ભરૂચના પત્રકાર દિનેશ અડવાણી પર હૂમલો કરવાના મામલામાં ધરપકડ
સુરત ભટારના યુવાનની મહારાષ્ટ્રના નવાપુર ખાતે હત્યા કેસમાં અનિલ કાંઠી વોન્ટેડ હતો
ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો એ પત્રકાર અને કોંગી આગેવાનની સોપારી આપતાં 8મી ઓગષ્ટે જીવલેણ હૂમલો કરાયો હતો
અન્ય રાજ્યોમાં પણ કોઇ ગુનાઇત ભુતકાળ છે કે કેમ તેની પણ તપાસ કરાશે : ASP વિકાસ સુંડા
WatchGujarat. ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થે શહેરના પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી પર ગત 8મી ઓગષ્ટના રોજ હૂમલો કરાવ્યો હતો. જે જીવલેણ હુમલામાં પોલીસે સુરતના ખુંખાર ગુનેગાર અને છોટા રાજન ગેંગના કહેવાતા સાગરીત અનિલ કાઠીને ઝાડેશ્વર ચોકડીથી ઝડપી પાડ્યો છે.
ભરૂચના પત્રકાર અને કોંગી આગેવાન પર હુમલામાં અગાઉ પોલીસે તિલક હરિકૃષ્ણ પટેલ રહે. જ્યોતિનગર તેમજ નયન ઉર્ફે બોબડો કાયસ્થ ભરૂચની ધરપકડ કરતાં પુછપરછમાં નયન કાયસ્થે સુરતના ખુંખાર ગુનેગાર અને છોટા રાજન ગેંગના અનિલ કાઠીને સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.
પત્રકાર પર હૂમલાના દિવસે તિલકે અનિલ કાઠી અને તેના સાગરિતોને ભરૂચ હાઇવે પર નબીપુર પાસે આવેલી શિવકૃપા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત તેમની સાથે દિનેશ અડવાણીની દિવસભર રેકી કર્યાં બાદ રાત્રીના સમયે ઝાડેશ્વર ચોકડીથી ઇનોવા કારમાં પીછો કરી દિનેશ અડવાણીના ઘર સુધી પહોંચી ત્યાં તેમની ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓના સગડ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી.
ભરૂચ ASP વિકાસ સુંડાને ચોક્કસ બાતમી મળી હતી કે, અનિલ ખીમજી રાણવા ઉર્ફ અનિલ કાઠી રહે. નવનાથ સોસયો સર્કલ પાસે, ખટોદરા, સુરત હૂમલામાં વપરાયેલી ઇનોવા કારમાં સૂરતથી ભરૂચ તરફ જઇ રહ્યો છે. જેના પગલે ઝાડેશ્વર ચોકડી પર પોલીસે વોચ ગોઠવી અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો. ASP વિકાસ સુંડા એ જણાવ્યું હતું કે, ભરૂચના પત્રકાર પર થયેલાં જીવલેણ હૂમલા કેસમાં અનિલ કાઠીની ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીના 20 થી વધુ ગુનાની વિગતો મળી છે. અન્ય રાજ્યોમાં પણ તેનો કોઇ ગુનાઇત ભુતકાળ છે કે કેમ તેની પણ તપાસ કરાશે.
અનિલ કાઠી સામે 20 થી વધુ ગુના દાખલ
અનિલ કાઠી સામે હત્યા, મારામારી, હત્યાની કોશિષ, લૂંટ, ધાકધમકી, આર્મસ એક્ટ, પ્રોહિબિશન સહિતના 20 થી વધુ ગુના નોંધાયાં છે. જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પાસાની કાર્યવાહી પણ થઇ છે.
સૂરતના બિલ્ડર પાસે ધર્મેશ પંજાબી અને અનિલ કાઠીએ 2 વર્ષ પહેલાં ₹ 10 લાખની ખંડણી માંગી હતી
બે વર્ષ પહેલાં છોટારાજન ગેંગનો સાગરિત ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સુરતના સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી.
