મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે
ભાજપ પ્રદેશ પ્રમુખે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા, તાજમહલને લઈને આપ્યું મોટું નિવેદન
તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો- સી.આર. પાટીલ
સી.આર. પાટીલે મુખ્યમંત્રીના વખાણ કરતાં કહ્યું કે, સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે
WatchGujarat. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોટાદના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જ્યાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. આ ઉપરાંત તેમણે તાજમહલને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યુ હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા.
બોટાદની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યક્રમમાં મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ પણ મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા.
તાજમહેલ કરતા અક્ષરધામ સવાયું – સી.આર. પાટીલ
આ કાર્યક્રમમાં અક્ષરધામ વિશે સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા થાય છે. તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો. જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી. પણ મારી નજર સારી છે, મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારો છે. અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે. આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે. દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે.’ તેમણે આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે
- ભાજપ પ્રદેશ પ્રમુખે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા, તાજમહલને લઈને આપ્યું મોટું નિવેદન
- તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો- સી.આર. પાટીલ
- સી.આર. પાટીલે મુખ્યમંત્રીના વખાણ કરતાં કહ્યું કે, સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે
WatchGujarat. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોટાદના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જ્યાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. આ ઉપરાંત તેમણે તાજમહલને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યુ હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા.
બોટાદની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યક્રમમાં મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ પણ મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા.
તાજમહેલ કરતા અક્ષરધામ સવાયું – સી.આર. પાટીલ
આ કાર્યક્રમમાં અક્ષરધામ વિશે સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા થાય છે. તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો. જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી. પણ મારી નજર સારી છે, મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારો છે. અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે. આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે. દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે.’ તેમણે આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.