જાહેરમાં નહીં ફોડી શકો ફટાકડાં
દિવાળી પર ફટાકડાને લઇને સરકારે બહાર પાડ્યું જાહેરનામું
રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મળી અનુમતિ
બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55થી 12.30 સુધી ફોડી શકાશે ફટાકડા
Watchgujrat. દિવાળી આવતાને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે સરકારે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરાનામું બીજું કંઇ નહીં પરતું ફટાકડા ફોડવાને લઇને છે.રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સરકાર દ્વારા નક્કી કરેલ સમયમર્યાદામાં તમે ફટાકડા ફોડી શકશો.દિવાળીનાં તહેવારને ધ્યાને રાખીને રાજ્યનાં ગૃહવિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું જાહેરનામું નીચે મુજબ છે.
આ જાહેરનામાં જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મૂકેલ છે. આ સાથે જાહેરનામાં જણાવ્યા મુજબ દિવાળી પર રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે નવા વર્ષમાં રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ આ વખતે દિવાળીનાં તહેવારની સૌ કોઇ આતુરતાથી રાહ તો જોય જ રહ્યા છે. સાથે ધામધૂમથી મનાવવા માટે ઉત્સુક પણ છે. ત્યારે સરકારની આ ગાઇડલાઇન લોકોની ખુશીમાં ગમ લાવી શકે છે. જો કે ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં રાજ્યનાં દરેક જિલ્લા પોલીસ મથક દ્વારા અમલ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ફટાકડાને લઇને સુપ્રીમ કોર્ટનાં નિયમોને ધ્યાનમાં રાખીને અમલ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
જાહેરમાં નહીં ફોડી શકો ફટાકડાં
દિવાળી પર ફટાકડાને લઇને સરકારે બહાર પાડ્યું જાહેરનામું
રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મળી અનુમતિ
બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55થી 12.30 સુધી ફોડી શકાશે ફટાકડા
Watchgujrat. દિવાળી આવતાને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે સરકારે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરાનામું બીજું કંઇ નહીં પરતું ફટાકડા ફોડવાને લઇને છે.રાજ્યમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સરકાર દ્વારા નક્કી કરેલ સમયમર્યાદામાં તમે ફટાકડા ફોડી શકશો.દિવાળીનાં તહેવારને ધ્યાને રાખીને રાજ્યનાં ગૃહવિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું જાહેરનામું નીચે મુજબ છે.
આ જાહેરનામાં જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ મૂકેલ છે. આ સાથે જાહેરનામાં જણાવ્યા મુજબ દિવાળી પર રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે નવા વર્ષમાં રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ આ વખતે દિવાળીનાં તહેવારની સૌ કોઇ આતુરતાથી રાહ તો જોય જ રહ્યા છે. સાથે ધામધૂમથી મનાવવા માટે ઉત્સુક પણ છે. ત્યારે સરકારની આ ગાઇડલાઇન લોકોની ખુશીમાં ગમ લાવી શકે છે. જો કે ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામામાં રાજ્યનાં દરેક જિલ્લા પોલીસ મથક દ્વારા અમલ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ફટાકડાને લઇને સુપ્રીમ કોર્ટનાં નિયમોને ધ્યાનમાં રાખીને અમલ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.