watchgujarat: ઈટાલીથી અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કુલ 182 લોકો સવાર હતા. જેમાંથી 125 લોકો કોવિડથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. અમૃતસરમાં તમામ લોકોને સુરક્ષિત રીતે ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 90928 નવા કેસ નોંધાયા છે. આ સિવાય આ જીવલેણ વાયરસને કારણે 325 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલની સરખામણીમાં કોરોના કેસોમાં 56.5% નો વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. જયારે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 4 લાખ 82 હજાર 876 પર પહોંચી ગઈ છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે જ્યારે આ મુસાફરોનો RTPCR રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 179 મુસાફરોમાંથી 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોની સંખ્યાને કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે જણાવ્યું કે વહીવટીતંત્રના નિર્દેશો પર તમામ કોરોના સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓમિક્રોન વેરિઅન્ટના ટેસ્ટ માટે તમામ મુસાફરોના નમૂના મોકલવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/1479031127947939842?s=20
કોરોનાના કારણે વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચી ગયો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દુનિયાભરમાં કોરોનાના 25 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ મહામારીએ અમેરિકામાં સૌથી વધુ તબાહી મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દેશમાં દરરોજ ચાર લાખથી વધુ નવા સંક્રમિત જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ 91 હજાર નવા કેસ મળી આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે 325 લોકોના મોત પણ થયા છે. જયારે, 19,206 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાના કુલ કેસ વધીને 3,51,09,286 થઈ ગયા છે. જયારે, સક્રિય કેસ વધીને 2,85,401 થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક વધીને 4,82,876 થયો છે.
દેશમાં ઓમિક્રોનના 2,630 કેસ
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે વાત કરીએ તો દેશમાં તેના કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ 797 અને 465 ઓમિક્રોન કેસ છે, 2,630 ઓમિક્રોન દર્દીઓમાંથી 995 સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 325 લોકોના મોત થયા છે. ગયા બુધવારની સરખામણીમાં ગુરુવારે કોરોનાના 56.5 ટકા વધુ કેસ જોવા મળ્યા હતા.
watchgujarat: ઈટાલીથી અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કુલ 182 લોકો સવાર હતા. જેમાંથી 125 લોકો કોવિડથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. અમૃતસરમાં તમામ લોકોને સુરક્ષિત રીતે ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 90928 નવા કેસ નોંધાયા છે. આ સિવાય આ જીવલેણ વાયરસને કારણે 325 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલની સરખામણીમાં કોરોના કેસોમાં 56.5% નો વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. જયારે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 4 લાખ 82 હજાર 876 પર પહોંચી ગઈ છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે જ્યારે આ મુસાફરોનો RTPCR રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 179 મુસાફરોમાંથી 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોની સંખ્યાને કારણે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે જણાવ્યું કે વહીવટીતંત્રના નિર્દેશો પર તમામ કોરોના સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓમિક્રોન વેરિઅન્ટના ટેસ્ટ માટે તમામ મુસાફરોના નમૂના મોકલવામાં આવ્યા છે.
https://twitter.com/ANI/status/1479031127947939842?s=20
કોરોનાના કારણે વિશ્વના ઘણા દેશોમાં હાહાકાર મચી ગયો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દુનિયાભરમાં કોરોનાના 25 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ મહામારીએ અમેરિકામાં સૌથી વધુ તબાહી મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દેશમાં દરરોજ ચાર લાખથી વધુ નવા સંક્રમિત જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ 91 હજાર નવા કેસ મળી આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે 325 લોકોના મોત પણ થયા છે. જયારે, 19,206 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાના કુલ કેસ વધીને 3,51,09,286 થઈ ગયા છે. જયારે, સક્રિય કેસ વધીને 2,85,401 થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક વધીને 4,82,876 થયો છે.
દેશમાં ઓમિક્રોનના 2,630 કેસ
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે વાત કરીએ તો દેશમાં તેના કેસની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ 797 અને 465 ઓમિક્રોન કેસ છે, 2,630 ઓમિક્રોન દર્દીઓમાંથી 995 સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 90,928 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 325 લોકોના મોત થયા છે. ગયા બુધવારની સરખામણીમાં ગુરુવારે કોરોનાના 56.5 ટકા વધુ કેસ જોવા મળ્યા હતા.