રાજકોટ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન
3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા
તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા
રાજકોટ ડેરીએ કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત કરી
આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક
7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક
Watchgujarat.ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં સતત એકશનમાં ભાજપ કામે લાગી છે. નેતાઓ અને મંત્રીઓ કામે લાગ્યા છે ત્યારે એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેને પગલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ સાથે બેઠક શરુ કરી છે.
મળતી માહિતી મુજબ આ બેઠક પહેલા પાટીલના હસ્તે સુપોષણ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું હતું. આ અંગે મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. જે અંગેની બેઠક આજે યોજશે.આ સાથે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે. તેમજ રાજકોટ ડેરીએ કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત કરી છે.
આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ છે. જેમાં 7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કાર્યકરો સાથે યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લાખોની જનમેદની એકઠી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન
3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા
તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા
રાજકોટ ડેરીએ કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત કરી
આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક
7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક
Watchgujarat.ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં સતત એકશનમાં ભાજપ કામે લાગી છે. નેતાઓ અને મંત્રીઓ કામે લાગ્યા છે ત્યારે એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેને પગલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ સાથે બેઠક શરુ કરી છે.
મળતી માહિતી મુજબ આ બેઠક પહેલા પાટીલના હસ્તે સુપોષણ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું હતું. આ અંગે મીડિયા સાથે વાત કરતા પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. જે અંગેની બેઠક આજે યોજશે.આ સાથે આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અતિ કુપોષિત બાળકોને દત્તક લઇ તેને સુપોષિત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે. તેમજ રાજકોટ ડેરીએ કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત કરી છે.
આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ છે. જેમાં 7 જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કાર્યકરો સાથે યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લાખોની જનમેદની એકઠી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.