બે દિવસનાં અંતરે ફરી ગુજરાત આવી રહ્યા છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે
આજે મોડી સાંજે અમદાવાદ આવશે
WatchGujarat. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતનાં પ્રવાસે છે અને આ વખતે કોઇ કાર્યક્રમ માટે નહીં પરંતુ દિવાળી તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. અમિત શાહ ફરી એક વખત અમદાવાદ આવશે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે.તમને જણાવી દઇએ કે બે દિવસ પહેલા જ અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે હતા. ત્યારે અમદાવાદમાં બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ.
દિવાળીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેવા માંગતી હોય છે ત્યારે અમિત શાહ પણ આમાંથી બાકાત રહ્યા નથી. આજે મોડી સાંજે અમિત શાહ અમદાવાદમાં આવશે અને આવતીકાલે પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. બે દિવસ પહેલા જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા જ્યારે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તૃતીકરણ પ્રોજેક્ટમાં ભાગવત વિદ્યાપીઠથી થલતેજ અંડરપાસ વચ્ચેના 4.2 કિલોમીટરના એલિવેટેડ કોરિડોરમાંથી 4 કિલોમીટરનો એલિવેટેડ હાઇવેનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ.
31 ઓક્ટોબરે અને 1 નવેમ્બરના રોજ અમિતશાહ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો સાથે કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બોટાદમાં સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.
બે દિવસનાં અંતરે ફરી ગુજરાત આવી રહ્યા છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે
આજે મોડી સાંજે અમદાવાદ આવશે
WatchGujarat. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતનાં પ્રવાસે છે અને આ વખતે કોઇ કાર્યક્રમ માટે નહીં પરંતુ દિવાળી તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. અમિત શાહ ફરી એક વખત અમદાવાદ આવશે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે.તમને જણાવી દઇએ કે બે દિવસ પહેલા જ અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે હતા. ત્યારે અમદાવાદમાં બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ.
દિવાળીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહેવા માંગતી હોય છે ત્યારે અમિત શાહ પણ આમાંથી બાકાત રહ્યા નથી. આજે મોડી સાંજે અમિત શાહ અમદાવાદમાં આવશે અને આવતીકાલે પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. બે દિવસ પહેલા જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા જ્યારે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
31 ઓક્ટોબરે અને 1 નવેમ્બરના રોજ અમિતશાહ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો સાથે કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બોટાદમાં સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.