કોરોનાની સ્થિતીને લઇને અનેક ઉત્સવો પર બ્રેક લાગી છે
ડાકોરમાં સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં હોળી પર્વ નજીક આવતો મેળો મુલતવી રખાયો
મંદિરમાં સાદગી પુર્ણ રીતે પુજન કરાશે, ભક્તો લાઇવ દર્શન જોઇ શકશે
WatchGujarat. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. કોરોનાના સંક્ર્મણને અટકાવવા મંદિર પ્રસાશને અને જીલ્લા વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે. જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે નિર્ણય લેવાયો છે.
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ફાગણી પૂનમનું ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે ખાસ કરીને લાખો પદયાત્રીઓ ચાલતા ડાકોર રણછોડરાયના મંદિરે શીષ ઝુકાવે છે. પરંતુ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ફાગણી પુનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસ સુધી મંદિર પરિસર ભક્તો માટે બંધ રહેશે.
ઓનલાઈન દર્શન કરવા માટે વ્યવસ્થાનો લાભ લઇ શકાશે
28મી માર્ચે ફાગણી પૂનમ હોવાથી 27, 28, 29 માર્ચ એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, ઠાકોરજીની સેવા પૂજા નિત્યક્રમ મુજબ થશે, પરંતુ બંધ બારણે આ તમામ પૂજા વિધી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંદિરના મેનેજર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સંપૂર્ણ સાદગી સાથે બંધ બારણે રણછોડરાયનું પૂજન કરવામાં આવશે
ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળા આરતી થાય છે. આ બાદ શણગાર વસ્ત્રો તથા શૃંગાર ધરાવવામાં આવે છે. ભોગ ધરાવવામાં આવે જેમાં ધાણી, ચણા, લાડુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલ ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી ભક્તોનો ભારે ઘસારો હોય છે. જોકે આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે અને સંપૂર્ણ સાદગી સાથે બંધ બારણે રણછોડરાયનું પૂજન કરવામાં આવશે.
કોરોનાની સ્થિતીને લઇને અનેક ઉત્સવો પર બ્રેક લાગી છે
WatchGujarat. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. કોરોનાના સંક્ર્મણને અટકાવવા મંદિર પ્રસાશને અને જીલ્લા વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે. જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે નિર્ણય લેવાયો છે.
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ફાગણી પૂનમનું ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે ખાસ કરીને લાખો પદયાત્રીઓ ચાલતા ડાકોર રણછોડરાયના મંદિરે શીષ ઝુકાવે છે. પરંતુ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ફાગણી પુનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસ સુધી મંદિર પરિસર ભક્તો માટે બંધ રહેશે.
ઓનલાઈન દર્શન કરવા માટે વ્યવસ્થાનો લાભ લઇ શકાશે
28મી માર્ચે ફાગણી પૂનમ હોવાથી 27, 28, 29 માર્ચ એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે, ઠાકોરજીની સેવા પૂજા નિત્યક્રમ મુજબ થશે, પરંતુ બંધ બારણે આ તમામ પૂજા વિધી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંદિરના મેનેજર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા.
સંપૂર્ણ સાદગી સાથે બંધ બારણે રણછોડરાયનું પૂજન કરવામાં આવશે
ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળા આરતી થાય છે. આ બાદ શણગાર વસ્ત્રો તથા શૃંગાર ધરાવવામાં આવે છે. ભોગ ધરાવવામાં આવે જેમાં ધાણી, ચણા, લાડુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલ ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી ભક્તોનો ભારે ઘસારો હોય છે. જોકે આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે અને સંપૂર્ણ સાદગી સાથે બંધ બારણે રણછોડરાયનું પૂજન કરવામાં આવશે.