જાત્રાને પરિક્રમામાં પરિર્વતીત સતસંગ થકી કરાતી હોય છે, એટલે રોજે રોજ જાત સાથે સતસંગ કરી રહયો છું.
આજનાં સતસંગનાં અંશ...
"ક્રમ અને ક્રિયા"
ક્રમ અને ક્રિયા વિશે વાત કરતાં પહેલા અન્ય બે શબ્દોનો 'પરિચય' મેળવવો જરૂરી છે. 'પરિ' અને 'યોગ'.
'પરિ' નો અર્થ સર્વથી 'પર' કરીએ તો...! તો પરિચય, પરિઘાન અને પરિયોજના જેવા શબ્દોની ઉંડાઈ સમજવામાં સરળતા થઈ જાય છે. એજ પ્રકારે પરિક્રમા કરવી એટલે નિત્યક્રમની સાથે જે અનુકુળ વાતાવરણ છે સાઘન-સગવડ છે, તે તમામને ત્યજવાની કોશિષ કરવી... પરંતુ સાથે પોતાનો ક્રમ જાળવી રાખવો અનિવાર્ય છે. આ સમય દરમ્યાન યાત્રીની પુરતી પરિક્ષા થતી હોય છે... માનવીય સ્વભાવ મુજબ બઘુ કાબુમાં રાખવાની વૃત્તી આ સમય દરમ્યાન કાબુમાં રહેતી નથી હોતી તેમ છતાં હસ્તામુખે પોતાના લક્ષ્ય તરફ આગળ વઘતાં રહેવું એ કંઈ જેવું તેવું કામ નથી હોતુ... શ્રઘ્ઘાની લાકડી ટેકો આપવા ઉપરાંત ઘણાં કાર્યો કરાવવાને સક્ષમ હોય છે એ તમને તમારી દરેક "પરિક્રમા"દરમ્યાન જરૂર અનુભવાશે.
'યોગ' એટલે યોગ્યથી પણ વઘારે યોગ્ય, સર્વશ્રષ્ઠે એટલે યોગ. આપણાં હિન્દુ ઘર્મમાં 'યોગ' ને આચરનારને 'યોગી' કહેવામાં આવે છે. જે કામ કરો તે સર્વશ્રેષ્ઠ કરો બાકી બઘું શ્રીહરી ઉપર છોડી દો. એવી સરળ ભાવના રાખવી એ પણ એક પ્રકારનો યોગ છે. યોગાસન, યોગદાન, યોગઅભ્યાસ વગેરે દરેક કામની પરાકાષ્ઠા સુચવી જાય છે.
તો "પરિ + ક્રમા" અને "ક્રિયા + યોગ", જયારે આ બે સાઘનાનો સમનવ્ય થાય ત્યારે એક સાઘકમા જે પરિવર્તન આવે છે તેની પાછળ "પરિક્મા" દ્વારા પાછલા અનુભવોમાં ભારે ઉથલપાથલ અને "ક્રિયાયોગ" દ્વારા પાછલી અનુભુતીઓમાં ભારેથી અતિભારે ઉથલપાથલ કારણભુત હોય છે... એટલે જ જયારે કોઈ વ્યકિત નર્મદા પરિક્રમા અથવા ગોવર્ઘન પરિક્રમા કરીને પરત ફરે છે ત્યારે આપણને એનામાં "પરિવર્તન" દેખાય આવે છે. એજ પ્રકારે કોઈ પરિચિત "સુદર્શન ક્રિયા", "શકિત્ત ક્રિયા" અથવા "સુર્ય ક્રિયા" કરે છે ત્યારે તેને પોતાને એક અનોખી 'અનુભુતીનો' અનુભવ થાય છે.
હરિદ્વારનો પ્રત્યક્ષ અર્થ "હરીનુ દ્વાર" એવો થાય છે. આ દ્વારની પેલે પાર શું છે એતો આવનાર દિવસોમાં ખબર પડશે પણ આ દ્વાર સુઘી પહોચવા માટે મારે "ક્રમ" અને "ક્રિયા" નિરંતર કરવા પડયાં છે એ વાસ્તવિકતા છે. આ સમગ્ર બાબતને બે લીટીમાં સમજાવું તો, આંતરીક પરિવર્તન માટે "ક્રિયાયોગ" અને બાહ્ય પરિવર્તન માટે "પરિક્રમા" નિરંતર કરવા અનિવાર્ય છે.
અને અંતે જયારે "ક્રમ" અને "ક્રિયા" નો ક્રમ બદલાય છે ત્યારે જે ઘટે છે તેને આપણાં શાસ્ત્રોએ "ક્રિયાક્રમ" (અંતિમ કાર્ય) તરીકે રજૂ કરેલ છે.
dil
અમીષ જે. દાદાવાલા
(લખ્યાં તારીખ 26-05-2019, મોદી ભવન, હરિદ્વાર, ઉત્તરાખંડ)
Share – Like – Comment
જાત્રાને પરિક્રમામાં પરિર્વતીત સતસંગ થકી કરાતી હોય છે, એટલે રોજે રોજ જાત સાથે સતસંગ કરી રહયો છું.
