રૂપાણી સરકારે આખા રાજ્ય માટે 10 હજાર રેમડેસિવિરની વ્યવસ્થા કરી, સીઆર પાટીલ માત્ર સુરત માટે 5000 ઇન્જેક્શન લઈ આવ્યાં.
ભાજપાના મુખ્યમંત્રી ભાજપાના પ્રદેશ પ્રમુખને જાહેર વક્તવ્યમાં માન આપવાનું ચૂક્યાં.
ગુજરાતમાં રૂપાણી સરકારને સમાંતર પાટીલ સરકાર ચાલતી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા.
Watch Gujarat. સુરતની પ્રજા માટે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની સી.આર. પાટીલે વ્યવસ્થા કેવી રીતે? તેવાં પ્રશ્નના જવાબ આપતાં સી.એમ. વિજય રૂપાણી છંછેડાઈ ગયાં હતાં. ચાલુ પત્રકાર પરિષદમાં પોતાનો અસંતોષ છુપાવી શકવામાં અસમર્થ રહેલાં રૂપાણીએ “સી.આર.ને પુછ જો” એવો જવાબ આપ્યો હતો. સી.એમ. રૂપાણીએ પક્ષની શિસ્તને નેવે મૂકી પ્રદેશ અધ્યક્ષનાં નામે તોછડાઈથી જવાબ આપતાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું કદ વધ્યું હોવાથી છેલ્લાં ઘણાં સમયથી વિજય રૂપાણી અંદરખાને નારાજ હોવાનું કહેવાય છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ગુજરાતમાં રૂપાણી સરકારને સમાંતર પાટીલ સરકાર ચાલી રહી હોવાનો આ પુરાવો છે.
કોરોના સંક્રમણ ખૂબ ગંભીર બન્યું છે. પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં હોવાનાં દાવા કરવામાં આવી રહ્યાં છે. સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતની બૂમો ઉઠતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હતી. પ્રદેશ પ્રમુખે સુરત ભાજપા કાર્યલય ખાતે રેમડેસિવિરનું વિતરણ કરતાં રાજ્યભરમાં આ પગલાંના પડઘાં પડ્યાં હતાં.
https://youtu.be/HSrO88Dv0bI
આજરોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 નવા ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીને સી.આર. પાટીલ દ્વારા કરાયેલી 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. સરકારની જાણ બહાર સી.આર. પાટીલે કરેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી પાસે કોઈ જ જવાબ નહોતો. પ્રશ્નથી છંછેડાયેલા મુખ્યમંત્રીએ સી.આર.ને પુછો કહી દીધું હતું. ભાજપાના મુખ્યમંત્રી દ્વારા ભાજપાના પ્રદેશ પ્રમુખને જાહેર વક્તવ્યમાં સન્માન આપ્યા વિના વાત કરવામાં આવી હોય તેવું શક્યતઃ પહેલીવાર જોવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખનાં પદની ગરીમાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં સમય જાળવવો આવશ્યક હોવાની ચર્ચા ભાજપી મોરચે સાંભળવા મળી હતી.
તો બીજી તરફ, રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાના મામલે ભાજપા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે કોઈ જ સંકલન ના હોવાનું પણ સ્પષ્ટ થાય છે. એક તરફ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે, ત્યારે સી.આર. પાટીલે માત્ર સુરતનો વિચાર કરીને 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો મંગાવી દીધો અને ભાજપા કાર્યલાય ખાતે તેનું વિતરણ પણ શરૂ કરાવી દીધું હતું. જોકે, આ બાબતે મુખ્યમંત્રી સાથે કોઈ ચર્ચા વિચારણા કે પુછવાની તસ્દી લેવામાં આવી ના હોય તેવું સ્પષ્ટ થાય છે.
મુખ્યમંત્રીએ રાજ્યના કોરોના દર્દીઓ માટે 10 હજાર રેમડેસિવિરની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત બેડની સંખ્યામાં વધારા સહિત કોરોના સંક્રમણને પહોંચી વળવા તંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં અંગે પત્રકારોને માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માટે 10 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવે અને સી.આર. પાટીલ એકલા સુરત માટે 5 ઇન્જેક્શનની વ્યવસ્થા કરે. ત્યારે એમ કહી શકાય કે, રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં રાજ્ય સરકાર જેવું જ વજન સી.આર. પાટીલનું પડે છે. રાજ્ય સરકાર દ્વારા સી.આર. પાટીલની સહાય કે સલાહ લેવામાં આવી હોત તો રાજ્ય સરકાર હજી મોટી સંખ્યામાં ઇન્જેક્શનની વ્યવસ્થા કરી શકી હોત તેવી પણ ચર્ચા ઉઠવા પામી છે.
હાલ કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિમાં સરકાર કેટલી કારગર છે? સરકારી તંત્રો કેટલી નિષ્ઠાથી કાર્ય કરે છે? એ તો ગુજરાતની શાણી જનતા મુંગા મોંઢે નિહાળી જ રહી છે. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને ખોબેખોબલાં મત આપનાર પ્રજાજનો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોરોના કાળમાં પોતાને પડેલી તકલીફોનો પડઘો પાડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
રૂપાણી સરકારે આખા રાજ્ય માટે 10 હજાર રેમડેસિવિરની વ્યવસ્થા કરી, સીઆર પાટીલ માત્ર સુરત માટે 5000 ઇન્જેક્શન લઈ આવ્યાં.
