વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રીને મળેલા અને કોરોના સંક્રમિત બનેલા ભાજપનાં છઠ્ઠા નેતા
હાલ તમામ નેતાઓની તબિયત સ્વસ્થ હોવાથી તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે
સિવિલ હોસ્પિટલનાં 3 ડોક્ટર સહિત બપોર સુધીમાં શહેરમાં 91 નવા કેસ નોંધાયા
WatchGujarat.તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળેલા કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા બુસ્ટર ડોઝ લીધા છતાં કોરોના સંક્રમિત થયા છે. CM પટેલની રેલી પુરી કર્યા બાદ તેમને મળેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રીને મળેલા અને કોરોના સંક્રમિત બનેલા ભાજપનાં છઠ્ઠા નેતા છે. હાલ આરોગ્યની વિભાગની ટીમે તેમના ઘરે દોડી ગઈ છે. સાથે જ સિવિલ હોસ્પિટલનાં 3 ડોક્ટર સહિત બપોર સુધીમાં શહેરમાં 91 નવા કેસ નોંધાયા છે.
આ પહેલા સ્થાનિક ભાજપનાં દિગ્ગજ નેતાઓ નીતિન ભારદ્વાજ, ઉત્તરપ્રદેશથી પરત ફરેલા મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા તેમજ CMના આગમન સમયે એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહેલા ભરત બોઘરા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયાનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. જો કે હાલ તમામ નેતાઓની તબિયત સ્વસ્થ હોવાથી તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ બધા નેતાઓ મુખ્યમંત્રીને નજીકથી મળ્યા હોવાથી સીએમ સહિત અન્ય અનેક લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ શહેરમાં તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોના મચક આપતો નથી. તેમજ દિવસે-દિવસે નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. જો કે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આજે બપોર સુધીની સ્થિતિ મુજબ અંદાજે 2 હજાર દર્દીઓ ઘરેથી સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં 45,647 સંક્રમિતો નોંધાયા છે. જેમાં શહેરમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા છે. સૌથી રાહતની બાબત એ છે કે, એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. જો કે રાજકોટ શહેરમાં પોઝિટિવિટી રેશિયો 6% કરતા વધી ગયો છે. જયારે ગ્રામ્યમાં 2.35% ટકાની આસપાસ છે.
વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રીને મળેલા અને કોરોના સંક્રમિત બનેલા ભાજપનાં છઠ્ઠા નેતા
હાલ તમામ નેતાઓની તબિયત સ્વસ્થ હોવાથી તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે
WatchGujarat.તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળેલા કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા બુસ્ટર ડોઝ લીધા છતાં કોરોના સંક્રમિત થયા છે. CM પટેલની રેલી પુરી કર્યા બાદ તેમને મળેલા પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રીને મળેલા અને કોરોના સંક્રમિત બનેલા ભાજપનાં છઠ્ઠા નેતા છે. હાલ આરોગ્યની વિભાગની ટીમે તેમના ઘરે દોડી ગઈ છે. સાથે જ સિવિલ હોસ્પિટલનાં 3 ડોક્ટર સહિત બપોર સુધીમાં શહેરમાં 91 નવા કેસ નોંધાયા છે.
આ પહેલા સ્થાનિક ભાજપનાં દિગ્ગજ નેતાઓ નીતિન ભારદ્વાજ, ઉત્તરપ્રદેશથી પરત ફરેલા મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા તેમજ CMના આગમન સમયે એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહેલા ભરત બોઘરા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયાનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. જો કે હાલ તમામ નેતાઓની તબિયત સ્વસ્થ હોવાથી તેઓ ઘરમાં રહીને સારવાર લઈ રહ્યા છે. પરંતુ આ બધા નેતાઓ મુખ્યમંત્રીને નજીકથી મળ્યા હોવાથી સીએમ સહિત અન્ય અનેક લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ શહેરમાં તંત્રના અથાગ પ્રયાસો છતાં કોરોના મચક આપતો નથી. તેમજ દિવસે-દિવસે નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. જો કે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આજે બપોર સુધીની સ્થિતિ મુજબ અંદાજે 2 હજાર દર્દીઓ ઘરેથી સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં 45,647 સંક્રમિતો નોંધાયા છે. જેમાં શહેરમાં 224 અને ગ્રામ્યમાં 40 દર્દી મળી કુલ 264 દર્દીઓ સાજા થયા છે. સૌથી રાહતની બાબત એ છે કે, એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. જો કે રાજકોટ શહેરમાં પોઝિટિવિટી રેશિયો 6% કરતા વધી ગયો છે. જયારે ગ્રામ્યમાં 2.35% ટકાની આસપાસ છે.