હિંમતનગર શહેર અને તાલુકાના ભાજપ સંગઠન દ્વારા "પેજ પ્રમુખ કાર્ડ વિતરણ" તથા "પેજ સમિતિ સંવાદ" કાર્યક્રમ યોજાયો
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું
ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને પક્ષનો કાર્યકર્તા રહી જાય તેવું ન બને -સી.આર.પાટીલ
પક્ષના કાર્યકરોને સાચવવા પ્રદેશ અધ્યક્ષનું આગેવાનોને ખાસ સૂચન
WatchGujarat. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા પણ તેમના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ અને મંત્રીઓને ચેતવણી આપવામાં આવી છે. જેમાં તેમના કહ્યું કે, પક્ષના કાર્યકર્તાની જો ફરિયાદ આવી તો હિસાબ થશે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકારોના કાર્યને બિરદાવ્યું હતું અને ઉત્સાહ વધાર્યો હતો.
https://youtu.be/-V5XrEyDRl4
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા હિંમતનગર ખાતે "પેજ પ્રમુખ કાર્ડ વિતરણ" અને "પેજ સમિતિ સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, કાર્યકર્તાઓની જે તાકાત ભારતીય જનતા પાર્ટીને જીત અપાવે છે તેને સાચવવી અને જાળવવી ખૂબ જ જરૂરી છે. તેમણે તમામ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. એટલું જ નહીં પરંતુ ચૂંટાયેલા તમામ આગેવાનો, પદાધિકારીઓ અને મંત્રીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ તમામને હું કહું છું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો. કાર્યકર્તાની ફરિયાદ આવશે ને તો હિસાબ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને પક્ષનો કાર્યકર્તા રહી જાય તેવું ન બને. કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકરો ભાજપને સ્થાનિક થી લઈને વિધાનસભાની ચૂંટણી જીતાવી શકે એટલી તાકાત ધરાવે છે. કોઈ પણ ચૂંટણીને જીતાડવાની તાકાત પક્ષના કાર્યકર્તાઓમાં રહેલી છે. અગાઉ અનેક ચૂંટણીઓમાં કાર્યકર્તાઓની તાકાનો પરચો જોવા મળ્યો છે. ત્યારે તેમને પ્રાધાન્ય આપવું એ ખૂબ જ જરૂરી છે.
હિંમતનગર શહેર અને તાલુકાના ભાજપ સંગઠન દ્વારા "પેજ પ્રમુખ કાર્ડ વિતરણ" તથા "પેજ સમિતિ સંવાદ" કાર્યક્રમ યોજાયો
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું
ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને પક્ષનો કાર્યકર્તા રહી જાય તેવું ન બને -સી.આર.પાટીલ
પક્ષના કાર્યકરોને સાચવવા પ્રદેશ અધ્યક્ષનું આગેવાનોને ખાસ સૂચન
WatchGujarat. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા પણ તેમના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ અને મંત્રીઓને ચેતવણી આપવામાં આવી છે. જેમાં તેમના કહ્યું કે, પક્ષના કાર્યકર્તાની જો ફરિયાદ આવી તો હિસાબ થશે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકારોના કાર્યને બિરદાવ્યું હતું અને ઉત્સાહ વધાર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા હિંમતનગર ખાતે "પેજ પ્રમુખ કાર્ડ વિતરણ" અને "પેજ સમિતિ સંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, કાર્યકર્તાઓની જે તાકાત ભારતીય જનતા પાર્ટીને જીત અપાવે છે તેને સાચવવી અને જાળવવી ખૂબ જ જરૂરી છે. તેમણે તમામ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. એટલું જ નહીં પરંતુ ચૂંટાયેલા તમામ આગેવાનો, પદાધિકારીઓ અને મંત્રીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ તમામને હું કહું છું કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપજો. કાર્યકર્તાની ફરિયાદ આવશે ને તો હિસાબ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને પક્ષનો કાર્યકર્તા રહી જાય તેવું ન બને. કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકરો ભાજપને સ્થાનિક થી લઈને વિધાનસભાની ચૂંટણી જીતાવી શકે એટલી તાકાત ધરાવે છે. કોઈ પણ ચૂંટણીને જીતાડવાની તાકાત પક્ષના કાર્યકર્તાઓમાં રહેલી છે. અગાઉ અનેક ચૂંટણીઓમાં કાર્યકર્તાઓની તાકાનો પરચો જોવા મળ્યો છે. ત્યારે તેમને પ્રાધાન્ય આપવું એ ખૂબ જ જરૂરી છે.