પાલિતાણામાં માતા એક્ટિવા લઈ સંતાનોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં ત્યારે ઘટના બની
રસ્તામાં નાળામાં એક્ટિવા પાણીમાં તણાતાં બંને બાળકો પાણીમાં ગરકાવ થયાં, માતાનો બચાવ
પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી
કલાકોની જહેમત બાદ બંને તણાયેલાં બાળકોની લાશ મળી હતી
WatchGujarat. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 163 તાલુકામાં વરસાદ (monsoon) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના દેડીયાપાડા 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી રોડ પર માતા, પુત્રી અને પુત્ર સહિત ત્રણેય પાણીમાં તણાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.
મળતી વિગત મુજબ આ ઘટનામાં માતાનો બચાવ થયો હતો. પરંતુ પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે. શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં મીનાબેન રાજુભાઈ જેઠવા પોતાના સંતાનો પુત્રી જેઠવા કિરણ રાજુભાઈ (ઉં.મ.12) તથા પુત્ર જેઠવા વિનય રાજુભાઈ (ઉં.મ.18)ને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. જે દરમિયાન ભારે વરસાદના કારણે કૉઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુઃખદ ઘટના બની હતી. આ ઘટના અંગે તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી.
કલાકોની જહેમત બાદ બંને તણાયેલાં બાળકોની લાશ મળી હતી. સ્થાનિક લોકો પણ આ બચાવ કાર્યમાં જોડાયા છે. પરંતુ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાલિતાણામાં માતા એક્ટિવા લઈ સંતાનોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં ત્યારે ઘટના બની
કલાકોની જહેમત બાદ બંને તણાયેલાં બાળકોની લાશ મળી હતી
WatchGujarat. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 163 તાલુકામાં વરસાદ (monsoon) નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના દેડીયાપાડા 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે જિલ્લાના પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી રોડ પર માતા, પુત્રી અને પુત્ર સહિત ત્રણેય પાણીમાં તણાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.
મળતી વિગત મુજબ આ ઘટનામાં માતાનો બચાવ થયો હતો. પરંતુ પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે. શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં મીનાબેન રાજુભાઈ જેઠવા પોતાના સંતાનો પુત્રી જેઠવા કિરણ રાજુભાઈ (ઉં.મ.12) તથા પુત્ર જેઠવા વિનય રાજુભાઈ (ઉં.મ.18)ને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. જે દરમિયાન ભારે વરસાદના કારણે કૉઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુઃખદ ઘટના બની હતી. આ ઘટના અંગે તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી.
કલાકોની જહેમત બાદ બંને તણાયેલાં બાળકોની લાશ મળી હતી. સ્થાનિક લોકો પણ આ બચાવ કાર્યમાં જોડાયા છે. પરંતુ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.