WatchGujarat. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા હાથ ધરાયેલાં વેક્સિનેશન મહાઅભિયાનને લઈને લોકોને આ કોરોના બચવા એક માત્ર ઉપાય છે કોરોના રસી, જેને લેવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અને આ રસી લોકોને આપવા માટે સરકાર દ્વારા ઘણા પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દમણ પ્રશાસન દ્વારા વેક્સિનને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે વેક્સિન નહિ તો દારૂ નહિ દમણ (Daman) પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે.
દમણમાં વેક્સિન નહિ તો દારૂ નહિ સાથે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દેતા 50 ટકા બેઠક સાથે છૂટછાટ આપવામાં આવી છે. ઓછા કેસ અને રસીકરણમાં કારણે હોટેલ, રેસ્ટોરન્ટ્સ, રિસોર્ટ્સ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા પણ જાહેર કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દીવ-દમણ 100 ટકા વેક્સિનેશન અને કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગુરુવારથી પ્રદેશની હોટલ-રેસ્ટોરન્ટ્સ અને રિસોર્ટ્સ ને 50 ટકા બેઠક સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે.
શુક્રવારે દમણના આસિસ્ટન્ટ કમિશનર ઑફ એક્સાઇઝ ચાર્મી પારેખે એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, બાર અને રેસ્ટોરન્ટ સંચાલકોએ કડક રીતે કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. અને બારના લાયસન્સ ધરાવનાર સંચાલકોએ કોઈ પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશે તે પહેલા તેને વેક્સિન લીધી છે કે નહિ તેની ચકાસણી કર્યા બાદ જ દુકાનમાં પ્રવેશ આપવા માટે જણાવવામાં આવું છે.
જો કે આ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના 100% લોકોને રસીકરણમાં પહેલો ડોઝ અપાઇ ગયો છે. જૂન અંત સુધીમાં દીવ અને દમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે બીજા ડોઝ પર ભાર મુકાઇ રહ્યો છે. જે નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટરો, મ્યુનિ. શાળાઓ તેમજ મ્યુનિ.હોલ વગેરે જગ્યાએ કોરોના રસી આપવામાં આવી રહી છે. રસીકરણમાં ઝડપ લાવવા માટે વૉર રૂમ બનાવવામાં આવ્યાં છે જે લોકોને બીજા ડોઝ માટે યાદ અપાવે છે.
No Vaccine No Liquor in Daman, Stated by Assistant Commissioner of Excise Charmi Parekh
WatchGujarat. શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા હાથ ધરાયેલાં વેક્સિનેશન મહાઅભિયાનને લઈને લોકોને આ કોરોના બચવા એક માત્ર ઉપાય છે કોરોના રસી, જેને લેવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અને આ રસી લોકોને આપવા માટે સરકાર દ્વારા ઘણા પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દમણ પ્રશાસન દ્વારા વેક્સિનને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે વેક્સિન નહિ તો દારૂ નહિ દમણ (Daman) પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે.
દમણમાં વેક્સિન નહિ તો દારૂ નહિ સાથે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દેતા 50 ટકા બેઠક સાથે છૂટછાટ આપવામાં આવી છે. ઓછા કેસ અને રસીકરણમાં કારણે હોટેલ, રેસ્ટોરન્ટ્સ, રિસોર્ટ્સ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવા પણ જાહેર કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દીવ-દમણ 100 ટકા વેક્સિનેશન અને કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગુરુવારથી પ્રદેશની હોટલ-રેસ્ટોરન્ટ્સ અને રિસોર્ટ્સ ને 50 ટકા બેઠક સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે.
શુક્રવારે દમણના આસિસ્ટન્ટ કમિશનર ઑફ એક્સાઇઝ ચાર્મી પારેખે એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, બાર અને રેસ્ટોરન્ટ સંચાલકોએ કડક રીતે કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. અને બારના લાયસન્સ ધરાવનાર સંચાલકોએ કોઈ પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશે તે પહેલા તેને વેક્સિન લીધી છે કે નહિ તેની ચકાસણી કર્યા બાદ જ દુકાનમાં પ્રવેશ આપવા માટે જણાવવામાં આવું છે.
જો કે આ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના 100% લોકોને રસીકરણમાં પહેલો ડોઝ અપાઇ ગયો છે. જૂન અંત સુધીમાં દીવ અને દમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે બીજા ડોઝ પર ભાર મુકાઇ રહ્યો છે. જે નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટરો, મ્યુનિ. શાળાઓ તેમજ મ્યુનિ.હોલ વગેરે જગ્યાએ કોરોના રસી આપવામાં આવી રહી છે. રસીકરણમાં ઝડપ લાવવા માટે વૉર રૂમ બનાવવામાં આવ્યાં છે જે લોકોને બીજા ડોઝ માટે યાદ અપાવે છે.
No Vaccine No Liquor in Daman, Stated by Assistant Commissioner of Excise Charmi Parekh