હવે સચિવાયલના વિભાગોમાં આરટીઆઈ અરજીઓની માહિતી ઓનલાઈન મેળવી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી ઓનલાઈન આર.ટી.આઈ પોર્ટલની શરૂઆત કરી
આ વ્યવસ્થા હાલ માત્ર સચિવાયલના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે
નાગરિકોની માહિતી અધિકારી-રાઈટ ટુ ઈન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઈન સેવાઓ ઉપયુક્ત બનશે
WatchGujarat. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓનલાઈન આર.ટી.આઈ. પોર્ટલની શરૂઆત કરાવવામાં આવી છે. મહત્વનું છે કે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડવા માટે આ ખાસ પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જોકે આ ઓનલાઈન આર.ટી.આઈની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાયલના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી આ પોર્ટલ કાર્યરત કરાયું છે. જેના કારણે સામાન્ય નાગરિકને પણ ઘણો લાભ થશે. હવે એક ક્લિકથી જ તેમને તમામ માહિતી મળી રહેશે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી હવે ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહીં હવેથી અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. આ અંગે મળતી વિગતો અનુસાર સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. જોકે આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો
આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો છે. આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, એ.આર.ટી.ડી સચિવ ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા, સંયુક્ત સચિવ કે. રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવે સચિવાયલના વિભાગોમાં આરટીઆઈ અરજીઓની માહિતી ઓનલાઈન મેળવી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી ઓનલાઈન આર.ટી.આઈ પોર્ટલની શરૂઆત કરી
આ વ્યવસ્થા હાલ માત્ર સચિવાયલના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે
નાગરિકોની માહિતી અધિકારી-રાઈટ ટુ ઈન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઈન સેવાઓ ઉપયુક્ત બનશે
WatchGujarat. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓનલાઈન આર.ટી.આઈ. પોર્ટલની શરૂઆત કરાવવામાં આવી છે. મહત્વનું છે કે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડવા માટે આ ખાસ પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જોકે આ ઓનલાઈન આર.ટી.આઈની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાયલના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી આ પોર્ટલ કાર્યરત કરાયું છે. જેના કારણે સામાન્ય નાગરિકને પણ ઘણો લાભ થશે. હવે એક ક્લિકથી જ તેમને તમામ માહિતી મળી રહેશે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી હવે ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહીં હવેથી અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. આ અંગે મળતી વિગતો અનુસાર સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. જોકે આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે.