ધુમ્રપાન કરતો હોવાથી કેન્સર દર્દીને ક્લેઈમની રકમ ન ચૂકવનાર વીમા કંપનીને કોર્ટનો આદેશ
કેન્સર દર્દી ધુમ્રપાન કરતો હોય તો પણ વીમા ક્લેઈમ ચુકવવો જ પડે – કન્ઝ્યુમર કોર્ટ
ધુમ્રપાન કરવાથી જ કેન્સર થયું હોવાનું પ્રસ્થાપિત ન થતા રૂ. 93,297 નો ક્લેઈમ ચુકવવા આદેશ
હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર કેન્સર દર્દી ચેઈન સ્મોકર હોવાથી કંપનીએ વીમા ક્લેઈમ રિજેક્ટ કર્યો હતો
WatchGujarat. અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટ દ્વારા તાજેતરમાં એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. જેમાં કેન્સર દર્દીનો ક્લેઈમ રીજેક્ટ કરનાર વીમા કંપનીને તમામ રકમ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ ધુમ્રપાન કરતો હોવાથી કંપનીએ ક્લેઈમ રીજેક્ટ કર્યો હતો. જે બાદ દર્દીના પત્નીએ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને મેડિક્લેઈમની રકમ અપાવવા દરખાસ્ત કરી હતી.
આ મામલે મળતી વિગતો અનુસાર આલોક બેનરજી નામની વ્યક્તિએ ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી હેલ્થ ઈન્સ્યોરન્સ લીધો હતો. આલોક બેનરજીને કેન્સરની બીમારી થવાની તે સારવાર લઈ રહ્યા હતા. જેમાં તેમણે લગ્ન્સ એડેનોકાર્સિનોમા એટલે કે ફેંફસાના કેન્સરની સારવાર કરાવવા માટે રૂ. 93,297 નો ખર્ચ કર્યો હતો. આ સારવારનો ખર્ચ મેળવવા માટે આલોક બેનરજીએ વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો. આ સમયે કંપનીએ વીમા ક્લેઈમ રિજેક્ટ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર આલોક બેનરદી નામની વ્યક્તિના મેડિકલ ટ્રીટમેન્ટના પેપર પરથી ફલિત થાય છે કે તે ચેઈન સ્મોકર હતો. તેણે લગ્ન્સ એડેનોકાર્સિનોમા એટલે કે ફેંફસાના કેન્સરની સારવાર કરાવવા માટે રૂ. 93,297 નો ખર્ચ કર્યો હતો. પરંતુ તે ચેઈન સ્મોકર હોવાથી તેનો આ ક્લેઈમ અમે રિજેક્ટ કરી રહ્યા છીએ.
કમનસીબે આલોક બેનરજીનું મૃત્યું નિપજ્યું હતું. ધુમ્રપાન કરતાં હોવાથી કંપનીએ તેમનો ક્લેઈમ રીજેક્ટ કર્યો હતો. જેથી ક્લેઈમના નાણાં મેળવવા માટે તેમના પત્નીએ કન્ઝ્યુમર એજ્યકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને મેડિક્લેઈમની રકમ અપાવવા દરખાસ્ત કરી હતી. સીઈઆરસીએ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરી હતી. જે બાદ આ મામલે કમિશને બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટને લાગ્યું હતું કે વીમા કંપનીએ આપખુદ રીતે મેડિક્લેઈમ લેનારનો ક્લેઈમ રિજેક્ટ કર્યો છે.
