિંતિત વિષય છે પોલિટેકનિક અભ્યાસક્રમ ની અંદર સૌથી વધુ જરૂરી એવો પ્રેક્ટીકલ અભ્યાસક્રમ છે પરંતુ છેલ્લા 2 વર્ષની અંદર યોગ્ય જરૂરી એવા પ્રેક્ટીકલ અભ્યાસક્ર ના વર્ગો લેવામાં આવ્યા નથી. જેથી વિદ્યાર્થીઓને સાચું સચોટ અને વાસ્તવિક શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને.