ઓમીક્રોનથી ડરવાની જરાય જરૂર નથી- રાજકોટ એઇમ્સનાં ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે
ઓમીક્રોનથી માત્ર એવા લોકોને ડરવાની જરૂર છે જેણે હજુ સુધી વેક્સિન લીધી નથી
વેકસીનનાં બંને ડોઝ લેનાર અને નિયમો પાળનાર વ્યક્તિ ઓમીક્રોનથી સંક્રમિત થશે તો પણ ખાસ કોઈ મુશ્કેલી આવશે નહીં
WatchGujarat. ઓમીક્રોનને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એઇમ્સનાં ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે કોરોનાનાં આ ઓમીક્રોન વેરીએન્ટ અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઓમીક્રોનથી ડરવાની જરાય જરૂર નથી. આપણે જોયું છે કે પહેલા આલ્ફા વેરિયન્ટ આવ્યો, પછી બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટ આવ્યા છે ધીરે ધીરે જતા પણ રહ્યા હતા હાલમાં સૌથી સક્રિય વેરિયન્ટ ડેલ્ટા છે. વધુ એક નવો વેરિયન્ટ આવ્યો છે તેને ઓમિક્રોન નામ આપ્યું છે. આ વેરિયન્ટ પકડાય તે પૂર્વે જ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ બધા દેશોમાંથી જે વિગત મળી છે તે મુજબ અત્યાર સુધીમાં ઓમિક્રોનથી ગંભીર કેસ નથી આવ્યા પણ તેને ફેલાવવાનો દર વધારે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ 3ને ચેપ લગાડી શકતો હતો તે હવે શક્ય છે કે 10ને ચેપ લગાવી શકે. આ વાઇરસ એવો છે કે તેનાથી નેચરલ ઈમ્યુનિટી વધી જશે. જેમને પહેલેથી ગંભીર રોગ હોય તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓમીક્રોનથી માત્ર એવા લોકોને ડરવાની જરૂર છે જેણે હજુ સુધી વેક્સિન લીધી નથી તેમજ કોરોનાને લગતા નિયમોનું પાલન કરતા નથી. વેકસીનનાં બંને ડોઝ લેનાર અને નિયમો પાળનાર વ્યક્તિ ઓમીક્રોનથી સંક્રમિત થશે તો પણ ખાસ કોઈ મુશ્કેલી આવશે નહીં.
ઓપીડી અંગે કહ્યું કે, હાલ એઈમ્સનું તંત્ર ડિસેમ્બરના અંત સુધીમાં ઓપીડી શરૂ કરવા માટે મહેનત કરી રહ્યું છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સંકલનમાં છે. અને કોરોના માટે તેમની સાથે જ કામ કરશે. આ સાથે જ જરૂર પડ્યે કોરોનાનાં દર્દીઓ માટે ગમે ત્યારે 25 આઈસોલેશન બેડની ફાળવણી કરવા એઇમ્સનું તંત્ર તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાલ ઓમીક્રોનને લઈને લોકો તેમજ સરકારમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ એઇમ્સ ડિરેકટકરનું આ નિવેદન રાહત આપનારું છે.
ઓમીક્રોનથી માત્ર એવા લોકોને ડરવાની જરૂર છે જેણે હજુ સુધી વેક્સિન લીધી નથી
વેકસીનનાં બંને ડોઝ લેનાર અને નિયમો પાળનાર વ્યક્તિ ઓમીક્રોનથી સંક્રમિત થશે તો પણ ખાસ કોઈ મુશ્કેલી આવશે નહીં
WatchGujarat. ઓમીક્રોનને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એઇમ્સનાં ડિરેક્ટર ડો. સીડીએસ કટોચે કોરોનાનાં આ ઓમીક્રોન વેરીએન્ટ અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઓમીક્રોનથી ડરવાની જરાય જરૂર નથી. આપણે જોયું છે કે પહેલા આલ્ફા વેરિયન્ટ આવ્યો, પછી બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટ આવ્યા છે ધીરે ધીરે જતા પણ રહ્યા હતા હાલમાં સૌથી સક્રિય વેરિયન્ટ ડેલ્ટા છે. વધુ એક નવો વેરિયન્ટ આવ્યો છે તેને ઓમિક્રોન નામ આપ્યું છે. આ વેરિયન્ટ પકડાય તે પૂર્વે જ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ બધા દેશોમાંથી જે વિગત મળી છે તે મુજબ અત્યાર સુધીમાં ઓમિક્રોનથી ગંભીર કેસ નથી આવ્યા પણ તેને ફેલાવવાનો દર વધારે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ 3ને ચેપ લગાડી શકતો હતો તે હવે શક્ય છે કે 10ને ચેપ લગાવી શકે. આ વાઇરસ એવો છે કે તેનાથી નેચરલ ઈમ્યુનિટી વધી જશે. જેમને પહેલેથી ગંભીર રોગ હોય તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઓમીક્રોનથી માત્ર એવા લોકોને ડરવાની જરૂર છે જેણે હજુ સુધી વેક્સિન લીધી નથી તેમજ કોરોનાને લગતા નિયમોનું પાલન કરતા નથી. વેકસીનનાં બંને ડોઝ લેનાર અને નિયમો પાળનાર વ્યક્તિ ઓમીક્રોનથી સંક્રમિત થશે તો પણ ખાસ કોઈ મુશ્કેલી આવશે નહીં.
ઓપીડી અંગે કહ્યું કે, હાલ એઈમ્સનું તંત્ર ડિસેમ્બરના અંત સુધીમાં ઓપીડી શરૂ કરવા માટે મહેનત કરી રહ્યું છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સંકલનમાં છે. અને કોરોના માટે તેમની સાથે જ કામ કરશે. આ સાથે જ જરૂર પડ્યે કોરોનાનાં દર્દીઓ માટે ગમે ત્યારે 25 આઈસોલેશન બેડની ફાળવણી કરવા એઇમ્સનું તંત્ર તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે, હાલ ઓમીક્રોનને લઈને લોકો તેમજ સરકારમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ એઇમ્સ ડિરેકટકરનું આ નિવેદન રાહત આપનારું છે.