48 કલાકમાં શહેરના ખાડામાં ગયેલા રસ્તાઓ દુરસ્ત ન કરાઇ તો આંદોલનનું અલ્ટીમેટમ
ભાજપના રાજમાં ખાડા કૌભાંડના સુત્રોચ્ચારો વચ્ચે પાલિકાનો બોલાવ્યો હુરિયો
WatchGujarat. ભરૂચ કોરોનામુક્ત બન્યા બાદ ખાડાગ્રસ્ત બની ગયું હોવાના રોષ સાથે પશ્ચિમ શહેરના લોકો સાથે કોંગ્રેસે મંગળવારે કલેકટર કચેરીમાં ભાજપના 27 વર્ષના રાજમાં ખાડા કૌભાંડને લઈ ભારે હંગામો કર્યો હતો.
દર ચોમાસામાં ભરૂચ શહેરના માર્ગો ખાડામાં તબદીલ થઈ જતા હોય ભાજપ દ્વારા કોન્ટ્રાક્ટરોને પોષવા ખાડા કૌભાંડ ચલવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. કરોડોનો ટેક્ષ ભરતી પ્રજાને દર ચોમાસામાં ખાડામાં ગયેલા માર્ગો માટે રસ્તા ઉપર ઉતરી આંદોલનો કરવા પડે તે 27 વર્ષથી પાલિકા, રાજ્યમાં ભાજપનું કેવું શુ શાસન કહેવાય.
પાલિકા, પીડબ્લ્યુડી અને આર એન્ડ બી ને શહેરના માર્ગો દુરસ્ત કરવા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. જે બાદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેકટરને રસ્તાઓનું સમારકામ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું. રસ્તા મુદ્દે રજુઆતમાં પાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદ, સલીમ અમદાવાદી, અન્ય કોર્પોરેટરો, અબ્દુલ કામઠી અને પશ્ચિમ વિસ્તારના રહીશો જોડાય વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના તમામ રસ્તાઓ ખાડામાં ગયા હોય એક છેડેથી બીજા છેડે 5 કિલોમીટરનું અંતર કાપતા પણ અડધો કલાક નીકળી જતો હોવાનો આક્ષેપ કરાયો હતો. માત્ર ખાડા પુરવા કે પેચવર્ક કરવું કોઈ સમાધાન નથી. ખરાબ માર્ગોને લીધે ટ્રાફિકજામ, અકસ્માત અને લોકોના વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે ત્યારે કરોડોના વેરા ઉઘરાવતું તંત્ર શહેરીજનોને સારા માર્ગો આપે તે જરૂરી બન્યું હોવાનો સુર વ્યક્ત કરાયો છે.
48 કલાકમાં શહેરના ખાડામાં ગયેલા રસ્તાઓ દુરસ્ત ન કરાઇ તો આંદોલનનું અલ્ટીમેટમ
ભાજપના રાજમાં ખાડા કૌભાંડના સુત્રોચ્ચારો વચ્ચે પાલિકાનો બોલાવ્યો હુરિયો
WatchGujarat. ભરૂચ કોરોનામુક્ત બન્યા બાદ ખાડાગ્રસ્ત બની ગયું હોવાના રોષ સાથે પશ્ચિમ શહેરના લોકો સાથે કોંગ્રેસે મંગળવારે કલેકટર કચેરીમાં ભાજપના 27 વર્ષના રાજમાં ખાડા કૌભાંડને લઈ ભારે હંગામો કર્યો હતો.
દર ચોમાસામાં ભરૂચ શહેરના માર્ગો ખાડામાં તબદીલ થઈ જતા હોય ભાજપ દ્વારા કોન્ટ્રાક્ટરોને પોષવા ખાડા કૌભાંડ ચલવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. કરોડોનો ટેક્ષ ભરતી પ્રજાને દર ચોમાસામાં ખાડામાં ગયેલા માર્ગો માટે રસ્તા ઉપર ઉતરી આંદોલનો કરવા પડે તે 27 વર્ષથી પાલિકા, રાજ્યમાં ભાજપનું કેવું શુ શાસન કહેવાય.
પાલિકા, પીડબ્લ્યુડી અને આર એન્ડ બી ને શહેરના માર્ગો દુરસ્ત કરવા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. જે બાદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેકટરને રસ્તાઓનું સમારકામ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું. રસ્તા મુદ્દે રજુઆતમાં પાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદ, સલીમ અમદાવાદી, અન્ય કોર્પોરેટરો, અબ્દુલ કામઠી અને પશ્ચિમ વિસ્તારના રહીશો જોડાય વિરોધ નોંધાવ્યો હતો.
શહેરના તમામ રસ્તાઓ ખાડામાં ગયા હોય એક છેડેથી બીજા છેડે 5 કિલોમીટરનું અંતર કાપતા પણ અડધો કલાક નીકળી જતો હોવાનો આક્ષેપ કરાયો હતો. માત્ર ખાડા પુરવા કે પેચવર્ક કરવું કોઈ સમાધાન નથી. ખરાબ માર્ગોને લીધે ટ્રાફિકજામ, અકસ્માત અને લોકોના વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે ત્યારે કરોડોના વેરા ઉઘરાવતું તંત્ર શહેરીજનોને સારા માર્ગો આપે તે જરૂરી બન્યું હોવાનો સુર વ્યક્ત કરાયો છે.