ભાવનગર શહેર વાલ્કેટ વિસ્તારમાંથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મૂકી ગયો
આવું કોણે કર્યું હશે અને શા માટે તે એક ચર્ચાનો વિષય બન્યો છે
[caption id="attachment_1388714" align="aligncenter" width="640"] Superstition related to mobile phone[/caption]
WatchGujarat. અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો આજમાવી લોકો મૂંગા પ્રાણીઓ તથા પશુઓનો જીવ લેવામાં પણ ખચકાતા નથી. આજે આવો જ એક અચરજ પમાડે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તાર માંથી આવ્યો છે. જેમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે તેવી રીતે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
આપણા દેશમાં નજર ઉતારા કરી ચાર રસ્તા ઉપર અનેક વસ્તુઓ મૂકી દેવામાં આવતી હોય છે.સાથે જ ઘણા લોકો ચાર રસ્તા ઉપર તાંત્રિક વિધિમાં વપરાયેલું નારિયેળ પણ મૂકી જતા હોય છે.પણ ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અજીબોગરીબ ઘટના બની હતી.જ્યા મોડી રાત્રે કોઈ નાળિયેળ પર મોબાઇલ ફોન બાંધી મૂકી ગયું હતું.
આ જોતા જ ઘણા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. લોકો વિધિ કરીને ખાવાની વસ્તુઓ લીંબુ, નાળિયેળ,કોળું, દીવો વગેરે જેવી વસ્તુઓ મૂકી જતા હોય છે.પરંતુ હજુ સુધી કોઈએ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીની મુક્યો નહોતો.ભાવનગરમાં કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મૂકી ગયો હતો.આખરે આવુ કોણે કર્યું છે. ટેકનોલોજી સાથે કોણે આ અંધશ્રદ્ધા જોડી છે. તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તારમાં મોડી રાત્રે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેળ પર તાંત્રિક વિધિ કરીને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું.આખરે આવું કોણે કર્યું હશે અને શા માટે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
ભાવનગર શહેર વાલ્કેટ વિસ્તારમાંથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મૂકી ગયો
આવું કોણે કર્યું હશે અને શા માટે તે એક ચર્ચાનો વિષય બન્યો છે
[caption id="attachment_1388714" align="aligncenter" width="640"] Superstition related to mobile phone[/caption]
WatchGujarat. અંધશ્રદ્ધાની આડમાં લોકો એટલા ઓત પ્રોત થઇ જાય છે, કે તે શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રહેતો નથી. અને અંધશ્રદ્ધામાં અનેક અજીબો ગરીબ ઉપાયો આજમાવી લોકો મૂંગા પ્રાણીઓ તથા પશુઓનો જીવ લેવામાં પણ ખચકાતા નથી. આજે આવો જ એક અચરજ પમાડે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તાર માંથી આવ્યો છે. જેમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે તેવી રીતે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
આપણા દેશમાં નજર ઉતારા કરી ચાર રસ્તા ઉપર અનેક વસ્તુઓ મૂકી દેવામાં આવતી હોય છે.સાથે જ ઘણા લોકો ચાર રસ્તા ઉપર તાંત્રિક વિધિમાં વપરાયેલું નારિયેળ પણ મૂકી જતા હોય છે.પણ ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અજીબોગરીબ ઘટના બની હતી.જ્યા મોડી રાત્રે કોઈ નાળિયેળ પર મોબાઇલ ફોન બાંધી મૂકી ગયું હતું.
આ જોતા જ ઘણા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. લોકો વિધિ કરીને ખાવાની વસ્તુઓ લીંબુ, નાળિયેળ,કોળું, દીવો વગેરે જેવી વસ્તુઓ મૂકી જતા હોય છે.પરંતુ હજુ સુધી કોઈએ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીની મુક્યો નહોતો.ભાવનગરમાં કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મૂકી ગયો હતો.આખરે આવુ કોણે કર્યું છે. ટેકનોલોજી સાથે કોણે આ અંધશ્રદ્ધા જોડી છે. તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
ભાવનગર શહેરના વાલ્કેટ વિસ્તારમાં મોડી રાત્રે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેળ પર તાંત્રિક વિધિ કરીને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું.આખરે આવું કોણે કર્યું હશે અને શા માટે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.