દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતી ₹1600 કરોડની સબસીડી : ઉર્જા મંત્રી સૌરભ પટેલ
રાજ્યમાં વિજ ગ્રાહકોને ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે વર્ષે 150 નવા સબ-સ્ટેશનોની ઉભી કરાતી સુવિધા
ફીડરો નાના થાય અને લો-વોલ્ટેજનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ
છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને 8 સબ-સ્ટેશનની સુવિધા આપવાની સાથે આગામી 3 વર્ષમાં વધુ નવા 5 સબ-સ્ટેશન ઉભા કરાશે
રાજપીપલામાં ₹5.17 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-1 અને 2 કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ
[caption id="attachment_1390492" align="aligncenter" width="640"] power minister of gujarat saurabh patel[/caption]
WatchGujarat. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ સહિતની ઉપસ્થિતિમાં રાજપીપલામાં કાળીયાભૂત મંદિર પાસે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા ₹5.17 કરોડના ખર્ચે વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય બે કચેરીઓના નવનિર્મિત ભવનનીનું લોકાર્પણ કરાયું હતું
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળના વર્ષોમાં ગુજરાતની વિજકાપની સમસ્યા દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઐતિહાસિક જ્યોતિગ્રામ યોજના હેઠળ 18000 ગામડાંઓને 1000 દિવસમાં 24 કલાક વિજ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ખેડૂતો માંગે ત્યારે વિજળી મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતમાં 13 લાખ કૃષિ વિજ જોડાણ આપ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 5.5 લાખ કૃષિ વીજ જોડાણો અપાયાં છે. નર્મદા જિલ્લામાં 7500 કૃષિ જોડાણો અપાયાં છે. આજની તારીખમાં આ વર્ષ સિવાયના મોટા ભાગના વિજ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. આવા એક જોડાણ પાછળ સરકારને થતાં ₹1.60 લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયા જ ચાર્જ લેવાતો હોવાનું ઉમેરી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ₹1600 કરોડની સબસીડી અપાય છે, તેમ જણાવ્યું હતું.
મંત્રી સૌરભ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વિજ ગ્રાહકોને ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષે 150 નવા સબ-સ્ટેશનોની સુવિધા ઊભી કરવામાં આવે છે. ફીડરો નાના થાય અને લો-વોલ્ટેજનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં રાજ્ય સરકાર ઝડપથી આગળ વધી રહી છે. નર્મદા જિલ્લાને છેલ્લાં પાંચ વર્ષમાં 8 સબ-સ્ટેશન આપ્યા છે અને આગામી 3 વર્ષમાં વધુ નવા 5 સબ-સ્ટેશનો અપાશે. ખેડૂતોની વિજળીના ભાવમાં સરકારે વધારો કર્યો નથી અને આ ભાવ ન વધે તે માટે સરકાર દર વર્ષે GUVNL ને ₹8000 કરોડની સબસીડી ચૂકવે છે.
કલાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કરી ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, સૂર્ય-પવન દ્વારા વિજ ઉત્પાદનની દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આગામી 2 વર્ષમાં સૂર્ય-પવન દ્વારા સમગ્ર દેશમાં સૌથી વધુ વિજ ઉત્પાદન ગુજરાતમાં હશે તેવો આશાવાદ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, રૂફ- ટોપ યોજનામાં 1050 મેગાવોટ વિજળી ઉત્પાદન સાથે ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આગામી 2020 ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામડાંઓને ₹3500 કરોડના ખર્ચે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. કાર્યક્રમમાં રાજપીપલા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, DGVCL ના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ વી., અધિક્ષક ઇજનેર જે.એચ. કેદરીયા, મુખ્ય ઇજનેર જે.ડી. તન્ના હાજર રહ્યાં હતાં.
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતી ₹1600 કરોડની સબસીડી : ઉર્જા મંત્રી સૌરભ પટેલ
રાજ્યમાં વિજ ગ્રાહકોને ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે વર્ષે 150 નવા સબ-સ્ટેશનોની ઉભી કરાતી સુવિધા
ફીડરો નાના થાય અને લો-વોલ્ટેજનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ
છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને 8 સબ-સ્ટેશનની સુવિધા આપવાની સાથે આગામી 3 વર્ષમાં વધુ નવા 5 સબ-સ્ટેશન ઉભા કરાશે
રાજપીપલામાં ₹5.17 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-1 અને 2 કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ
[caption id="attachment_1390492" align="aligncenter" width="640"] power minister of gujarat saurabh patel[/caption]
WatchGujarat. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ સહિતની ઉપસ્થિતિમાં રાજપીપલામાં કાળીયાભૂત મંદિર પાસે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા ₹5.17 કરોડના ખર્ચે વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય બે કચેરીઓના નવનિર્મિત ભવનનીનું લોકાર્પણ કરાયું હતું
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળના વર્ષોમાં ગુજરાતની વિજકાપની સમસ્યા દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઐતિહાસિક જ્યોતિગ્રામ યોજના હેઠળ 18000 ગામડાંઓને 1000 દિવસમાં 24 કલાક વિજ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ખેડૂતો માંગે ત્યારે વિજળી મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતમાં 13 લાખ કૃષિ વિજ જોડાણ આપ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 5.5 લાખ કૃષિ વીજ જોડાણો અપાયાં છે. નર્મદા જિલ્લામાં 7500 કૃષિ જોડાણો અપાયાં છે. આજની તારીખમાં આ વર્ષ સિવાયના મોટા ભાગના વિજ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. આવા એક જોડાણ પાછળ સરકારને થતાં ₹1.60 લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયા જ ચાર્જ લેવાતો હોવાનું ઉમેરી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ₹1600 કરોડની સબસીડી અપાય છે, તેમ જણાવ્યું હતું.
મંત્રી સૌરભ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વિજ ગ્રાહકોને ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષે 150 નવા સબ-સ્ટેશનોની સુવિધા ઊભી કરવામાં આવે છે. ફીડરો નાના થાય અને લો-વોલ્ટેજનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં રાજ્ય સરકાર ઝડપથી આગળ વધી રહી છે. નર્મદા જિલ્લાને છેલ્લાં પાંચ વર્ષમાં 8 સબ-સ્ટેશન આપ્યા છે અને આગામી 3 વર્ષમાં વધુ નવા 5 સબ-સ્ટેશનો અપાશે. ખેડૂતોની વિજળીના ભાવમાં સરકારે વધારો કર્યો નથી અને આ ભાવ ન વધે તે માટે સરકાર દર વર્ષે GUVNL ને ₹8000 કરોડની સબસીડી ચૂકવે છે.
કલાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કરી ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, સૂર્ય-પવન દ્વારા વિજ ઉત્પાદનની દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આગામી 2 વર્ષમાં સૂર્ય-પવન દ્વારા સમગ્ર દેશમાં સૌથી વધુ વિજ ઉત્પાદન ગુજરાતમાં હશે તેવો આશાવાદ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, રૂફ- ટોપ યોજનામાં 1050 મેગાવોટ વિજળી ઉત્પાદન સાથે ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આગામી 2020 ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામડાંઓને ₹3500 કરોડના ખર્ચે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. કાર્યક્રમમાં રાજપીપલા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, DGVCL ના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ વી., અધિક્ષક ઇજનેર જે.એચ. કેદરીયા, મુખ્ય ઇજનેર જે.ડી. તન્ના હાજર રહ્યાં હતાં.