આ કાર્યવાહીમાં કેન્સરના દર્દી વતીથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ધુમ્રપાન કરવાની આદતને કારણે જ વ્યક્તિને કેન્સર થયો હોવાનો કોઈ જ પુરાવો નથી. ધુમ્રપાનની આદત જ કેન્સર માટે જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થતું નથી. જેથી વ્યક્તિગત પુરાવાની ગેરહાજરીમાં ડિસ્ચાર્જ સમરીને નિર્ણાયક પુરાવા તરીકે જોઈ ન શકાય. દર્દી ધુમ્રપાન કરતો હોવાથી તેને કેન્સરની બીમારીનો વીમાનો ક્લેઈમ આપવાની વીમા કંપની ના પાડી જ શકે નહિ, આ ચૂકાદા સાથે કન્ઝ્યુમર કોર્ટે ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને રૂ. 93,297 નો ક્લેઈમ મંજૂર કરીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
વીમા કંપનીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારને તમામ વિગતો અગાઉથી જણાવે
આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, વ્યક્તિ ધુમ્રપાન કરતો હોય તો તેને કેન્સરને ક્લેઈમ નહિં મળે તેવી વીમા કંપનીએ પહેલાથી જ જાણકારી ક્લેઈમ લેનાર વ્યક્તિને આપવી જોઈએ. આ અંગેની લેખિત જાણકારી તેને આપીને ત્યારબાદ તેના પર સહી લેવી જોઈએ. સામાન્ય રીતે વીમા ક્લેઈમ લેનારાઓને આ પ્રકારની સમજણ આપવામાં આવતી નથી. ત્યાર બાદ અઘટિત ઘટના બને ત્યારે વીમા કંપનીઓ હાથ ઊંચા કરી દેવા માટે આ કારણોને આગળ કરતી હોય છે. પરંતુ કેવા સંજોગોમાં વીમા ક્લેઈમ નહિ ચૂકવવામાં આવે તેની વીમા ક્લેઈમ લેનારી વ્યક્તિને વીમા વેચવા માટેના નિયમ મુજબ તેની માતૃભાષામાં સમજણ આપીને તેના પર વીમો વેચનાર એજન્ટ અને વીમો ખરીદનાર વ્યક્તિ બંનેની સહી લઈને ડૉકેટમાં રાખવામાં આવે તો આ પ્રકારના વિવાદો ટળી શકે છે. વીમા કંપનીઓ તેમના વીમા વેચવા માટે આ પ્રકારની હકીકત અંગે વીમા વેચતી વખતે ફોડ પાડતી નથી. તેથી વિવાદો થાય છે. દર્દીઓ વરસો સુધી પ્રીમિયમ ભર્યા પછીય દંડાય છે.
ધુમ્રપાન કરતો હોવાથી કેન્સર દર્દીને ક્લેઈમની રકમ ન ચૂકવનાર વીમા કંપનીને કોર્ટનો આદેશ
કેન્સર દર્દી ધુમ્રપાન કરતો હોય તો પણ વીમા ક્લેઈમ ચુકવવો જ પડે – કન્ઝ્યુમર કોર્ટ
ધુમ્રપાન કરવાથી જ કેન્સર થયું હોવાનું પ્રસ્થાપિત ન થતા રૂ. 93,297 નો ક્લેઈમ ચુકવવા આદેશ
હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર કેન્સર દર્દી ચેઈન સ્મોકર હોવાથી કંપનીએ વીમા ક્લેઈમ રિજેક્ટ કર્યો હતો
WatchGujarat. અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટ દ્વારા તાજેતરમાં એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. જેમાં કેન્સર દર્દીનો ક્લેઈમ રીજેક્ટ કરનાર વીમા કંપનીને તમામ રકમ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ ધુમ્રપાન કરતો હોવાથી કંપનીએ ક્લેઈમ રીજેક્ટ કર્યો હતો. જે બાદ દર્દીના પત્નીએ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને મેડિક્લેઈમની રકમ અપાવવા દરખાસ્ત કરી હતી.
આ મામલે મળતી વિગતો અનુસાર આલોક બેનરજી નામની વ્યક્તિએ ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી હેલ્થ ઈન્સ્યોરન્સ લીધો હતો. આલોક બેનરજીને કેન્સરની બીમારી થવાની તે સારવાર લઈ રહ્યા હતા. જેમાં તેમણે લગ્ન્સ એડેનોકાર્સિનોમા એટલે કે ફેંફસાના કેન્સરની સારવાર કરાવવા માટે રૂ. 93,297 નો ખર્ચ કર્યો હતો. આ સારવારનો ખર્ચ મેળવવા માટે આલોક બેનરજીએ વીમા કંપનીમાં ક્લેમ કર્યો હતો. આ સમયે કંપનીએ વીમા ક્લેઈમ રિજેક્ટ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, હેલ્થ ઈન્સ્યોરન્સ લેનાર આલોક બેનરદી નામની વ્યક્તિના મેડિકલ ટ્રીટમેન્ટના પેપર પરથી ફલિત થાય છે કે તે ચેઈન સ્મોકર હતો. તેણે લગ્ન્સ એડેનોકાર્સિનોમા એટલે કે ફેંફસાના કેન્સરની સારવાર કરાવવા માટે રૂ. 93,297 નો ખર્ચ કર્યો હતો. પરંતુ તે ચેઈન સ્મોકર હોવાથી તેનો આ ક્લેઈમ અમે રિજેક્ટ કરી રહ્યા છીએ.
