ચૌટાબજારમાં ચાર જેટલા કોસ્મેટીક અને બ્યુટી પ્રોડક્ટના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડા
મોટા ભાગના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને પલાયન થઇ ગયા હતા
પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો ન હતો
Watchgujarat.સુરત શહેરના ચૌટાબજારમાં ચાર જેટલા કોસ્મેટીક અને બ્યુટી પ્રોડક્ટના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જીએસટી વિભાગને 9.48 કરોડની કર ચોરી મળી આવી હતી. આ ઘટનાને લઈને આસપાસ જેટલા પણ વેપારીઓ હતા તે મોટા ભાગના પોતાની દુકાનો બંધ કરીને પલાયન થઇ ગયા હતા
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટેટ જીએસટી દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સીસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે તાજેતરમાં સુરત ખાતે ચૌટાબજાર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ અને કોસ્મેટીક ઈમિટેશન જ્વેલરી મેકઅપનો સમાન લેડીઝ ફૂટવેર જેવી વસ્તુઓના ધંધા સાથે સંકળાયેલા એન,આર ગ્રુપની એનઆર બ્યુટી વર્લ્ડ, એન,આર, જવેલર્સ, એન.આઈ બેન્ગ્લ્સ અને એન.આર ફીટ ઇન નામની પેઢીઓના સ્થળે મળીને કુલ 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા
જીએસટી વિભાગને તપાસમાં મળી આવ્યું હતું કે પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો ન હતો. ખુબ જ નજીવા વેચાણો બતાવી તેના પર વેરી ભરી કરચોરી કરવામાં આવતી હતી.સદર પેઢીઓ ઈમ્પોર્ટથી અને આંતર રાજ્ય ખરીદીથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરતી હતી. તેમજ આવી ખરીદીઓને ચોપડે નહી દર્શાવીને આવા વેચાણ પર ટેક્સ નહી ભરતા હોવાનું સામે આવ્યું હતું. સદર સ્થળોએથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠી ઉપરના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આ સ્થળેથી મળી આવેલ સોફ્ટવેરમાંથી બિન હિસાબી વેચાણની માહિતી પણ જીએસટી વિભાગને મળી આવી હતી. જીએસટી વિભાગને મોટા પ્રમાણમાં બિન હિસાબી દસ્તાવેજ, કાચી ચિઠ્ઠી અને ડીજીટલ ડેટા મળી આવેલ છે. જેને જપ્ત કરવામાં આવેલ છે. જેની તપાસમાં અનેક અન્ય વેપારીઓ સામે તવાઈ આવે તો નવાઈ નહી.
- ચૌટાબજારમાં ચાર જેટલા કોસ્મેટીક અને બ્યુટી પ્રોડક્ટના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડા
- મોટા ભાગના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને પલાયન થઇ ગયા હતા
- પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો ન હતો
Watchgujarat.સુરત શહેરના ચૌટાબજારમાં ચાર જેટલા કોસ્મેટીક અને બ્યુટી પ્રોડક્ટના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જીએસટી વિભાગને 9.48 કરોડની કર ચોરી મળી આવી હતી. આ ઘટનાને લઈને આસપાસ જેટલા પણ વેપારીઓ હતા તે મોટા ભાગના પોતાની દુકાનો બંધ કરીને પલાયન થઇ ગયા હતા
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટેટ જીએસટી દ્વારા માર્કેટ ઈન્ટેલીજન્સ અને સીસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે તાજેતરમાં સુરત ખાતે ચૌટાબજાર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ અને કોસ્મેટીક ઈમિટેશન જ્વેલરી મેકઅપનો સમાન લેડીઝ ફૂટવેર જેવી વસ્તુઓના ધંધા સાથે સંકળાયેલા એન,આર ગ્રુપની એનઆર બ્યુટી વર્લ્ડ, એન,આર, જવેલર્સ, એન.આઈ બેન્ગ્લ્સ અને એન.આર ફીટ ઇન નામની પેઢીઓના સ્થળે મળીને કુલ 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા
જીએસટી વિભાગને તપાસમાં મળી આવ્યું હતું કે પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો ન હતો. ખુબ જ નજીવા વેચાણો બતાવી તેના પર વેરી ભરી કરચોરી કરવામાં આવતી હતી.સદર પેઢીઓ ઈમ્પોર્ટથી અને આંતર રાજ્ય ખરીદીથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરતી હતી. તેમજ આવી ખરીદીઓને ચોપડે નહી દર્શાવીને આવા વેચાણ પર ટેક્સ નહી ભરતા હોવાનું સામે આવ્યું હતું. સદર સ્થળોએથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠી ઉપરના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આ સ્થળેથી મળી આવેલ સોફ્ટવેરમાંથી બિન હિસાબી વેચાણની માહિતી પણ જીએસટી વિભાગને મળી આવી હતી. જીએસટી વિભાગને મોટા પ્રમાણમાં બિન હિસાબી દસ્તાવેજ, કાચી ચિઠ્ઠી અને ડીજીટલ ડેટા મળી આવેલ છે. જેને જપ્ત કરવામાં આવેલ છે. જેની તપાસમાં અનેક અન્ય વેપારીઓ સામે તવાઈ આવે તો નવાઈ નહી.