મહારાષ્ટ્રના નવાપુરમાં સુરત પોલીસના બાતમીદાર ભટારના યુવાનની હત્યા કરી લાશ કારમાં મુકી કાઠી ભાગી ગયો હતો
ગત 17 જૂને ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે રોડ ઉપર કારમાંથી સુરતના ભટારના ભાવેશ મહેતાની હત્યા કરાયેલી લાશ કારમાંથી મળી હતી. સુરત પોલીસના બાતમીદારની હત્યા કરેલી લાશ મળવાની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાં સુરતનો કુખ્યાત અનિલ કાઠીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચના પત્રકાર દિનેશ અડવાણી પર હૂમલો કરવાના મામલામાં ધરપકડ
સુરત ભટારના યુવાનની મહારાષ્ટ્રના નવાપુર ખાતે હત્યા કેસમાં અનિલ કાંઠી વોન્ટેડ હતો
ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો એ પત્રકાર અને કોંગી આગેવાનની સોપારી આપતાં 8મી ઓગષ્ટે જીવલેણ હૂમલો કરાયો હતો
અન્ય રાજ્યોમાં પણ કોઇ ગુનાઇત ભુતકાળ છે કે કેમ તેની પણ તપાસ કરાશે : ASP વિકાસ સુંડા
WatchGujarat. ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થે શહેરના પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી પર ગત 8મી ઓગષ્ટના રોજ હૂમલો કરાવ્યો હતો. જે જીવલેણ હુમલામાં પોલીસે સુરતના ખુંખાર ગુનેગાર અને છોટા રાજન ગેંગના કહેવાતા સાગરીત અનિલ કાઠીને ઝાડેશ્વર ચોકડીથી ઝડપી પાડ્યો છે.
ભરૂચના પત્રકાર અને કોંગી આગેવાન પર હુમલામાં અગાઉ પોલીસે તિલક હરિકૃષ્ણ પટેલ રહે. જ્યોતિનગર તેમજ નયન ઉર્ફે બોબડો કાયસ્થ ભરૂચની ધરપકડ કરતાં પુછપરછમાં નયન કાયસ્થે સુરતના ખુંખાર ગુનેગાર અને છોટા રાજન ગેંગના અનિલ કાઠીને સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.
પત્રકાર પર હૂમલાના દિવસે તિલકે અનિલ કાઠી અને તેના સાગરિતોને ભરૂચ હાઇવે પર નબીપુર પાસે આવેલી શિવકૃપા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત તેમની સાથે દિનેશ અડવાણીની દિવસભર રેકી કર્યાં બાદ રાત્રીના સમયે ઝાડેશ્વર ચોકડીથી ઇનોવા કારમાં પીછો કરી દિનેશ અડવાણીના ઘર સુધી પહોંચી ત્યાં તેમની ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓના સગડ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી.
ભરૂચ ASP વિકાસ સુંડાને ચોક્કસ બાતમી મળી હતી કે, અનિલ ખીમજી રાણવા ઉર્ફ અનિલ કાઠી રહે. નવનાથ સોસયો સર્કલ પાસે, ખટોદરા, સુરત હૂમલામાં વપરાયેલી ઇનોવા કારમાં સૂરતથી ભરૂચ તરફ જઇ રહ્યો છે. જેના પગલે ઝાડેશ્વર ચોકડી પર પોલીસે વોચ ગોઠવી અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો. ASP વિકાસ સુંડા એ જણાવ્યું હતું કે, ભરૂચના પત્રકાર પર થયેલાં જીવલેણ હૂમલા કેસમાં અનિલ કાઠીની ધરપકડ કરાઇ છે. અત્યાર સુધીના 20 થી વધુ ગુનાની વિગતો મળી છે. અન્ય રાજ્યોમાં પણ તેનો કોઇ ગુનાઇત ભુતકાળ છે કે કેમ તેની પણ તપાસ કરાશે.
અનિલ કાઠી સામે 20 થી વધુ ગુના દાખલ
અનિલ કાઠી સામે હત્યા, મારામારી, હત્યાની કોશિષ, લૂંટ, ધાકધમકી, આર્મસ એક્ટ, પ્રોહિબિશન સહિતના 20 થી વધુ ગુના નોંધાયાં છે. જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પાસાની કાર્યવાહી પણ થઇ છે.
સૂરતના બિલ્ડર પાસે ધર્મેશ પંજાબી અને અનિલ કાઠીએ 2 વર્ષ પહેલાં ₹ 10 લાખની ખંડણી માંગી હતી
બે વર્ષ પહેલાં છોટારાજન ગેંગનો સાગરિત ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સુરતના સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી.
મહારાષ્ટ્રના નવાપુરમાં સુરત પોલીસના બાતમીદાર ભટારના યુવાનની હત્યા કરી લાશ કારમાં મુકી કાઠી ભાગી ગયો હતો
ગત 17 જૂને ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે રોડ ઉપર કારમાંથી સુરતના ભટારના ભાવેશ મહેતાની હત્યા કરાયેલી લાશ કારમાંથી મળી હતી. સુરત પોલીસના બાતમીદારની હત્યા કરેલી લાશ મળવાની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાં સુરતનો કુખ્યાત અનિલ કાઠીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.