કમનસીબે આલોક બેનરજીનું મૃત્યું નિપજ્યું હતું. ધુમ્રપાન કરતાં હોવાથી કંપનીએ તેમનો ક્લેઈમ રીજેક્ટ કર્યો હતો. જેથી ક્લેઈમના નાણાં મેળવવા માટે તેમના પત્નીએ કન્ઝ્યુમર એજ્યકેશન એન્ડ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને મેડિક્લેઈમની રકમ અપાવવા દરખાસ્ત કરી હતી. સીઈઆરસીએ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરી હતી. જે બાદ આ મામલે કમિશને બંને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટને લાગ્યું હતું કે વીમા કંપનીએ આપખુદ રીતે મેડિક્લેઈમ લેનારનો ક્લેઈમ રિજેક્ટ કર્યો છે.
આ કાર્યવાહીમાં કેન્સરના દર્દી વતીથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ધુમ્રપાન કરવાની આદતને કારણે જ વ્યક્તિને કેન્સર થયો હોવાનો કોઈ જ પુરાવો નથી. ધુમ્રપાનની આદત જ કેન્સર માટે જવાબદાર હોવાનું પ્રસ્થાપિત થતું નથી. જેથી વ્યક્તિગત પુરાવાની ગેરહાજરીમાં ડિસ્ચાર્જ સમરીને નિર્ણાયક પુરાવા તરીકે જોઈ ન શકાય. દર્દી ધુમ્રપાન કરતો હોવાથી તેને કેન્સરની બીમારીનો વીમાનો ક્લેઈમ આપવાની વીમા કંપની ના પાડી જ શકે નહિ, આ ચૂકાદા સાથે કન્ઝ્યુમર કોર્ટે ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને રૂ. 93,297 નો ક્લેઈમ મંજૂર કરીને ચૂકવવાનો આદેશ કર્યો છે.
વીમા કંપનીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારને તમામ વિગતો અગાઉથી જણાવે
આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, વ્યક્તિ ધુમ્રપાન કરતો હોય તો તેને કેન્સરને ક્લેઈમ નહિં મળે તેવી વીમા કંપનીએ પહેલાથી જ જાણકારી ક્લેઈમ લેનાર વ્યક્તિને આપવી જોઈએ. આ અંગેની લેખિત જાણકારી તેને આપીને ત્યારબાદ તેના પર સહી લેવી જોઈએ. સામાન્ય રીતે વીમા ક્લેઈમ લેનારાઓને આ પ્રકારની સમજણ આપવામાં આવતી નથી. ત્યાર બાદ અઘટિત ઘટના બને ત્યારે વીમા કંપનીઓ હાથ ઊંચા કરી દેવા માટે આ કારણોને આગળ કરતી હોય છે. પરંતુ કેવા સંજોગોમાં વીમા ક્લેઈમ નહિ ચૂકવવામાં આવે તેની વીમા ક્લેઈમ લેનારી વ્યક્તિને વીમા વેચવા માટેના નિયમ મુજબ તેની માતૃભાષામાં સમજણ આપીને તેના પર વીમો વેચનાર એજન્ટ અને વીમો ખરીદનાર વ્યક્તિ બંનેની સહી લઈને ડૉકેટમાં રાખવામાં આવે તો આ પ્રકારના વિવાદો ટળી શકે છે. વીમા કંપનીઓ તેમના વીમા વેચવા માટે આ પ્રકારની હકીકત અંગે વીમા વેચતી વખતે ફોડ પાડતી નથી. તેથી વિવાદો થાય છે. દર્દીઓ વરસો સુધી પ્રીમિયમ ભર્યા પછીય દંડાય છે.