ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં એક નવો વિવાદ સામે આવ્યો
સુરત અને મુંબઇના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું
ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના કારણે મુંબઈના હીરા બજારમાં નારાજગી જોવા મળી
WatchGujarat. એક તરફ ખજોદ ખાતે સાકાર થઇ રહેલા સુરતના અતિ મહત્વકાંક્ષી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન ને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે તે પહેલાં એક નવો વિવાદ ડાયમંડ બુર્સને લઈને સામે આવ્યા છે. જેમાં સુરત અને મુંબઇના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના કારણે મુંબઈના હીરા બજારમાં નારાજગી જોવા મળી રહી છે.
સુરત ખાતે મુંબઈ કરતાં પણ સૌથી મોટું ડાયમંડ તૈયાર થઈ રહ્યું છે તેવામાં મુંબઈ હીરાબજારના વેપારીઓ સુરત શિફ્ટ થાય તે પ્રકારે તેમને પ્રલોભનો આપવામાં આવ્યા છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર માં લખવામાં આવ્યું છે કે જો ડાયમંડ બુર્સના કોઈપણ મેમ્બર પોલીશડ ડાયમંડ મુંબઈ મોકલી વેચાણ કરશે તો તેવા મેમ્બરને મેન્ટેનન્સ ચાર્જીસ રાહત આપવામાં આવશે નહીં. અને મેમ્બર નું નામ યાદીમાં પણ સામેલ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત પરિપત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે જો મુંબઈમાં પોલીશડ ડાયમંડ નું કામકાજ કરતા વેપારીઓ જો મુંબઈનું તેમનું કામ બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ આવે અને પોલિશ્ડ ડાયમંડનું વેચાણ કરે તો તેમને છ મહિના સુધી મેન્ટેનન્સમાં રાહત આપવામાં આવશે તેમજ રિસેપ્શન એરિયામાં મુકાનારી તકતીમાં અગ્રણી સભાસદોની યાદી માં પણ તેમનું નામ લખવામાં આવશે. આ તકતી lifetime રિસેપ્શન એરિયામાં રાખવામાં આવશે. તેવા વિવિધ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા છે.
જોકે આ પરિપત્ર બાદ મુંબઇ અને સુરત ના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા જાહેર કરાયેલી આ સ્કીમ લીધે વિવાદ વકર્યો છે. મુંબઈ છોડી સુરતમાં ઓફિસ શરૂ કરવાની વાતથી મુંબઈના હીરાના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મુંબઈના ડાયમંડ બુર્સ ના વેપારીઓનું કહેવું છે કે આ પરિપત્ર થી સુરતના હીરાવેપારીઓએ ભારત પાકિસ્તાન જેવી દુશમણાવટ ઉભી કરવા જેવું કામ કર્યું છે.
આવું કામ વેપારીઓને શોભે એવું નથી. અમે એવું સમજતા હતા કે બધા સાથે મળીને વેપાર કરીશું. પણ આ પરિપત્રથી ઝઘડા અને મતભેદ ઉભા થવાનું કામ કરશે. અત્યારસુધી સુરત ડાયમંડ બુર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પણ જો આ પરિપત્રમાં કોઈ લેરિફિકેશન કરવામાં નહીં આવે તો એ વાત ચોક્કસ છે કે આગામી દિવસોમાં આ વિવાદ વકરવાના પુરેપુરા એંધાણ છે.
ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં એક નવો વિવાદ સામે આવ્યો
સુરત અને મુંબઇના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું
ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના કારણે મુંબઈના હીરા બજારમાં નારાજગી જોવા મળી
WatchGujarat. એક તરફ ખજોદ ખાતે સાકાર થઇ રહેલા સુરતના અતિ મહત્વકાંક્ષી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન ને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે તે પહેલાં એક નવો વિવાદ ડાયમંડ બુર્સને લઈને સામે આવ્યા છે. જેમાં સુરત અને મુંબઇના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રના કારણે મુંબઈના હીરા બજારમાં નારાજગી જોવા મળી રહી છે.
સુરત ખાતે મુંબઈ કરતાં પણ સૌથી મોટું ડાયમંડ તૈયાર થઈ રહ્યું છે તેવામાં મુંબઈ હીરાબજારના વેપારીઓ સુરત શિફ્ટ થાય તે પ્રકારે તેમને પ્રલોભનો આપવામાં આવ્યા છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર માં લખવામાં આવ્યું છે કે જો ડાયમંડ બુર્સના કોઈપણ મેમ્બર પોલીશડ ડાયમંડ મુંબઈ મોકલી વેચાણ કરશે તો તેવા મેમ્બરને મેન્ટેનન્સ ચાર્જીસ રાહત આપવામાં આવશે નહીં. અને મેમ્બર નું નામ યાદીમાં પણ સામેલ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત પરિપત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે જો મુંબઈમાં પોલીશડ ડાયમંડ નું કામકાજ કરતા વેપારીઓ જો મુંબઈનું તેમનું કામ બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ આવે અને પોલિશ્ડ ડાયમંડનું વેચાણ કરે તો તેમને છ મહિના સુધી મેન્ટેનન્સમાં રાહત આપવામાં આવશે તેમજ રિસેપ્શન એરિયામાં મુકાનારી તકતીમાં અગ્રણી સભાસદોની યાદી માં પણ તેમનું નામ લખવામાં આવશે. આ તકતી lifetime રિસેપ્શન એરિયામાં રાખવામાં આવશે. તેવા વિવિધ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા છે.
જોકે આ પરિપત્ર બાદ મુંબઇ અને સુરત ના હીરા વેપારીઓ આમને સામને આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા જાહેર કરાયેલી આ સ્કીમ લીધે વિવાદ વકર્યો છે. મુંબઈ છોડી સુરતમાં ઓફિસ શરૂ કરવાની વાતથી મુંબઈના હીરાના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મુંબઈના ડાયમંડ બુર્સ ના વેપારીઓનું કહેવું છે કે આ પરિપત્ર થી સુરતના હીરાવેપારીઓએ ભારત પાકિસ્તાન જેવી દુશમણાવટ ઉભી કરવા જેવું કામ કર્યું છે.
આવું કામ વેપારીઓને શોભે એવું નથી. અમે એવું સમજતા હતા કે બધા સાથે મળીને વેપાર કરીશું. પણ આ પરિપત્રથી ઝઘડા અને મતભેદ ઉભા થવાનું કામ કરશે. અત્યારસુધી સુરત ડાયમંડ બુર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પણ જો આ પરિપત્રમાં કોઈ લેરિફિકેશન કરવામાં નહીં આવે તો એ વાત ચોક્કસ છે કે આગામી દિવસોમાં આ વિવાદ વકરવાના પુરેપુરા એંધાણ છે.