સુરતમાં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી
રાજકોટમાં 12 કામો માટે 20.79 કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય
ગાંધીનગરમાં સડક યોજનાના 3 કામો માટે 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી
Watchgujrat. રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય રાજ્યનાં ત્રણ 3 મહાનગરોના વિકાસનાં કામો માટે લેવાયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ 607 કરોડના 124 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરત-રાજકોટ-ગાંધીનગર મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 607 કરોડના વિવિધ વિકાસ કામોને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 109 કામો માટે 581.40 કરોડ, રાજકોટમાં આઉટગ્રોથ વિસ્તારના 12 કામો માટે 20.79 કરોડ અને ગાંધીનગરમાં શહેરી સડક યોજનાના ૩ કામો માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સુરતની વાત કરીએ તો અહીં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના 60 કામો માટે 407.43 કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના 42 કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે 149.64 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના 6 કામો માટે 20 કરોડ અને આગવી ઓળખના કામ તરીકે 1 સ્વીમીંગ પૂલના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના 5 કામો માટે 10.45 કરોડ, પાણી પૂરવઠાના 6 કામો માટે 10.14 કરોડ તથા આંગણવાડીના 1 કામ માટે 20 લાખ એમ 12 કામો માટે 20.79 કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં પણ શહેરી સડક યોજનાના 3 કામો માટે 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. તદ્દઅનુસાર, ચાર ટી.પી સ્કીમમાં અસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસીંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે.
- સુરતમાં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી
- રાજકોટમાં 12 કામો માટે 20.79 કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય
- ગાંધીનગરમાં સડક યોજનાના 3 કામો માટે 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી
Watchgujrat. રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય રાજ્યનાં ત્રણ 3 મહાનગરોના વિકાસનાં કામો માટે લેવાયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ 607 કરોડના 124 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરત-રાજકોટ-ગાંધીનગર મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 607 કરોડના વિવિધ વિકાસ કામોને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના 109 કામો માટે 581.40 કરોડ, રાજકોટમાં આઉટગ્રોથ વિસ્તારના 12 કામો માટે 20.79 કરોડ અને ગાંધીનગરમાં શહેરી સડક યોજનાના ૩ કામો માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સુરતની વાત કરીએ તો અહીં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના 60 કામો માટે 407.43 કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના 42 કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે 149.64 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના 6 કામો માટે 20 કરોડ અને આગવી ઓળખના કામ તરીકે 1 સ્વીમીંગ પૂલના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના 5 કામો માટે 10.45 કરોડ, પાણી પૂરવઠાના 6 કામો માટે 10.14 કરોડ તથા આંગણવાડીના 1 કામ માટે 20 લાખ એમ 12 કામો માટે 20.79 કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં પણ શહેરી સડક યોજનાના 3 કામો માટે 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. તદ્દઅનુસાર, ચાર ટી.પી સ્કીમમાં અસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસીંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે.