પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થતાં મામલે ભાજપની કમલમમાં પ્રેસ કોન્ફરન્સ
લોકશાહી દેશમાં વડાપ્રધાનને રોકવાનો પ્રયત્ન થયો એ પ્રથમ વખત બન્યું છે : સી.આર.પાટીલ
પંજાબ સરકારે આ મામલે દેશની જનતાને જવાબ પડશે : સી.આર.પાટીલ
WatchGujarat.PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાને બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ, સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા. આ મામલે સમગ્ર દેશમાં કોંગ્રેસ સામે વિરોધ ભભૂકી ઉઠ્યો છે .જેને લઇને ભાજપ દ્વારા રેલીઓ કાઢી વિરોધ કરવામાં આવી રહ્યા છે તો આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં મિડીયા સાથે વાત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી સાથે પંજાબમાં જે થયું તેના પરિણામ કોંગ્રેસે ભોગવવા પડશે. વડાપ્રધાન જે રૂટ પર જવાના હોય તે રૂટ પહેલેથી જ સુરક્ષીત હોવો જોઇએ. વડાપ્રધાન પંજાબના પ્રવાસે જે રૂટથી જવાના હતા તેની માહિતી માત્ર પંજાબનાં મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને હતી. તો પછી આંદલનકારીઓને વડાપ્રધાનના રૂટની જાણ કઇ રીતે થઇ તે મોટો સવાલ છે. આંદોલન કારી વડાપ્રધાનના કાફલા સુધી પહોંચી ગયા છતાં પંજાબ સરકાર દ્વારા કોઇ એક્શન લેવામાં આવ્યું ન હતુ અને પંજાબ પોલીસ આંદોલનકારી સાથે ચા પી રહી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે લોકશાહી દેશમાં વડાપ્રધાનને રોકવાનો પ્રયત્ન થયો તેવું પ્રથમ વખત બન્યું છે. આ મામલે કોંગ્રેસે દેશના લોકો સામે માફી માંગવી જોઇએ. જ્યાં વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 10 કિલોમીટર જ દૂર હતી. તેવામાં પંજાબ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂક્યો હતો. પંજાબ સરકારે આ વાતનો જવાબ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. જેને લઇને દેશભરમાં ભાજપ વિરોધ કરી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. આ કમિટી સુરક્ષા ચૂકના મામલાની તપાસ કરશે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રા, NIAના DGના પ્રતિનિધિ તરીકે IG, ચંદીગઢના DGP, પંજાબના ADGP અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે. આ કમિટી સિવાયની કેન્દ્ર અને રાજ્યની તપાસ કમિટીઓ પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં ચૂકની હાઈ લેવલ તપાસ થશે.
લોકશાહી દેશમાં વડાપ્રધાનને રોકવાનો પ્રયત્ન થયો એ પ્રથમ વખત બન્યું છે : સી.આર.પાટીલ
પંજાબ સરકારે આ મામલે દેશની જનતાને જવાબ પડશે : સી.આર.પાટીલ
WatchGujarat.PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાને બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ, સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા. આ મામલે સમગ્ર દેશમાં કોંગ્રેસ સામે વિરોધ ભભૂકી ઉઠ્યો છે .જેને લઇને ભાજપ દ્વારા રેલીઓ કાઢી વિરોધ કરવામાં આવી રહ્યા છે તો આજે ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં મિડીયા સાથે વાત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી સાથે પંજાબમાં જે થયું તેના પરિણામ કોંગ્રેસે ભોગવવા પડશે. વડાપ્રધાન જે રૂટ પર જવાના હોય તે રૂટ પહેલેથી જ સુરક્ષીત હોવો જોઇએ. વડાપ્રધાન પંજાબના પ્રવાસે જે રૂટથી જવાના હતા તેની માહિતી માત્ર પંજાબનાં મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને હતી. તો પછી આંદલનકારીઓને વડાપ્રધાનના રૂટની જાણ કઇ રીતે થઇ તે મોટો સવાલ છે. આંદોલન કારી વડાપ્રધાનના કાફલા સુધી પહોંચી ગયા છતાં પંજાબ સરકાર દ્વારા કોઇ એક્શન લેવામાં આવ્યું ન હતુ અને પંજાબ પોલીસ આંદોલનકારી સાથે ચા પી રહી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે લોકશાહી દેશમાં વડાપ્રધાનને રોકવાનો પ્રયત્ન થયો તેવું પ્રથમ વખત બન્યું છે. આ મામલે કોંગ્રેસે દેશના લોકો સામે માફી માંગવી જોઇએ. જ્યાં વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 10 કિલોમીટર જ દૂર હતી. તેવામાં પંજાબ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂક્યો હતો. પંજાબ સરકારે આ વાતનો જવાબ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. જેને લઇને દેશભરમાં ભાજપ વિરોધ કરી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. આ કમિટી સુરક્ષા ચૂકના મામલાની તપાસ કરશે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રા, NIAના DGના પ્રતિનિધિ તરીકે IG, ચંદીગઢના DGP, પંજાબના ADGP અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે. આ કમિટી સિવાયની કેન્દ્ર અને રાજ્યની તપાસ કમિટીઓ પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં ચૂકની હાઈ લેવલ તપાસ થશે.