ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્ર્યાલયે 17 મી મે 2019 ના એક આદેશ બહાર પાડીને બોરીક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવી દીધો
લાઈસન્સ લીધા વિના જ ખાંડે પૅક કરવા માટે એચડીપીઈ-પીપની પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરનારા મેસર્સ મુદિત પોલીપ્લાસ્ટ, 210, શ્રી મહાવીર ક્લોથ માર્કેટ,કાંકરિયા રોડ અમદાવા અને મેસર્સ યોગેશ્વર ટ્રેડર્સ, શ્રી મહાવીર ક્લોથ મર્કેટ કાંકરિયા રોડ અમદાવાદ પર દરોડા પાડયા
આઈએસઆઈ માર્કા વિનાની પ્લાસ્ટિકની બેગ વેચી કે બનાવી શકાતી નથી. આ ગુના માટે પણ બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ થઈ શકે
WatchGujarat. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓએ આજે માન્ય લાઈસન્સ વિના જ બોરીક એસિડ બનાવી રહેલી દહેજ સ્થિત કંપની મેસર્સ રાસોહમ કેમિકલ્સ પર દરોડો પાડીને લાઈસન્સ વિના બનાવવામાં આવેલા બોરીક એસિડનો 7500 કિલો જથ્થા જપ્ત કર્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્ર્યાલયે 17 મી મે 2019 ના એક આદેશ બહાર પાડીને બોરીક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવી દીધો છે. તેથી કોઈપણ વ્યક્તિ આઈએસઆઈ માર્કા વિના બોરીક એસિડનું ઉત્પાદન કે વેચાણ કરી શકે જ નહિ. આ જોગવાઈનો ભંગ કરનાર સામે આર્ટિકલ 17 ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આઈએસઆઈના માર્કા વિનાનો બોરીક એસિડ બનાવવો અને વેચનારને બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે આઈએસઆઈ માર્ક ફરજિયાત કરવામાં આવેલો છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરીની સુરત શાખાના અધિકારીઓએ આ દરોડો પાડયો હતો.
આ જ રીતે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પાસેથી લાઈસન્સ લીધા વિના જ ખાંડે પૅક કરવા માટે એચડીપીઈ-પીપની પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરનારા મેસર્સ મુદિત પોલીપ્લાસ્ટ, 210, શ્રી મહાવીર ક્લોથ માર્કેટ,કાંકરિયા રોડ અમદાવા અને મેસર્સ યોગેશ્વર ટ્રેડર્સ, શ્રી મહાવીર ક્લોથ મર્કેટ કાંકરિયા રોડ અમદાવાદ પર દરોડા પાડયા હતા. તેમણે એચડીપીઈ અને પીપીની પ્લાસ્ટિક બેગ પર બનાવટી આઈએસઆઈ માર્ક લગાવ્યા હતા.તેમણે આ પ્લાસ્ટિક બેગ દેશની વિવિધ ખાંડ ઉત્પાદક મિલો સહિતના અનેકને વેેચી હતી. આ કેસમાં દરોડા પાડીને હરિયાણા સ્થિત સુગર મિલોમાંથી બનાવટી આઈએસઆઈ માર્ક ધરાવતી 50,000 થી વધુ પ્લાસ્ટિક બેગ જપ્ત કરી હતી.
ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્ર્યાલયે સપ્ટેમ્બર 2019 માં એક પરિપત્ર કરીને 23 મી ઓક્ટોબર 2021 થી અનાજ અને ખાંડ ભરવા માટે એચડીપીઈ અને પીપી પ્લાસ્ટિકની બેગ આઈએસઆઈ માર્કાવાળી જ રાખવાનું ફરજિયાત કર્યું હતું. તેથી આઈએસઆઈ માર્કા વિનાની પ્લાસ્ટિકની બેગ વેચી કે બનાવી શકાતી નથી. આ ગુના માટે પણ બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ થઈ શકે છે.
- ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્ર્યાલયે 17 મી મે 2019 ના એક આદેશ બહાર પાડીને બોરીક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવી દીધો
- લાઈસન્સ લીધા વિના જ ખાંડે પૅક કરવા માટે એચડીપીઈ-પીપની પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરનારા મેસર્સ મુદિત પોલીપ્લાસ્ટ, 210, શ્રી મહાવીર ક્લોથ માર્કેટ,કાંકરિયા રોડ અમદાવા અને મેસર્સ યોગેશ્વર ટ્રેડર્સ, શ્રી મહાવીર ક્લોથ મર્કેટ કાંકરિયા રોડ અમદાવાદ પર દરોડા પાડયા
- આઈએસઆઈ માર્કા વિનાની પ્લાસ્ટિકની બેગ વેચી કે બનાવી શકાતી નથી. આ ગુના માટે પણ બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ થઈ શકે
WatchGujarat. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓએ આજે માન્ય લાઈસન્સ વિના જ બોરીક એસિડ બનાવી રહેલી દહેજ સ્થિત કંપની મેસર્સ રાસોહમ કેમિકલ્સ પર દરોડો પાડીને લાઈસન્સ વિના બનાવવામાં આવેલા બોરીક એસિડનો 7500 કિલો જથ્થા જપ્ત કર્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્ર્યાલયે 17 મી મે 2019 ના એક આદેશ બહાર પાડીને બોરીક એસિડ ઉપર આઈએસઆઈ માર્ક ફરજિયાત બનાવી દીધો છે. તેથી કોઈપણ વ્યક્તિ આઈએસઆઈ માર્કા વિના બોરીક એસિડનું ઉત્પાદન કે વેચાણ કરી શકે જ નહિ. આ જોગવાઈનો ભંગ કરનાર સામે આર્ટિકલ 17 ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આઈએસઆઈના માર્કા વિનાનો બોરીક એસિડ બનાવવો અને વેચનારને બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે આઈએસઆઈ માર્ક ફરજિયાત કરવામાં આવેલો છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કચેરીની સુરત શાખાના અધિકારીઓએ આ દરોડો પાડયો હતો.
આ જ રીતે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પાસેથી લાઈસન્સ લીધા વિના જ ખાંડે પૅક કરવા માટે એચડીપીઈ-પીપની પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરનારા મેસર્સ મુદિત પોલીપ્લાસ્ટ, 210, શ્રી મહાવીર ક્લોથ માર્કેટ,કાંકરિયા રોડ અમદાવા અને મેસર્સ યોગેશ્વર ટ્રેડર્સ, શ્રી મહાવીર ક્લોથ મર્કેટ કાંકરિયા રોડ અમદાવાદ પર દરોડા પાડયા હતા. તેમણે એચડીપીઈ અને પીપીની પ્લાસ્ટિક બેગ પર બનાવટી આઈએસઆઈ માર્ક લગાવ્યા હતા.તેમણે આ પ્લાસ્ટિક બેગ દેશની વિવિધ ખાંડ ઉત્પાદક મિલો સહિતના અનેકને વેેચી હતી. આ કેસમાં દરોડા પાડીને હરિયાણા સ્થિત સુગર મિલોમાંથી બનાવટી આઈએસઆઈ માર્ક ધરાવતી 50,000 થી વધુ પ્લાસ્ટિક બેગ જપ્ત કરી હતી.
ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્ર્યાલયે સપ્ટેમ્બર 2019 માં એક પરિપત્ર કરીને 23 મી ઓક્ટોબર 2021 થી અનાજ અને ખાંડ ભરવા માટે એચડીપીઈ અને પીપી પ્લાસ્ટિકની બેગ આઈએસઆઈ માર્કાવાળી જ રાખવાનું ફરજિયાત કર્યું હતું. તેથી આઈએસઆઈ માર્કા વિનાની પ્લાસ્ટિકની બેગ વેચી કે બનાવી શકાતી નથી. આ ગુના માટે પણ બે વર્ષની જેલની સજા અને રૃા. 2 લાખનો દંડ થઈ શકે છે.