19 જાન્યુઆરીથી અમેરિકાના અનેક સ્થળો માટેની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી
અમદાવાદ એરપોર્ટથી શિકાગોની ફ્લાઈટ કેન્સલ થતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી
ગત રોજ અમીરાત એરવેઝની ફ્લાઈટ કેન્સલ થઈ, એરપોર્ટ પર યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા
હવે ક્યારે ફ્લાઈટ શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી
[caption id="attachment_1388705" align="aligncenter" width="640"] international flights cancelled[/caption]
WatchGujarat. કોરોના મહામારીના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર જોવા મળી છે. તેમાં પણ હવાઈ મુસાફરી કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે કોરોનાની સૌથી મોટી અસર ફ્લાઈટ્સ પર જોવા મળી રહી છે. અનેક દેશોમાં કોરોનાને કારણે કેટલાંક સ્થળેથી આવતી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.
ગત રોજ અમેરિકાના અનેક સ્થળો માટે વિવિધ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી શિકાગોની અમીરાત એરવેઝની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી હતી. શિકાગોની ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદના ઘણા હવાઈ યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
મળતી વિગતો અનુસાર આજરોજ એટલે કે 19 જાન્યુઆરી 2022થી અમેરિકાના અનેક સ્થળો માટે ફ્લાઇટ સસ્પેન્ડ કરાઈ હતી. જે અંતર્ગત ગઈકાલે 18 જાન્યુઆરીના રોજ અમેરિકાના વિવિધ શહેરો માટે રવાના થનારી ફ્લાઈટ એકાએક કેન્સલ કરવામાં આવી હતી. યુ.એસ.માં ચોક્કસ એરપોર્ટ પર 5G મોબાઇલ નેટવર્ક સેવાઓની આયોજિત જમાવટ સાથે સંકળાયેલ ઓપરેશનલ ચિંતાઓને કારણે અમીરાત તા.19 જાન્યુઆરી 2022 થી આગળની સૂચના સુધી નીચે જણાવેલ યુ.એસ. ગંતવ્યોની ફ્લાઇટ્સ સ્થગિત કરાઈ છે.
Boston (BOS)
Chicago (ORD)
Dallas Fort Worth (DFW)
Houston (IAH)
Miami (MIA)
Newark (EWR)
Orlando (MCO)
San Francisco (SFO)
Seattle (SEA)
અમેરિકામાં 5G મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. 5G નેટવર્ક વિમાનોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. એરપોર્ટની આસપાસ 5G ટેક્નોલોજીને કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને 5G ટેક્નોલોજીને રનવેથી બે માઈલના અંતરે રાખવી જોઈએ. જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 5G ટેક્નોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.
અમદાવાદથી શિકાગો માટે હવાઈ મુસફારી કરનાર યાત્રીકો ફ્લાઈટ કેન્સલ થતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે આ ફ્લાઈટ કેટલાં સમયમાં ફરી શરૂ કરવામાં આવશે તે અંગે હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
19 જાન્યુઆરીથી અમેરિકાના અનેક સ્થળો માટેની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી
ગત રોજ અમીરાત એરવેઝની ફ્લાઈટ કેન્સલ થઈ, એરપોર્ટ પર યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા
હવે ક્યારે ફ્લાઈટ શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી
[caption id="attachment_1388705" align="aligncenter" width="640"] international flights cancelled[/caption]
WatchGujarat. કોરોના મહામારીના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર જોવા મળી છે. તેમાં પણ હવાઈ મુસાફરી કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે કોરોનાની સૌથી મોટી અસર ફ્લાઈટ્સ પર જોવા મળી રહી છે. અનેક દેશોમાં કોરોનાને કારણે કેટલાંક સ્થળેથી આવતી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.
ગત રોજ અમેરિકાના અનેક સ્થળો માટે વિવિધ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી શિકાગોની અમીરાત એરવેઝની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી હતી. શિકાગોની ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદના ઘણા હવાઈ યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
મળતી વિગતો અનુસાર આજરોજ એટલે કે 19 જાન્યુઆરી 2022થી અમેરિકાના અનેક સ્થળો માટે ફ્લાઇટ સસ્પેન્ડ કરાઈ હતી. જે અંતર્ગત ગઈકાલે 18 જાન્યુઆરીના રોજ અમેરિકાના વિવિધ શહેરો માટે રવાના થનારી ફ્લાઈટ એકાએક કેન્સલ કરવામાં આવી હતી. યુ.એસ.માં ચોક્કસ એરપોર્ટ પર 5G મોબાઇલ નેટવર્ક સેવાઓની આયોજિત જમાવટ સાથે સંકળાયેલ ઓપરેશનલ ચિંતાઓને કારણે અમીરાત તા.19 જાન્યુઆરી 2022 થી આગળની સૂચના સુધી નીચે જણાવેલ યુ.એસ. ગંતવ્યોની ફ્લાઇટ્સ સ્થગિત કરાઈ છે.
Boston (BOS)
Chicago (ORD)
Dallas Fort Worth (DFW)
Houston (IAH)
Miami (MIA)
Newark (EWR)
Orlando (MCO)
San Francisco (SFO)
Seattle (SEA)
અમેરિકામાં 5G મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. 5G નેટવર્ક વિમાનોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. એરપોર્ટની આસપાસ 5G ટેક્નોલોજીને કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને 5G ટેક્નોલોજીને રનવેથી બે માઈલના અંતરે રાખવી જોઈએ. જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 5G ટેક્નોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.
અમદાવાદથી શિકાગો માટે હવાઈ મુસફારી કરનાર યાત્રીકો ફ્લાઈટ કેન્સલ થતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે આ ફ્લાઈટ કેટલાં સમયમાં ફરી શરૂ કરવામાં આવશે તે અંગે હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.