રોજના 200 પોઝિટિવ કેસના જિલ્લામાં બ્લાસ્ટ વચ્ચે બાળકોને શાળાએ બોલાવવા કેટલા યોગ્ય
શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રે તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી
રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરાઇ છે ત્યારે અંગત સ્વાર્થ માટે આવો મનસૂબો બની શકે છે ઘાતક
કલાસરૂમમાં ભૂલકાંઓ અને શિક્ષક પણ માસ્ક વિના જોવા મળ્યા
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના રોજના 200 કેસો સામે આવી રહ્યા છે ત્યારે શેરપુરા ગામે ચાલતી બ્રાઇટ એન્જલ પ્રિ-સ્કૂલે નાના ભૂલકાંઓને શાળાએ બોલાવી તેમના જીવ જોખમમાં મુકવાની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. હવે શિક્ષણ અને વહીવટી વિભાગ આ પ્રિ-સ્કૂલના સંચાલકો સામે કઈ કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સમગ્ર ગુજરાતમાં હાલ 10,000 થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં પણ સરેરાશ રોજ 200 જેટલા પોઝિટિવ કેસનો બ્લાસ્ટ થઈ રહ્યો છે. મહામારીની ગંભીરતા ધ્યાને લઇ રાજ્ય સરકારે પહેલાથી જ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ફરજીયાત કરી શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવા ફરમાન કરી દીધું હતું.
જોકે ભરૂચમાં સરકારના ફરમાન અને કોવિડ-19 ના નિયમોની ઐસી તેસી કરી એક શાળાએ ભૂલકાંઓને બોલાવી તેમના જીવ જોખમમાં મુક્યા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. શેરપુરાની બ્રાઇટ એન્જલ પ્રિ-એન્જલ સ્કૂલમાં નાના ભૂલકાઓને બુધવારે બોલાવવામાં આવ્યા હતા. યુનિફ્રોમ, સ્કૂલ બેગ સાથે નાના માસૂમ બાળકો શાળાએ ઉમટી પડ્યા હતા.
જેઓને માસ્ક પહેરવાની પણ કલાસરૂમમાં સંચાલકો કે શિક્ષક દ્વારા તકેદારી લેવામાં આવી ન હતી. કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામા ભુલકાંઓ બોલાવી જોખમ ઉભું કરાયાના દ્રશ્યો સામે આવતા શિક્ષણ અને જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.
વાલીઓએ પણ મહામારી વચ્ચે પોતાના સંતાનોને ક્યાં દાબ દબાણ હેઠળ મોકલ્યા તેવા સવાલો ઉભા થયા છે. જિલ્લા શિક્ષણ વિભાગે શાળા ઉપર ટીમ મોકલી પ્રિ-સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને વાલીઓના જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જીવ કરતા એવું તો કયું અગત્યનું કામ હતું જેમાં ભૂલકાંઓના જીવની પરવા કર્યા વગર, ગાઈડલાઈન, સરકારી તાકીદ અને નિયમોને નેવે મૂકી સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા તે સવાલ હવે સૌ કોઈને સતાવી રહ્યો છે.
રોજના 200 પોઝિટિવ કેસના જિલ્લામાં બ્લાસ્ટ વચ્ચે બાળકોને શાળાએ બોલાવવા કેટલા યોગ્ય
શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રે તપાસ સાથે કાર્યવાહી શરૂ કરી
રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરાઇ છે ત્યારે અંગત સ્વાર્થ માટે આવો મનસૂબો બની શકે છે ઘાતક
કલાસરૂમમાં ભૂલકાંઓ અને શિક્ષક પણ માસ્ક વિના જોવા મળ્યા
WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના રોજના 200 કેસો સામે આવી રહ્યા છે ત્યારે શેરપુરા ગામે ચાલતી બ્રાઇટ એન્જલ પ્રિ-સ્કૂલે નાના ભૂલકાંઓને શાળાએ બોલાવી તેમના જીવ જોખમમાં મુકવાની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. હવે શિક્ષણ અને વહીવટી વિભાગ આ પ્રિ-સ્કૂલના સંચાલકો સામે કઈ કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સમગ્ર ગુજરાતમાં હાલ 10,000 થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં પણ સરેરાશ રોજ 200 જેટલા પોઝિટિવ કેસનો બ્લાસ્ટ થઈ રહ્યો છે. મહામારીની ગંભીરતા ધ્યાને લઇ રાજ્ય સરકારે પહેલાથી જ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ફરજીયાત કરી શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવા ફરમાન કરી દીધું હતું.
જોકે ભરૂચમાં સરકારના ફરમાન અને કોવિડ-19 ના નિયમોની ઐસી તેસી કરી એક શાળાએ ભૂલકાંઓને બોલાવી તેમના જીવ જોખમમાં મુક્યા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. શેરપુરાની બ્રાઇટ એન્જલ પ્રિ-એન્જલ સ્કૂલમાં નાના ભૂલકાઓને બુધવારે બોલાવવામાં આવ્યા હતા. યુનિફ્રોમ, સ્કૂલ બેગ સાથે નાના માસૂમ બાળકો શાળાએ ઉમટી પડ્યા હતા.
જેઓને માસ્ક પહેરવાની પણ કલાસરૂમમાં સંચાલકો કે શિક્ષક દ્વારા તકેદારી લેવામાં આવી ન હતી. કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામા ભુલકાંઓ બોલાવી જોખમ ઉભું કરાયાના દ્રશ્યો સામે આવતા શિક્ષણ અને જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું.
વાલીઓએ પણ મહામારી વચ્ચે પોતાના સંતાનોને ક્યાં દાબ દબાણ હેઠળ મોકલ્યા તેવા સવાલો ઉભા થયા છે. જિલ્લા શિક્ષણ વિભાગે શાળા ઉપર ટીમ મોકલી પ્રિ-સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને વાલીઓના જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જીવ કરતા એવું તો કયું અગત્યનું કામ હતું જેમાં ભૂલકાંઓના જીવની પરવા કર્યા વગર, ગાઈડલાઈન, સરકારી તાકીદ અને નિયમોને નેવે મૂકી સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા તે સવાલ હવે સૌ કોઈને સતાવી રહ્યો છે.