પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગતરોજ આપેલા નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ
રાજ્યના ભાજપના હાલના ધારાસભ્યોને ચૂંટણીમાં પડતા મૂકવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું
મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી – સી.આર.પાટીલ
નવા ચહેરાઓ માટે મહેનત કરતાં કાર્યકર્તાઓને તક મળે તેવી શક્યતાઓ
WatchGujarat. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તાજેતરમાં આપેલા એક નિવેદન બાદ રાજ્યના ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ ફેલાયો છે. પ્રદેશ અધ્યક્ષે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપમાં આ વખતની ચૂંટણીમાં 100 નવા ચહેરાને તક આપવામાં આવશે. આ ફફડાટ વચ્ચે સી.આર. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
આ નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ છે. તેમણે પોતાની ખુરશી જવાની બીક છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષે સુરતની મુલાકાત દરમિયાન આજે એક મહત્વનું નિવેદન આપી આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે જે 70 બેઠકો નથી તેમના માટે નવા ચહેરા શોધવા પડશે. આ ઉપરાંત અને ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે. તેમાંથી કેટલાક નિવૃત્ત થતા હશે તેમને સ્થાને નવા ચહેરા શોધાશે. આમ કુલ મળી કુલ 100 જેટલ ચહેરા નવા હશે. હાલના પાર્ટીના કોઈ ચેહરા બદલવાની વાત નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં નવા ચહેરા આવવાની શક્યતા છે તે વિસ્તારમાં લોકો સ્વીકારશે તેને ચાન્સ મળશે. પાર્ટીમાં જે લોકો છે તેમને બદલવાની કોઈ વાત નથી. પરંતુ નવા ચહેરાઓ માટે કાર્યકર્તા મહેનત કરે તો તક મળી શકે છે.
ગત રોજ આપેલા નિવેદનમાં સી.આર. પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ગતરોજ આપેલા નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ
રાજ્યના ભાજપના હાલના ધારાસભ્યોને ચૂંટણીમાં પડતા મૂકવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું
મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી – સી.આર.પાટીલ
નવા ચહેરાઓ માટે મહેનત કરતાં કાર્યકર્તાઓને તક મળે તેવી શક્યતાઓ
WatchGujarat. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તાજેતરમાં આપેલા એક નિવેદન બાદ રાજ્યના ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ ફેલાયો છે. પ્રદેશ અધ્યક્ષે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપમાં આ વખતની ચૂંટણીમાં 100 નવા ચહેરાને તક આપવામાં આવશે. આ ફફડાટ વચ્ચે સી.આર. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
આ નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ છે. તેમણે પોતાની ખુરશી જવાની બીક છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષે સુરતની મુલાકાત દરમિયાન આજે એક મહત્વનું નિવેદન આપી આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે જે 70 બેઠકો નથી તેમના માટે નવા ચહેરા શોધવા પડશે. આ ઉપરાંત અને ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે. તેમાંથી કેટલાક નિવૃત્ત થતા હશે તેમને સ્થાને નવા ચહેરા શોધાશે. આમ કુલ મળી કુલ 100 જેટલ ચહેરા નવા હશે. હાલના પાર્ટીના કોઈ ચેહરા બદલવાની વાત નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં નવા ચહેરા આવવાની શક્યતા છે તે વિસ્તારમાં લોકો સ્વીકારશે તેને ચાન્સ મળશે. પાર્ટીમાં જે લોકો છે તેમને બદલવાની કોઈ વાત નથી. પરંતુ નવા ચહેરાઓ માટે કાર્યકર્તા મહેનત કરે તો તક મળી શકે છે.
ગત રોજ આપેલા નિવેદનમાં સી.આર. પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.