WatchGujarat. કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણનું મહત્વ વધી ગયું છે. આ એક એવુ માધ્યમ છે જ્યાં શિક્ષક ઇન્ટરનેટ દ્વારા દૂરસ્થ અને વિશ્વના કોઈપણ ખૂણાથી કનેક્ટ થઈ શકે છે. કોરોનામાં લોકડાઉન હોવાથી બધા શિક્ષણ કેન્દ્રો, શાળાઓ બંધ હતી. ત્યારે ઓનલાઇન શિક્ષણે પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે, વિશ્વભરના બાળકો ઓનલાઇન શિક્ષણનો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે છે. પરંતુ ઓનલાઇન વર્ગોની શિક્ષણ જગતમાં ખૂબ જ નિષેધક અસર થઈ છે. તેમજ શાળાથી લઈ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કૌશલ્યમાં ઓનલાઈન શિક્ષણને કારણે મોટો ઘટાડો નોંધાયો છે. યુનિ.નાં મનોવિજ્ઞાન ભવન દ્વારા થયેલા સર્વેમાં 63% લોકોની યાદશક્તિ ઘટી હોવાનું, જ્યારે 53% એટલે કે, અડધાથી વધુને વાંચવુ નહીં ગમતું હોવાનું ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે.
ઓનલાઇન વર્ગોને કારણે બાળકો મોબાઈલ, ટીવી તેમજ ગેમની ખોટી લતના ભોગ બન્યા છે. જેની અસર તેમના શિક્ષણ પર ખૂબ જ ઉંધી પડી છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગોમાં સાથે સોશિયલ મીડિયા તેમજ ઓનલાઈન ગેમ્સના રવાડે ચડી શિક્ષણને તેમજ પોતાના જીવનના ધ્યેયને ક્યાંક ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જેમ શરૂઆતમાં જ્યારે ઓનલાઇન વર્ગો શરૂ થયા હતા ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડતી હતી, એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ફરી ઓફલાઈન વર્ગો શરૂ થયા છે ત્યારે વિદ્યાર્થીઓને તેની સાથે સમાયોજન સાધવામાં તકલીફ પડી રહી છે.
વિદ્યાર્થીઓમાં જોવા મળતી મુખ્ય સમસ્યાઓ
મુખ્યત્વે શૈક્ષણિક ક્ષેત્રે ચાર બાબતો પર સૌથી વધારે અસર જોવા મળી છે. (1) યાદશક્તિ (2) લખવાની ક્ષમતા (3) એકાગ્રતા (4) વાંચન
72% વિદ્યાર્થીઓને હાલમાં લખવુ ગમતું નથી.
63% વિદ્યાર્થીઓને કશું યાદ રહેતું નથી. યાદ રાખવામાં મુશ્કેલી પડે છે.
54% લોકોને વાંચવું ગમતું નથી. મોબાઈલની ગેમ્સ યાદ આવે, મિત્રો સાથે રમવા જવાની ઈચ્છા થાય છે. ભણવામાં ધ્યાન રહેતું નથી.
81 % વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો ઘટાડો થયો જોવા મળ્યો. ઊંઘ આવે, મોબાઈલ યાદ આવે, ટીવી જોવાની ઈચ્છા થવી, ભણવામા ધ્યાન ન રહેતા રમતમા ધ્યાન જતું રહેવું.
આ સિવાય પણ ઘણી બાબતો એવી છે કે જે કોરોના ની શિક્ષણ જગત પરની નિષેધક અસરને દર્શાવે છે.
વિદ્યાર્થીઓને વર્ગમાં એકધારું બેસી રહેવામાં તકલીફ પડી રહી છે.
વિદ્યાર્થીઓને એકાગ્રતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ જે પહેલા વર્ગોમાં ભણાવેલ બાબત સારી રીતે યાદ રાખી શકતા હતા ત્યારે હવે તેમની યાદશક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
વિદ્યાર્થીઓ પોતે પણ એ ફરિયાદ કરે છે કે તેઓ એકસરખું ધ્યાનથી પહેલાની જેમ ભણી શકતા નથી.
વિદ્યાર્થીઓની યાદશક્તિમાં પણ ઘટાડો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.
ઘણા વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવી ની લત લાગી છે ત્યારે હવે ઓફલાઈન વર્ગો સમયે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં તેઓ બેચેન થઈ ઊઠે છે.
ગેમિંગની લતના કારણે ઘણા વિદ્યાર્થીઓને પણ વિવિધ ગેમ્સના વિચારો આવે છે જેના કારણે વર્ગોમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકાતું નથી.
ઘણા વિદ્યાર્થીઓને વાંચવાની તેવું તદ્દન છૂટી ગઈ હોવાથી હવે વધારે વાંચવાથી માથાનો તેમજ આંખનો દુખાવો થાય છે.
ઓફલાઈન વર્ગો શરૂ થતાં ઘણા વિદ્યાર્થીઓ જે ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા હોય છે તેઓ હોમ સિકનેસ નો ભોગ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
વિદ્યાર્થીઓની લખવાની ટેવ પર સૌથી વધારે નિષેધક અસર જોવા મળી છે વિદ્યાર્થીઓના અક્ષરો તેમજ લખવાની ઝડપ પર ખરાબ અસર પડી છે.
