સુરત ખાતે જોગિંગ પાર્ક એક્સટેંશન ખાતે જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં
વડોદરાના જૈન સંઘ ના મુમુક્ષુ ચિ.તક્ષ અનીષ કુમાર શાહ અને ચિ. વંદન ભરતભાઈ શાહ ના બંને બાળકો નૂતન દીક્ષિત બન્યા
બે બાળકો આજે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ ના હાથે ઓઘો ગ્રહણ કર્યો
WatchGujarat.આજે સુરત ખાતે જોગિંગ પાર્ક એક્સટેંશન ખાતે જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં વડોદરાના બે બાળકો સહિત ત્રણ બાળકોની દીક્ષા કાર્યક્રમ સવારે છ વાગ્યે ભક્તિમય વાતાવરણમાં યોજાયો. વડોદરાના અલકાપુરી જૈન સંઘ ના મુમુક્ષુ ચિ.તક્ષ અનીષ કુમાર શાહ અને ચિ. વંદન ભરતભાઈ શાહ ના બંને બાળકો આજે નૂતન દીક્ષિત બન્યા છે
જૈન દર્શન મુજબ કોઈપણ આત્મા અત્યારે વર્તમાનકાળમાં મોક્ષે એ જઈ શકતો નથી છેલ્લે શાસ્ત્ર પ્રમાણે જમ્બુ સ્વામી મહારાજ આ ભરતક્ષેત્રમાંથી મોક્ષે ગયા અને ત્યારથી મોક્ષના દરવાજા બંધ થયા એવું જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે એટલે હવે જો મોક્ષે જવું હોય તો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો પડે અને ત્યાંથી દીક્ષા વગેરે લઈ અને પછી જ આત્મા નું કલ્યાણ થઈ શકે. જૈન દર્શન એવું માને છે કે કોઈ પણ આત્મા દીક્ષા લીધા વગર હવે મોક્ષે જઈ શકતો નથી તેથી ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલો આ સંયમ માર્ગ મોક્ષ તરફ પ્રયાણ કરવાનું પહેલું પગથિયું છે અને આ પગથીયા ઉપર ચાલવા માટે વડોદરાના આ બે બાળકો આજે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ ના હાથે ઓઘો ગ્રહણ કર્યો.
વડોદરામાંથી પણ જુદા જુદા સંઘો માંથી લક્ઝરી બસ અને પ્રાઇવેટ કાર દ્વારા મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે આ બંને મુમુક્ષુઓની દિક્ષા પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી શ્રુતોપાસક ગણ , એલર્ટ ગ્રુપ ઓફ વડોદરા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જૈન અગ્રણી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ તથા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ દિક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
દરમિયાનમાં આજે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ એ ત્રણ મુમુક્ષુઓ જેમાં મુમુક્ષુ રાજકુમાર(ભવ્ય) નું નવું નામ આજથી મુનિરાજ ધર્મસુંદર વિજયજી , મુમુક્ષુ વંદન કુમાર નું નામ નું નવું આજથી વિશમય સુંદર , મુમુક્ષુ તક્ષ કુમારનું નવું નામ આજથી મુનિરાજ ત્રયલોકય સુંદર વિજયજી આપવામાં આવ્યું હતું જેને સમગ્ર ઉપસ્થિત જૈન સમાજે વધાવી લીધું હતું ત્યારબાદ નૂતન દીક્ષિત બનેલા ત્રણેય ગુરુ ભગવંતોનું સામૂહિક ગુરુ વંદન કરવામાં આવ્યું હતું.
સુરત ખાતે જોગિંગ પાર્ક એક્સટેંશન ખાતે જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં
વડોદરાના જૈન સંઘ ના મુમુક્ષુ ચિ.તક્ષ અનીષ કુમાર શાહ અને ચિ. વંદન ભરતભાઈ શાહ ના બંને બાળકો નૂતન દીક્ષિત બન્યા
બે બાળકો આજે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ ના હાથે ઓઘો ગ્રહણ કર્યો
WatchGujarat.આજે સુરત ખાતે જોગિંગ પાર્ક એક્સટેંશન ખાતે જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં વડોદરાના બે બાળકો સહિત ત્રણ બાળકોની દીક્ષા કાર્યક્રમ સવારે છ વાગ્યે ભક્તિમય વાતાવરણમાં યોજાયો. વડોદરાના અલકાપુરી જૈન સંઘ ના મુમુક્ષુ ચિ.તક્ષ અનીષ કુમાર શાહ અને ચિ. વંદન ભરતભાઈ શાહ ના બંને બાળકો આજે નૂતન દીક્ષિત બન્યા છે
જૈન દર્શન મુજબ કોઈપણ આત્મા અત્યારે વર્તમાનકાળમાં મોક્ષે એ જઈ શકતો નથી છેલ્લે શાસ્ત્ર પ્રમાણે જમ્બુ સ્વામી મહારાજ આ ભરતક્ષેત્રમાંથી મોક્ષે ગયા અને ત્યારથી મોક્ષના દરવાજા બંધ થયા એવું જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે એટલે હવે જો મોક્ષે જવું હોય તો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેવો પડે અને ત્યાંથી દીક્ષા વગેરે લઈ અને પછી જ આત્મા નું કલ્યાણ થઈ શકે. જૈન દર્શન એવું માને છે કે કોઈ પણ આત્મા દીક્ષા લીધા વગર હવે મોક્ષે જઈ શકતો નથી તેથી ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલો આ સંયમ માર્ગ મોક્ષ તરફ પ્રયાણ કરવાનું પહેલું પગથિયું છે અને આ પગથીયા ઉપર ચાલવા માટે વડોદરાના આ બે બાળકો આજે ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં આચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ ના હાથે ઓઘો ગ્રહણ કર્યો.
વડોદરામાંથી પણ જુદા જુદા સંઘો માંથી લક્ઝરી બસ અને પ્રાઇવેટ કાર દ્વારા મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે આ બંને મુમુક્ષુઓની દિક્ષા પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી શ્રુતોપાસક ગણ , એલર્ટ ગ્રુપ ઓફ વડોદરા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ જૈન અગ્રણી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ તથા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ દિક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
દરમિયાનમાં આજે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ એ ત્રણ મુમુક્ષુઓ જેમાં મુમુક્ષુ રાજકુમાર(ભવ્ય) નું નવું નામ આજથી મુનિરાજ ધર્મસુંદર વિજયજી , મુમુક્ષુ વંદન કુમાર નું નામ નું નવું આજથી વિશમય સુંદર , મુમુક્ષુ તક્ષ કુમારનું નવું નામ આજથી મુનિરાજ ત્રયલોકય સુંદર વિજયજી આપવામાં આવ્યું હતું જેને સમગ્ર ઉપસ્થિત જૈન સમાજે વધાવી લીધું હતું ત્યારબાદ નૂતન દીક્ષિત બનેલા ત્રણેય ગુરુ ભગવંતોનું સામૂહિક ગુરુ વંદન કરવામાં આવ્યું હતું.