ભરૂચમાં ગણેશ વિસર્જન માટે ભક્તોએ લેવો પડશે ભૃગુઋષિ બ્રિજનો સહારો
કસક ગરનાળુ પહોળું કરવા માટે 11 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ
રેલવે સ્ટેશનથી કસક, ઝાડેશ્વર, કોલેજ રોડ અંકલેશ્વર તરફ ટુ, થ્રિ વ્હિલર અને ઇમરજન્સી વાહનો જઈ શકશે
કસકથી ભરૂચ તરફ આવતા અન્ય વાહનોને ભોલાવ ફ્લાયઓવરનો કરવો પડશે ઉપયોગ
[caption id="attachment_1395146" align="aligncenter" width="640"] Bharuch - under bridge closed[/caption]
WatchGujarat. વિઘ્નહર્તાના આગમન ટાણે જ ભરૂચમાં વાહનચાલકો અને આયોજકો ઉપર વિઘ્ન આવી પડ્યું છે. કસક ગરનાળુ પહોળું કરવા 11 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ કરતું જાહેરનામું જારી કરાતા હવે ભૃગુઋષિ બ્રિજ 15 દિવસ માટે પૂર્વથી પશ્ચિમ ભરૂચમાં અવરજવર માટે આધાર બની રહેશે.
ભરૂચમાં શ્રી ગણેશ મહોત્સવની પૂર્વ સંધ્યાએ જ તા. 11 થી 25 સપ્ટેમ્બર 15 દિવસ માટે કસકનાળાને બંધ કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ પ્રકારના વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. કાર્યપાલક ઇજનેરના પત્ર મુજબ ભરૂચ ખાતે કન્સ્ટ્રકશન ઓફ ફોર લેન નર્મદા મૈયા બ્રીજ વિથ અપ્રોચીઝ અક્રોસ રીવર નર્મદામાં વધારાની કામગીરીમાં કસકનાળાને પહોળો કરવાની જરૂરયાત છે.
જે કામગીરી માટે કસક અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ કર્યા બાદ જ કામગીરી થઇ શકે તેમ છે. આથી વડોદરા તરફના તેમજ સુરત તરફનો વાહન વ્યવહાર વૈકલ્પિક રૂટ બહાર પાડવા રજૂઆત કરાઈ હતી. જે અન્વયે પોલીસ અધિકક્ષકના પત્રથી જરૂરી અભિપ્રાય આપી રૂટ ડાયવર્ઝન અપાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ -1951 ની કલમ 33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂએ તા 11 થી 25 સપ્ટેમ્બર સુધી દિન 15 માટે કસકનાળાને બંધ કરવા હુકમ કર્યો છે.
કસક ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ પ્રકારના વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરાયો છે. કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતા વાહનો- કસક સર્કલ થઇ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઇ ભૃગુઋષિ બ્રીજ ભોલાવ ઓવરબ્રીજથી શકિતનાથ તરફ તેમજ પોલીટેકનીક સ્કુલથી સ્ટેશન સર્કલ તરફ જઇ શકશે.
નર્મદા ચોકડીથી એ.બી.સી સર્કલ થઇને અંકલેશ્વર તરફ જતો વાહન વ્યવહાર નવા ચારમાર્ગીય નર્મદામૈયા પુલ ઉપર થઇને અંકલેશ્વર તરફ જઇ શકાશે. કસક સર્કલથી કસક અંડરપાસમાંથી જુના ભરૂચ સીટી તરફ જતા ટ્રાફિકને વૈકલ્પિક રૂટ તરીકે કસક સર્કલથી શીતલ સર્કલ થઇને કોલેજ તરફથી આગળ આવતા ભોલાવ પુલ પરથી થઇને શકિતનાથ સર્કલથી સીટી તરફ જઇ શકાશે. જ્યારે કસક સર્કલથી કસક અંડરપાસમાંથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતો રસ્તો કામગીરી દરમ્યાન ચાલુ રાખવામાં આવનાર છે.
ભરૂચ સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ ફકત ટુ વ્હીલર , થ્રી વ્હીલર તેમજ ઇમરજન્સી વાહન જઇ શકશે. કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ વાહનો જઇ શકશે નહિ. કસક ગરનાળુ 15 દિવસ બંધ રહેતા વિસર્જન ટાણે આયોજકો અને ભક્તોએ પશ્ચિમ ભરૂચમાંથી પૂર્વ ભરૂચમાં ઝાડેશ્વર તરફ જવા ભૃગુ ઋષી બ્રિજનો ઉપયોગ કરવો પડશે.