ભાજપાના મુખ્યમંત્રી ભાજપાના પ્રદેશ પ્રમુખને જાહેર વક્તવ્યમાં માન આપવાનું ચૂક્યાં.
Watch Gujarat. સુરતની પ્રજા માટે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની સી.આર. પાટીલે વ્યવસ્થા કેવી રીતે? તેવાં પ્રશ્નના જવાબ આપતાં સી.એમ. વિજય રૂપાણી છંછેડાઈ ગયાં હતાં. ચાલુ પત્રકાર પરિષદમાં પોતાનો અસંતોષ છુપાવી શકવામાં અસમર્થ રહેલાં રૂપાણીએ “સી.આર.ને પુછ જો” એવો જવાબ આપ્યો હતો. સી.એમ. રૂપાણીએ પક્ષની શિસ્તને નેવે મૂકી પ્રદેશ અધ્યક્ષનાં નામે તોછડાઈથી જવાબ આપતાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું કદ વધ્યું હોવાથી છેલ્લાં ઘણાં સમયથી વિજય રૂપાણી અંદરખાને નારાજ હોવાનું કહેવાય છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ગુજરાતમાં રૂપાણી સરકારને સમાંતર પાટીલ સરકાર ચાલી રહી હોવાનો આ પુરાવો છે.
કોરોના સંક્રમણ ખૂબ ગંભીર બન્યું છે. પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં હોવાનાં દાવા કરવામાં આવી રહ્યાં છે. સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતની બૂમો ઉઠતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હતી. પ્રદેશ પ્રમુખે સુરત ભાજપા કાર્યલય ખાતે રેમડેસિવિરનું વિતરણ કરતાં રાજ્યભરમાં આ પગલાંના પડઘાં પડ્યાં હતાં.
આજરોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 નવા ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીને સી.આર. પાટીલ દ્વારા કરાયેલી 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. સરકારની જાણ બહાર સી.આર. પાટીલે કરેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી પાસે કોઈ જ જવાબ નહોતો. પ્રશ્નથી છંછેડાયેલા મુખ્યમંત્રીએ સી.આર.ને પુછો કહી દીધું હતું. ભાજપાના મુખ્યમંત્રી દ્વારા ભાજપાના પ્રદેશ પ્રમુખને જાહેર વક્તવ્યમાં સન્માન આપ્યા વિના વાત કરવામાં આવી હોય તેવું શક્યતઃ પહેલીવાર જોવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખનાં પદની ગરીમાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં સમય જાળવવો આવશ્યક હોવાની ચર્ચા ભાજપી મોરચે સાંભળવા મળી હતી.
તો બીજી તરફ, રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાના મામલે ભાજપા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે કોઈ જ સંકલન ના હોવાનું પણ સ્પષ્ટ થાય છે. એક તરફ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે, ત્યારે સી.આર. પાટીલે માત્ર સુરતનો વિચાર કરીને 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો મંગાવી દીધો અને ભાજપા કાર્યલાય ખાતે તેનું વિતરણ પણ શરૂ કરાવી દીધું હતું. જોકે, આ બાબતે મુખ્યમંત્રી સાથે કોઈ ચર્ચા વિચારણા કે પુછવાની તસ્દી લેવામાં આવી ના હોય તેવું સ્પષ્ટ થાય છે.
મુખ્યમંત્રીએ રાજ્યના કોરોના દર્દીઓ માટે 10 હજાર રેમડેસિવિરની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત બેડની સંખ્યામાં વધારા સહિત કોરોના સંક્રમણને પહોંચી વળવા તંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં અંગે પત્રકારોને માહિતી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માટે 10 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવે અને સી.આર. પાટીલ એકલા સુરત માટે 5 ઇન્જેક્શનની વ્યવસ્થા કરે. ત્યારે એમ કહી શકાય કે, રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં રાજ્ય સરકાર જેવું જ વજન સી.આર. પાટીલનું પડે છે. રાજ્ય સરકાર દ્વારા સી.આર. પાટીલની સહાય કે સલાહ લેવામાં આવી હોત તો રાજ્ય સરકાર હજી મોટી સંખ્યામાં ઇન્જેક્શનની વ્યવસ્થા કરી શકી હોત તેવી પણ ચર્ચા ઉઠવા પામી છે.
હાલ કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિમાં સરકાર કેટલી કારગર છે? સરકારી તંત્રો કેટલી નિષ્ઠાથી કાર્ય કરે છે? એ તો ગુજરાતની શાણી જનતા મુંગા મોંઢે નિહાળી જ રહી છે. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને ખોબેખોબલાં મત આપનાર પ્રજાજનો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોરોના કાળમાં પોતાને પડેલી તકલીફોનો પડઘો પાડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.