વિદ્યાર્થીઓ આટલો સમય ઘરમાં જ રહ્યા હોવાથી હવે ફરી શૈક્ષણિક સંસ્થાઓએ આવીને મિત્ર વર્ગ સાથે હળવા મળવામાં પણ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવાના ઉપાયો
જેમ શરૂઆતના લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગોમાં સમજવામાં તકલીફ પડતી હતી પરંતુ સમય જતાં એ બાબતની ટેવ પડી ગઈ હતી, એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ઓફલાઈન વર્ગો ફરી શરૂ થયા છે ત્યારે ધીમે ધીમે ઓફલાઈન વર્ગોની આદત પણ પાડવી જોઈએ.
લખવાની ક્ષમતામાં તેમજ ઝડપમાં જો ઘટાડો થયો હોય તો લખવાની વધારે ને વધારે પ્રેક્ટિસ પાડીને તેની ક્ષમતામાં તેમજ ઝડપમાં વધારો કરી શકાય.
અક્ષરો સુધારવા માટે પણ બને તેટલા વધુ લખાણના અભ્યાસ દ્વારા તેમજ અક્ષરો મરોડદાર અને સુવાચ્ય થાય તેનો અભ્યાસ નિયમિત થોડો સમય કરવાથી અક્ષરો માં સુધારો કરી શકાય છે.
એકાગ્રતામાં પણ પહેલા કરતા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી બાબતમાં બને ત્યાં સુધી એક સમયે એક જ પ્રવૃત્તિ પર પરંતુ પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડવી જોઈએ. ઉપરાંત મેડીટેશન દ્વારા પણ એકાગ્રતામાં વધારો કરી શકાય છે.
વિદ્યાર્થીઓની યાદશક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ બાબત યાદ રાખવા માટે તેને સરળ બનાવીને તેને યાદ રાખવાથી ફાયદો થઈ શકે છે.
વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને તેમજ સમસ્યાઓને સમજીને શક્ય તેટલા ઉપાય તેમને આપવા જોઈએ. અભ્યાસના પાઠો ને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ વિદ્યાર્થીઓની લેખનની ક્ષમતામાં વધારો થાય તે માટે નિયમિત પણ લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઇએ.
WatchGujarat. કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણનું મહત્વ વધી ગયું છે. આ એક એવુ માધ્યમ છે જ્યાં શિક્ષક ઇન્ટરનેટ દ્વારા દૂરસ્થ અને વિશ્વના કોઈપણ ખૂણાથી કનેક્ટ થઈ શકે છે. કોરોનામાં લોકડાઉન હોવાથી બધા શિક્ષણ કેન્દ્રો, શાળાઓ બંધ હતી. ત્યારે ઓનલાઇન શિક્ષણે પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે, વિશ્વભરના બાળકો ઓનલાઇન શિક્ષણનો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે છે. પરંતુ ઓનલાઇન વર્ગોની શિક્ષણ જગતમાં ખૂબ જ નિષેધક અસર થઈ છે. તેમજ શાળાથી લઈ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કૌશલ્યમાં ઓનલાઈન શિક્ષણને કારણે મોટો ઘટાડો નોંધાયો છે. યુનિ.નાં મનોવિજ્ઞાન ભવન દ્વારા થયેલા સર્વેમાં 63% લોકોની યાદશક્તિ ઘટી હોવાનું, જ્યારે 53% એટલે કે, અડધાથી વધુને વાંચવુ નહીં ગમતું હોવાનું ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે.
ઓનલાઇન વર્ગોને કારણે બાળકો મોબાઈલ, ટીવી તેમજ ગેમની ખોટી લતના ભોગ બન્યા છે. જેની અસર તેમના શિક્ષણ પર ખૂબ જ ઉંધી પડી છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગોમાં સાથે સોશિયલ મીડિયા તેમજ ઓનલાઈન ગેમ્સના રવાડે ચડી શિક્ષણને તેમજ પોતાના જીવનના ધ્યેયને ક્યાંક ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જેમ શરૂઆતમાં જ્યારે ઓનલાઇન વર્ગો શરૂ થયા હતા ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડતી હતી, એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ફરી ઓફલાઈન વર્ગો શરૂ થયા છે ત્યારે વિદ્યાર્થીઓને તેની સાથે સમાયોજન સાધવામાં તકલીફ પડી રહી છે.
વિદ્યાર્થીઓમાં જોવા મળતી મુખ્ય સમસ્યાઓ
મુખ્યત્વે શૈક્ષણિક ક્ષેત્રે ચાર બાબતો પર સૌથી વધારે અસર જોવા મળી છે. (1) યાદશક્તિ (2) લખવાની ક્ષમતા (3) એકાગ્રતા (4) વાંચન
72% વિદ્યાર્થીઓને હાલમાં લખવુ ગમતું નથી.
63% વિદ્યાર્થીઓને કશું યાદ રહેતું નથી. યાદ રાખવામાં મુશ્કેલી પડે છે.
54% લોકોને વાંચવું ગમતું નથી. મોબાઈલની ગેમ્સ યાદ આવે, મિત્રો સાથે રમવા જવાની ઈચ્છા થાય છે. ભણવામાં ધ્યાન રહેતું નથી.
81 % વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો ઘટાડો થયો જોવા મળ્યો. ઊંઘ આવે, મોબાઈલ યાદ આવે, ટીવી જોવાની ઈચ્છા થવી, ભણવામા ધ્યાન ન રહેતા રમતમા ધ્યાન જતું રહેવું.
આ સિવાય પણ ઘણી બાબતો એવી છે કે જે કોરોના ની શિક્ષણ જગત પરની નિષેધક અસરને દર્શાવે છે.
- વિદ્યાર્થીઓને વર્ગમાં એકધારું બેસી રહેવામાં તકલીફ પડી રહી છે.
- વિદ્યાર્થીઓને એકાગ્રતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
- વિદ્યાર્થીઓ જે પહેલા વર્ગોમાં ભણાવેલ બાબત સારી રીતે યાદ રાખી શકતા હતા ત્યારે હવે તેમની યાદશક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
- વિદ્યાર્થીઓ પોતે પણ એ ફરિયાદ કરે છે કે તેઓ એકસરખું ધ્યાનથી પહેલાની જેમ ભણી શકતા નથી.
- વિદ્યાર્થીઓની યાદશક્તિમાં પણ ઘટાડો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.
- ઘણા વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવી ની લત લાગી છે ત્યારે હવે ઓફલાઈન વર્ગો સમયે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં તેઓ બેચેન થઈ ઊઠે છે.
- ગેમિંગની લતના કારણે ઘણા વિદ્યાર્થીઓને પણ વિવિધ ગેમ્સના વિચારો આવે છે જેના કારણે વર્ગોમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકાતું નથી.
- ઘણા વિદ્યાર્થીઓને વાંચવાની તેવું તદ્દન છૂટી ગઈ હોવાથી હવે વધારે વાંચવાથી માથાનો તેમજ આંખનો દુખાવો થાય છે.
- ઓફલાઈન વર્ગો શરૂ થતાં ઘણા વિદ્યાર્થીઓ જે ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા હોય છે તેઓ હોમ સિકનેસ નો ભોગ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
- વિદ્યાર્થીઓની લખવાની ટેવ પર સૌથી વધારે નિષેધક અસર જોવા મળી છે વિદ્યાર્થીઓના અક્ષરો તેમજ લખવાની ઝડપ પર ખરાબ અસર પડી છે.
- વિદ્યાર્થીઓ આટલો સમય ઘરમાં જ રહ્યા હોવાથી હવે ફરી શૈક્ષણિક સંસ્થાઓએ આવીને મિત્ર વર્ગ સાથે હળવા મળવામાં પણ તેઓ તકલીફ અનુભવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવાના ઉપાયો
જેમ શરૂઆતના લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગોમાં સમજવામાં તકલીફ પડતી હતી પરંતુ સમય જતાં એ બાબતની ટેવ પડી ગઈ હતી, એ જ રીતે હવે જ્યારે આટલા સમય પછી ઓફલાઈન વર્ગો ફરી શરૂ થયા છે ત્યારે ધીમે ધીમે ઓફલાઈન વર્ગોની આદત પણ પાડવી જોઈએ.
- લખવાની ક્ષમતામાં તેમજ ઝડપમાં જો ઘટાડો થયો હોય તો લખવાની વધારે ને વધારે પ્રેક્ટિસ પાડીને તેની ક્ષમતામાં તેમજ ઝડપમાં વધારો કરી શકાય.
- અક્ષરો સુધારવા માટે પણ બને તેટલા વધુ લખાણના અભ્યાસ દ્વારા તેમજ અક્ષરો મરોડદાર અને સુવાચ્ય થાય તેનો અભ્યાસ નિયમિત થોડો સમય કરવાથી અક્ષરો માં સુધારો કરી શકાય છે.
- એકાગ્રતામાં પણ પહેલા કરતા વિદ્યાર્થીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી બાબતમાં બને ત્યાં સુધી એક સમયે એક જ પ્રવૃત્તિ પર પરંતુ પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડવી જોઈએ. ઉપરાંત મેડીટેશન દ્વારા પણ એકાગ્રતામાં વધારો કરી શકાય છે.
- વિદ્યાર્થીઓની યાદશક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ બાબત યાદ રાખવા માટે તેને સરળ બનાવીને તેને યાદ રાખવાથી ફાયદો થઈ શકે છે.
- વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને તેમજ સમસ્યાઓને સમજીને શક્ય તેટલા ઉપાય તેમને આપવા જોઈએ. અભ્યાસના પાઠો ને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ વિદ્યાર્થીઓની લેખનની ક્ષમતામાં વધારો થાય તે માટે નિયમિત પણ લખવાની પ્રેક્ટિસ કરાવવી જોઇએ.