ભરૂચમાં ગણેશ વિસર્જન માટે ભક્તોએ લેવો પડશે ભૃગુઋષિ બ્રિજનો સહારો
કસક ગરનાળુ પહોળું કરવા માટે 11 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ
રેલવે સ્ટેશનથી કસક, ઝાડેશ્વર, કોલેજ રોડ અંકલેશ્વર તરફ ટુ, થ્રિ વ્હિલર અને ઇમરજન્સી વાહનો જઈ શકશે
કસકથી ભરૂચ તરફ આવતા અન્ય વાહનોને ભોલાવ ફ્લાયઓવરનો કરવો પડશે ઉપયોગ
[caption id="attachment_1395146" align="aligncenter" width="640"] Bharuch - under bridge closed[/caption]
WatchGujarat. વિઘ્નહર્તાના આગમન ટાણે જ ભરૂચમાં વાહનચાલકો અને આયોજકો ઉપર વિઘ્ન આવી પડ્યું છે. કસક ગરનાળુ પહોળું કરવા 11 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ કરતું જાહેરનામું જારી કરાતા હવે ભૃગુઋષિ બ્રિજ 15 દિવસ માટે પૂર્વથી પશ્ચિમ ભરૂચમાં અવરજવર માટે આધાર બની રહેશે.
ભરૂચમાં શ્રી ગણેશ મહોત્સવની પૂર્વ સંધ્યાએ જ તા. 11 થી 25 સપ્ટેમ્બર 15 દિવસ માટે કસકનાળાને બંધ કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ પ્રકારના વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. કાર્યપાલક ઇજનેરના પત્ર મુજબ ભરૂચ ખાતે કન્સ્ટ્રકશન ઓફ ફોર લેન નર્મદા મૈયા બ્રીજ વિથ અપ્રોચીઝ અક્રોસ રીવર નર્મદામાં વધારાની કામગીરીમાં કસકનાળાને પહોળો કરવાની જરૂરયાત છે.
જે કામગીરી માટે કસક અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ કર્યા બાદ જ કામગીરી થઇ શકે તેમ છે. આથી વડોદરા તરફના તેમજ સુરત તરફનો વાહન વ્યવહાર વૈકલ્પિક રૂટ બહાર પાડવા રજૂઆત કરાઈ હતી. જે અન્વયે પોલીસ અધિકક્ષકના પત્રથી જરૂરી અભિપ્રાય આપી રૂટ ડાયવર્ઝન અપાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ -1951 ની કલમ 33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂએ તા 11 થી 25 સપ્ટેમ્બર સુધી દિન 15 માટે કસકનાળાને બંધ કરવા હુકમ કર્યો છે.
કસક ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ પ્રકારના વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરાયો છે. કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતા વાહનો- કસક સર્કલ થઇ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઇ ભૃગુઋષિ બ્રીજ ભોલાવ ઓવરબ્રીજથી શકિતનાથ તરફ તેમજ પોલીટેકનીક સ્કુલથી સ્ટેશન સર્કલ તરફ જઇ શકશે.
નર્મદા ચોકડીથી એ.બી.સી સર્કલ થઇને અંકલેશ્વર તરફ જતો વાહન વ્યવહાર નવા ચારમાર્ગીય નર્મદામૈયા પુલ ઉપર થઇને અંકલેશ્વર તરફ જઇ શકાશે. કસક સર્કલથી કસક અંડરપાસમાંથી જુના ભરૂચ સીટી તરફ જતા ટ્રાફિકને વૈકલ્પિક રૂટ તરીકે કસક સર્કલથી શીતલ સર્કલ થઇને કોલેજ તરફથી આગળ આવતા ભોલાવ પુલ પરથી થઇને શકિતનાથ સર્કલથી સીટી તરફ જઇ શકાશે. જ્યારે કસક સર્કલથી કસક અંડરપાસમાંથી સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતો રસ્તો કામગીરી દરમ્યાન ચાલુ રાખવામાં આવનાર છે.
ભરૂચ સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ ફકત ટુ વ્હીલર , થ્રી વ્હીલર તેમજ ઇમરજન્સી વાહન જઇ શકશે. કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ વાહનો જઇ શકશે નહિ. કસક ગરનાળુ 15 દિવસ બંધ રહેતા વિસર્જન ટાણે આયોજકો અને ભક્તોએ પશ્ચિમ ભરૂચમાંથી પૂર્વ ભરૂચમાં ઝાડેશ્વર તરફ જવા ભૃગુ ઋષી બ્રિજનો ઉપયોગ કરવો પડશે.