પંજાબ નેશનલ બેંક (PNB) એ ખાતામાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી 2020-21 દરમિયાન લગભગ 170 કરોડ રૂપિયાની કમાણી કરી. એક RTI દ્વારા આ માહિતી સામે આવી છે. બેંક દ્વારા આવા ચાર્જથી મેળવેલ નફો 2019-20માં 286.24 કરોડ રૂપિયા રહ્યો હતો. બેન્કો નાણાકીય વર્ષ દરમિયાન ત્રિમાસિક ધોરણે આવા ચાર્જ વસૂલે છે.
2020-21ના એપ્રિલ-જૂન સમયગાળામાં ત્રિમાસિક સરેરાશ બેલેન્સ (QAB) 35.46 કરોડ રૂપિયા (બચત અને ચાલુ ખાતા બંને પર) હતું, જ્યારે નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં આવી કોઈ ફી વસૂલવામાં આવી ન હતી.
PNB એ મધ્યપ્રદેશ સ્થિત સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે દ્વારા માગેલ RTI ના જવાબમાં જણાવ્યું હતું કે, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં QAB નોન-મેઇન્ટેનન્સ ચાર્જ અનુક્રમે 48.11 કરોડ અને 86.11 કરોડ રૂપિયા હતો. બેંકે વર્ષ દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ તરીકે રૂ. 74.28 કરોડની કમાણી કરી. અગાઉ 2019-20માં તે 114.08 કરોડ રૂપિયા હતું. બેંકે કહ્યું કે તેણે IBA પત્ર અને સરકારી માર્ગદર્શિકાઓ દ્વારા 2020-21ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દીધો છે.
ઓપરેટિવ અને નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા અંગેના એક સવાલના જવાબમાં બેંકે જણાવ્યું હતું કે 30 જૂન, 2021 સુધીમાં 4,27,59,597 ખાતાઓ નિષ્ક્રિય હતા, જ્યારે કુલ 13,37,48,857 ખાતાઓ કાર્યરત હતા.
Kotak Mahindra Bank કરશે 310 કરોડનું રોકાણ
બીજી બાજુ, કોટક મહિન્દ્રા બેંક General Atlantic સમર્થિત KFin Technologies માં 9.99 ટકા હિસ્સો ખરીદશે. બેંક આ માટે KFin Technologies માં 310 કરોડનું રોકાણ કરશે. બપોરે 02:32 વાગ્યે, NSE પર કોટક મહિન્દ્રા બેંકના શેરનો ભાવ રૂ. 2.10 અથવા 0.10 ટકા વધીને 2010.05 ચાલી રહ્યો હતો.
પંજાબ નેશનલ બેંક (PNB) એ ખાતામાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી 2020-21 દરમિયાન લગભગ 170 કરોડ રૂપિયાની કમાણી કરી. એક RTI દ્વારા આ માહિતી સામે આવી છે. બેંક દ્વારા આવા ચાર્જથી મેળવેલ નફો 2019-20માં 286.24 કરોડ રૂપિયા રહ્યો હતો. બેન્કો નાણાકીય વર્ષ દરમિયાન ત્રિમાસિક ધોરણે આવા ચાર્જ વસૂલે છે.
2020-21ના એપ્રિલ-જૂન સમયગાળામાં ત્રિમાસિક સરેરાશ બેલેન્સ (QAB) 35.46 કરોડ રૂપિયા (બચત અને ચાલુ ખાતા બંને પર) હતું, જ્યારે નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં આવી કોઈ ફી વસૂલવામાં આવી ન હતી.
PNB એ મધ્યપ્રદેશ સ્થિત સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે દ્વારા માગેલ RTI ના જવાબમાં જણાવ્યું હતું કે, ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં QAB નોન-મેઇન્ટેનન્સ ચાર્જ અનુક્રમે 48.11 કરોડ અને 86.11 કરોડ રૂપિયા હતો. બેંકે વર્ષ દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ તરીકે રૂ. 74.28 કરોડની કમાણી કરી. અગાઉ 2019-20માં તે 114.08 કરોડ રૂપિયા હતું. બેંકે કહ્યું કે તેણે IBA પત્ર અને સરકારી માર્ગદર્શિકાઓ દ્વારા 2020-21ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દીધો છે.
ઓપરેટિવ અને નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા અંગેના એક સવાલના જવાબમાં બેંકે જણાવ્યું હતું કે 30 જૂન, 2021 સુધીમાં 4,27,59,597 ખાતાઓ નિષ્ક્રિય હતા, જ્યારે કુલ 13,37,48,857 ખાતાઓ કાર્યરત હતા.
Kotak Mahindra Bank કરશે 310 કરોડનું રોકાણ
બીજી બાજુ, કોટક મહિન્દ્રા બેંક General Atlantic સમર્થિત KFin Technologies માં 9.99 ટકા હિસ્સો ખરીદશે. બેંક આ માટે KFin Technologies માં 310 કરોડનું રોકાણ કરશે. બપોરે 02:32 વાગ્યે, NSE પર કોટક મહિન્દ્રા બેંકના શેરનો ભાવ રૂ. 2.10 અથવા 0.10 ટકા વધીને 2010.05 ચાલી રહ્યો હતો.