દિવાળીથી લઇને ભાઇબીજ સુધી દ્વારકા મંદિરમાં અલગ-અલગ ઉત્સવનું આયોજન
ભક્તોને હાલાંકી ન પડે માટે મંદિરમાં દર્શનનાં સમયમાં ફેરફાર
2 નવેમ્બરથી લઇને 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન
Watchgujrat. દિવાળી તહેવારને લઇને બજારો,મોલ અને ખાણી-પીણીની તમામ જગ્યા પર ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમડી પડતું હોય છે તેવામાં રાજ્યનાં મંદિરોમાં તહેવારનાં સમયને ધ્યાને લઇને મંદિરનાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવતો હતો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા મંદિરમાં દિવાળી અને બેસતા વર્ષને ધ્યાને લઇને 2 નવેમ્બરથી લઇને 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા મંદિરમાં થનાર ઉત્સવ અને દર્શનનો કાર્યક્રમ નીચે મુજબ છે.
-2થી 6 નવેમ્બર વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામાં આવશે.
-તા-4-11-2021નાં ગુરૂવારે દિવાળીનાં દિવસે ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે.
-બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ રાખવામાં આવશે.
-સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન થશે
-રાત્રે 8 કલાકે હાટડી દર્શન થશે
-રાત્રે 9-45 કલાકે અનોસર મંદિર બંધ થશે.
તા.5-11-2021નાં શુક્રવારે નૂતન વર્ષના દિવસે સવારે 6 કલાકે મંગલા આરતી થશે.
-બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે
-બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે.
-સાંજે 5 વાગ્યાથી અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે.
-રાત્રે 9-45 કલાકે મંદિર બંધ થશે.
તા.6-11-2021નાં શનિવારે સવારે 7 કલાકે મંગળા આરતી થશે
-ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે.
-બપોરે 1 કલાકે મંદિર બંધ થશે.
-તથા સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે.
જ્યારે દ્વારીકાધીશના દર્શનની વિગતો મુજબ દિવાળીનાં દિવસોમાં એટલે કે વાઘબારસથી લઇને ભાઇબીજનાં તહેવાર સુધી અલગ-અલગ સમયે અલગ-અલગ ઉત્સવ અને દર્શન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે ત્યારે ભક્તોને કોઇ અગવડ ન પડે અને તમામ ભક્તો દર્શનનો લાભ લઇ શકે તે માટે મોટા-મોટા મંદિરોમાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે.આથી ભક્તો ભગવાનનાં દર્શન કરીને આનંદની લાગણી અનુભવી શકે.
- દિવાળીથી લઇને ભાઇબીજ સુધી દ્વારકા મંદિરમાં અલગ-અલગ ઉત્સવનું આયોજન
- ભક્તોને હાલાંકી ન પડે માટે મંદિરમાં દર્શનનાં સમયમાં ફેરફાર
- 2 નવેમ્બરથી લઇને 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન
Watchgujrat. દિવાળી તહેવારને લઇને બજારો,મોલ અને ખાણી-પીણીની તમામ જગ્યા પર ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમડી પડતું હોય છે તેવામાં રાજ્યનાં મંદિરોમાં તહેવારનાં સમયને ધ્યાને લઇને મંદિરનાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવતો હતો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા મંદિરમાં દિવાળી અને બેસતા વર્ષને ધ્યાને લઇને 2 નવેમ્બરથી લઇને 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકા મંદિરમાં થનાર ઉત્સવ અને દર્શનનો કાર્યક્રમ નીચે મુજબ છે.
-2થી 6 નવેમ્બર વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામાં આવશે.
-તા-4-11-2021નાં ગુરૂવારે દિવાળીનાં દિવસે ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે.
-બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ રાખવામાં આવશે.
-સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન થશે
-રાત્રે 8 કલાકે હાટડી દર્શન થશે
-રાત્રે 9-45 કલાકે અનોસર મંદિર બંધ થશે.
તા.5-11-2021નાં શુક્રવારે નૂતન વર્ષના દિવસે સવારે 6 કલાકે મંગલા આરતી થશે.
-બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે
-બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે.
-સાંજે 5 વાગ્યાથી અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે.
-રાત્રે 9-45 કલાકે મંદિર બંધ થશે.
તા.6-11-2021નાં શનિવારે સવારે 7 કલાકે મંગળા આરતી થશે
-ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે.
-બપોરે 1 કલાકે મંદિર બંધ થશે.
-તથા સાંજે નિત્યક્રમ મુજબ દર્શન થશે.
જ્યારે દ્વારીકાધીશના દર્શનની વિગતો મુજબ દિવાળીનાં દિવસોમાં એટલે કે વાઘબારસથી લઇને ભાઇબીજનાં તહેવાર સુધી અલગ-અલગ સમયે અલગ-અલગ ઉત્સવ અને દર્શન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે ત્યારે ભક્તોને કોઇ અગવડ ન પડે અને તમામ ભક્તો દર્શનનો લાભ લઇ શકે તે માટે મોટા-મોટા મંદિરોમાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે.આથી ભક્તો ભગવાનનાં દર્શન કરીને આનંદની લાગણી અનુભવી શકે.