દ્વારકાના ઓખામઢીમાં મેલી વિદ્યાના ચક્કરમાં અમાનુષી માર મારતાં મહિલાએ દમ તોડ્યો
25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરાઈ
મેલું કાઢવા ભૂવા અને પરિવારે ત્રણ સંતાનોની માતાને સાંકળ-ધોકાથી માર મારતા મોત નિપજ્યું
પરિવારજન, ભૂવા સહિત પાંચેક શખસની સંડોવણી, વહેલી સવારે આચર્યું નિર્દયી કૃત્ય
WatchGujarat. દેવભૂમિ દ્વારકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ઓખામઢી ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક પરિણીતાની ક્રૂર હત્યા કરવામાં આવી છે. મેલી વિદ્યાના ચક્કરમાં પરોઢિયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી ડામ દઈ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી છે. આ બનાવ સામે આવતાં હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધા એટલી ઘર કરી ગયેલી છે કે તેની આડમાં લોકો હત્યા કરતા પણ નથી ખચકાતા.
બનાવની મળતી વિગતો અનુસાર દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને 'મેલું કાઢવા' માટે તેનાં પરિવારજન અને ભૂવાઓએ સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ આપ્યા હતા. એટલું જ નહીં ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રમીલા સોલંકીએ મંદિરમાં જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને દેવભૂમિ દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનોની સંડોવણી સામે આવી છે. મહિલાની હત્યા મામલે પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે આરોપી ભુવા છે.
અંધશ્રદ્ધના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતાં તેનાં ત્રણ માસૂમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ કાંડમાં મહિલાને સળિયા ગરમ કરી ડામ દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
WatchGujarat. દેવભૂમિ દ્વારકામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ઓખામઢી ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક પરિણીતાની ક્રૂર હત્યા કરવામાં આવી છે. મેલી વિદ્યાના ચક્કરમાં પરોઢિયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ માર મારી ડામ દઈ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી છે. આ બનાવ સામે આવતાં હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધા એટલી ઘર કરી ગયેલી છે કે તેની આડમાં લોકો હત્યા કરતા પણ નથી ખચકાતા.
બનાવની મળતી વિગતો અનુસાર દ્વારકાના ઓખામઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને 'મેલું કાઢવા' માટે તેનાં પરિવારજન અને ભૂવાઓએ સાંકળ અને ધોકા વડે માર મારી શરીરે ડામ આપ્યા હતા. એટલું જ નહીં ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા રમીલા સોલંકીએ મંદિરમાં જ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને દેવભૂમિ દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકના પરિવારજનોની સંડોવણી સામે આવી છે. મહિલાની હત્યા મામલે પોલીસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે આરોપી ભુવા છે.
અંધશ્રદ્ધના ખપ્પરમાં પચીસ વર્ષીય પરિણીતાએ જીવ ગુમાવતાં તેનાં ત્રણ માસૂમ બાળકોએ તેની માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ કાંડમાં મહિલાને સળિયા ગરમ કરી ડામ દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકનાં પરિવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખૂલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ, મેલી વિદ્યાના ચક્કરમાં એક પરિણીતાની અમાનુષી હત્યાના બનાવને પગલે દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકનો પરિવાર, ભૂવાઓની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.