આજનાં સતસંગનાં અંશ...
"ક્રમ અને ક્રિયા"
ક્રમ અને ક્રિયા વિશે વાત કરતાં પહેલા અન્ય બે શબ્દોનો 'પરિચય' મેળવવો જરૂરી છે. 'પરિ' અને 'યોગ'.
'પરિ' નો અર્થ સર્વથી 'પર' કરીએ તો...! તો પરિચય, પરિઘાન અને પરિયોજના જેવા શબ્દોની ઉંડાઈ સમજવામાં સરળતા થઈ જાય છે. એજ પ્રકારે પરિક્રમા કરવી એટલે નિત્યક્રમની સાથે જે અનુકુળ વાતાવરણ છે સાઘન-સગવડ છે, તે તમામને ત્યજવાની કોશિષ કરવી... પરંતુ સાથે પોતાનો ક્રમ જાળવી રાખવો અનિવાર્ય છે. આ સમય દરમ્યાન યાત્રીની પુરતી પરિક્ષા થતી હોય છે... માનવીય સ્વભાવ મુજબ બઘુ કાબુમાં રાખવાની વૃત્તી આ સમય દરમ્યાન કાબુમાં રહેતી નથી હોતી તેમ છતાં હસ્તામુખે પોતાના લક્ષ્ય તરફ આગળ વઘતાં રહેવું એ કંઈ જેવું તેવું કામ નથી હોતુ... શ્રઘ્ઘાની લાકડી ટેકો આપવા ઉપરાંત ઘણાં કાર્યો કરાવવાને સક્ષમ હોય છે એ તમને તમારી દરેક "પરિક્રમા"દરમ્યાન જરૂર અનુભવાશે.
'યોગ' એટલે યોગ્યથી પણ વઘારે યોગ્ય, સર્વશ્રષ્ઠે એટલે યોગ. આપણાં હિન્દુ ઘર્મમાં 'યોગ' ને આચરનારને 'યોગી' કહેવામાં આવે છે. જે કામ કરો તે સર્વશ્રેષ્ઠ કરો બાકી બઘું શ્રીહરી ઉપર છોડી દો. એવી સરળ ભાવના રાખવી એ પણ એક પ્રકારનો યોગ છે. યોગાસન, યોગદાન, યોગઅભ્યાસ વગેરે દરેક કામની પરાકાષ્ઠા સુચવી જાય છે.
તો "પરિ + ક્રમા" અને "ક્રિયા + યોગ", જયારે આ બે સાઘનાનો સમનવ્ય થાય ત્યારે એક સાઘકમા જે પરિવર્તન આવે છે તેની પાછળ "પરિક્મા" દ્વારા પાછલા અનુભવોમાં ભારે ઉથલપાથલ અને "ક્રિયાયોગ" દ્વારા પાછલી અનુભુતીઓમાં ભારેથી અતિભારે ઉથલપાથલ કારણભુત હોય છે... એટલે જ જયારે કોઈ વ્યકિત નર્મદા પરિક્રમા અથવા ગોવર્ઘન પરિક્રમા કરીને પરત ફરે છે ત્યારે આપણને એનામાં "પરિવર્તન" દેખાય આવે છે. એજ પ્રકારે કોઈ પરિચિત "સુદર્શન ક્રિયા", "શકિત્ત ક્રિયા" અથવા "સુર્ય ક્રિયા" કરે છે ત્યારે તેને પોતાને એક અનોખી 'અનુભુતીનો' અનુભવ થાય છે.
હરિદ્વારનો પ્રત્યક્ષ અર્થ "હરીનુ દ્વાર" એવો થાય છે. આ દ્વારની પેલે પાર શું છે એતો આવનાર દિવસોમાં ખબર પડશે પણ આ દ્વાર સુઘી પહોચવા માટે મારે "ક્રમ" અને "ક્રિયા" નિરંતર કરવા પડયાં છે એ વાસ્તવિકતા છે. આ સમગ્ર બાબતને બે લીટીમાં સમજાવું તો, આંતરીક પરિવર્તન માટે "ક્રિયાયોગ" અને બાહ્ય પરિવર્તન માટે "પરિક્રમા" નિરંતર કરવા અનિવાર્ય છે.
અને અંતે જયારે "ક્રમ" અને "ક્રિયા" નો ક્રમ બદલાય છે ત્યારે જે ઘટે છે તેને આપણાં શાસ્ત્રોએ "ક્રિયાક્રમ" (અંતિમ કાર્ય) તરીકે રજૂ કરેલ છે.